Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»ખાલિસ્તાની આતંકીની હત્યાને લઈ ભારત-કેનેડા વચ્ચે તણાવ ભારતના વિદેશ પ્રધાનની કેનેડાના વિદેશ પ્રધાન સાથે ગુપ્ત મુલાકાત
    WORLD

    ખાલિસ્તાની આતંકીની હત્યાને લઈ ભારત-કેનેડા વચ્ચે તણાવ ભારતના વિદેશ પ્રધાનની કેનેડાના વિદેશ પ્રધાન સાથે ગુપ્ત મુલાકાત

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 12, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    કેનેડાએ ખાલિસ્તાની ત્રાસવાદીની હત્યાના મુદ્દે ભારત પર આરોપો મુક્યા પછી ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ પેદા થયો છે. પરંતુ હવે ફરીથી સંબંધો સુધારા પર આવશે કે કેમ તેત સવાલ છે. ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે તાજેતરમાં કેનેડાના વિદેશમંત્રી મેલેઈન જાેલી સાથે વોશિંગ્ટનમાં એક ગુપ્ત મુલાકાત યોજી હતી. આ મુલાકાત અમેરિકાના કહેવાથી યોજવામાં આવી હોવાનું કહેવાય છે, પરંતુ હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી. કેનેડાએ કેટલાક મિડલ ઈસ્ટના દેશો સાથે પણ વાત કરી છે અને ભારત પર પ્રેશર લાવવા માટે પ્રયાસ કર્યો છે.

    મેલેઈન જાેલીએ જણાવ્યું છે કે હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલે તેઓ ભારત સાથે પ્રાઈવેટ રીતે વાતચીત કરી રહ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં જયશંકર અને જાેલી વચ્ચે વાતચીત થઈ હતી તેવું ફાઈનાન્શિયલ ટાઈમ્સના એક અહેવાલમાં જણાવાયું હતું. નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોનો હાથ હતો તેવો આક્ષેપ કરવામાં આવ્યા પછી અમેરિકાનું કહેવું છે કે ભારતે કેનેડાને આ કેસની તપાસમાં સહયોગ આપવો જાેઈએ. આ દરમિયાન ભારતે કેનેડાને ભારતમાં પોતના ડિપ્લોમેટની સંખ્યામાં ઘટાડો કરવા કહ્યું હતું. કેનેડાએ ભારતમાં લગભગ ૬૨ ડિપ્લોમેટ ગોઠવ્યા હતા અને ભારતે તેની સંખ્યા ઘટીને ૨૦થી ૨૨ રાખવા કહ્યું છે.
    કેનેડાએ તાજેતરમાં પોતાના કેટલાક ડિપ્લોમેટને સિંગાપોર અને મલેશિયા જેવા દેશોમાં મોકલ્યા છે, પરંતુ ડિપ્લોમેટની સંખ્યા ઘટાડવાનું કામ હજુ પૂર્ણ નથી થયું. ભારતે ૧૦ ઓક્ટોબર સુધીમાં કેનેડાને પોતાના વધારાના ડિપ્લોમેટ હટાવવા કહ્યું હતું. જાેકે, હજુ પણ ભારતમાં કેનેડાના ડિપ્લોમેટની સંખ્યા વધારે હોવાની શક્યતા છે.

    આ દરમિયાન કેનેડાએ ભારતનો મુદ્દો અમેરિકા ઉપરાંત યુએઈ અને જાેર્ડન સમક્ષ પણ ઉઠાવ્યો છે. હાલમાં મિડલ ઈસ્ટના દેશો હમાસ અને ઇઝરાયલના યુદ્ધ મામલે વ્યસ્ત છે ત્યારે કેનેડાએ ભારત પર દબાણ વધારવા માટે આ મામલે જાેર્ડન અને યુએઈ સાથે વાત કરી છે. ભારતમાં ડિપ્લોમેટની મોટી સંખ્યા રાખવા માટે પણ એવું કારણ અપાય છે કે કેનેડામાં ૧૩ લાખ ભારતીયો વસે છે તેથી તેમના વિઝાને પ્રોસેસ કરવા વધારે સ્ટાફની જરૂર છે.

    ભારતમાં કેનેડાએ કેટલા ડિપ્લોમેટ રાખવા જાેઈએ તે વિશે બંને દેશ વચ્ચે મતભેદ ચાલે છે. ભારતની દલીલ છે કે વિયેના એગ્રીમેન્ટ પ્રમાણે દેશોએ એકબીજાને ત્યાં ડિપ્લોમેટની સંખ્યા એક સરખી રાખવી જાેઈએ. તેથી ભારતે કેનેડામાં જેટલા ડિપ્લોમેટને ગોઠવ્યા છે તેટલા જ અધિકારીઓ કેનેડાએ પણ ભારતમાં ગોઠવવા જાેઈએ. પરંતુ કેનેડા આ વાત સાથે સહમત નથી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Donald Trump: પેન્ટાગોનનું નામ બદલવા અંગે ટ્રમ્પનો દલીલ

    August 26, 2025

    India Post: અમેરિકાના ટેરિફ ફેરફારોથી ભારતીય ટપાલ સેવાઓ પર બ્રેક લાગી

    August 23, 2025

    Trump’s policy: અમેરિકા અને રશિયા વચ્ચે વધતો વેપાર: ટ્રમ્પની નીતિ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે!

    August 16, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.