Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ઉત્તરાખંડના મંદિરના કપાટ વર્ષમાં એક જ વાર ખુલે છે ચમોલી વિષ્ણુ ભગવાનનું મંદિર માત્ર રક્ષાબંધન પર ખૂલે છે
    India

    ઉત્તરાખંડના મંદિરના કપાટ વર્ષમાં એક જ વાર ખુલે છે ચમોલી વિષ્ણુ ભગવાનનું મંદિર માત્ર રક્ષાબંધન પર ખૂલે છે

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 5, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    આપણા દેશમાં ઘણા મંદિર એવા છે જેની સાથે ગાઢ માન્યતાઓ જાેડાયેલી છે. આ મંદિરોની પાછળ ઘણી અનોખી અને રહસ્યમયી કહાનીઓ છુપાયેલી છે. ઉત્તરાખંડમાં એક આવુ જ મંદિર આવેલુ છે જે ઘણા રહસ્યોથી ભરાયેલુ છે. ભક્તો માટે આ મંદિરના કપાટ વર્ષમાં માત્ર એક વખત જ ખુલે છે. આ સમય રક્ષાબંધનનો હોય છે, જ્યારે ભક્ત આ ચમત્કારી મંદિરમાં ભગવાનના દર્શન કરી પૂજા-અર્ચના કરે છે.

    વંશી નારાયણનું આ અનોખુ મંદિર ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત છે. આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ મંદિરના કપાટ માત્ર રક્ષાબંધનના અવસરે જ ખુલે છે, જ્યાં મહિલાઓ અને યુવતીઓ પોતાના ભાઈ પહેલા ભગવાન વંશી નારાયણ મંદિરને રાખડી બાંધે છે. માન્યતા અનુસાર રક્ષાબંધનના દિવસે વંશી નારાયણ મંદિરમાં જે પણ બહેનો પોતાના ભાઈને રાખડી બાંધે છે તેમને સુખ, સંપત્તિ અને સફળતાના આશીર્વાદ મળે છે. સાથે જ તેમના ભાઈઓ પર પણ ક્યારેય કોઈ સંકટ આવતુ નથી. સૂર્યોદય સાથે મંદિરના કપાટ ખુલે છે અને સૂર્યાસ્ત બાદ આને આખા વર્ષ માટે બંધ કરી દેવામાં આવે છે.

    પૌરાણિક કથા અનુસાર, ભગવાન વિષ્ણુ પોતાના વામન અવતારથી મુક્ત થયા બાદ સૌથી પહેલા ત્યાં પ્રગટ થયા હતા. કહેવાય છે કે આ સ્થળ પર દેવ ઋષિ નારદે પ્રભુ નારાયણની પૂજા-અર્ચના કરી હતી. માનવામાં આવે છે કે નારદ જી વર્ષના ૩૬૪ દિવસ વિષ્ણુજીની પૂજા કરે છે અને એક દિવસ માટે જતા રહે છે, જેથી લોકો પૂજા કરી શકે. આ જ કારણોસર ત્યાં લોકોને માત્ર એક દિવસ જ પૂજા કરવાનો અધિકાર મળેલો છે. મંદિરની પાસે એક ભાલૂ ગુફા પણ આવેલી છે, જ્યાં ભક્ત પ્રસાદ બનાવે છે. કહેવાય છે કે આ દિવસે ત્યાં દરેક ઘરમાંથી માખણ આવે છે અને આને પ્રસાદમાં મેળવીને ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે. રક્ષાબંધન માત્ર એક તહેવાર નહીં પરંતુ ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક છે. આ દિવસે બહેનો ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને લાંબા આયુષ્યની કામના કરે છે. ભાઈ પણ આજીવન બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર ૩૦ ઓગસ્ટ ૨૦૨૩એ મનાવવામાં આવશે. આ વખતે રક્ષાબંધન પર ભદ્રા કાળ રહેશે તો બહેનો પોતાના ભાઈને રાખડી ૩૦ ઓગસ્ટે રાત્રે ૦૯.૦૧ થી ૩૧ ઓગસ્ટ સવારે ૦૭.૦૫ મિનિટ સુધી બાંધી શકે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Rain in Delhi-Noida: દિલ્હી-નોઇડામાં હવામાન અચાનક બદલાયું, જોરદાર વાવાઝોડા પછી ભારે વરસાદ

    May 13, 2025

    PM Modi Speech Adampur Air base: આતંકવાદનો સામનો કરવો જોઈએ, ધર્મની રક્ષા માટે હથિયાર ઉપાડવાની પરંપરા

    May 13, 2025

    PM Modi Adampur Air Base: ઓપરેશન સિન્દૂર બાદ PM મોદીની સાહસિક જવાનો સાથે વાતચીત, આદમપુર એરબેસ પર પહોંચ્યા

    May 13, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.