Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ટાગોરે એક સદી પહેલા વિશ્વભારતીની સ્થાપના કરી હતી શાંતિનિકેતન યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની લિસ્ટમાં સામેલ
    India

    ટાગોરે એક સદી પહેલા વિશ્વભારતીની સ્થાપના કરી હતી શાંતિનિકેતન યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની લિસ્ટમાં સામેલ

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 19, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પશ્ચિમ બંગાળમાં સ્થિત શાંતિનિકેતનને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજની લિસ્ટમાં સામેલ કર્યું છે. મહાન કવિ રવીન્દ્રનાથ ટાગોરે એક સદી પહેલા આ આશ્રમમાં વિશ્વભારતીની સ્થાપના કરી હતી. યુનેસ્કોએ ગઈકાલે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી આ અંગે જાહેરાત કરી હતી. પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં સ્થિત આ સાંસ્કૃતિક સ્થળને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં કરાવવા માટે ભારત લાંબા સમયથી પ્રયત્ન કરી રહ્યું હતું. શાંતિનિકેતનને આ લિસ્ટમાં સામેલ કરવાનો ર્નિણય સાઉદી અરેબિયામાં વર્લ્ડ હેરિટેજ કમિટીના ૪૫મા સત્ર દરમિયાન લેવામાં આવ્યો હતો.

    થોડા મહિનાઓ પહેલા ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્‌સ એન્ડ સાઇટ્‌સ (ઈસીઓએમઓએસ)એ શાંતિનિકેતનને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવાની ભલામણ કરી હતી. ફ્રાંસમાં સ્થિત ઈસીઓએમઓએસઆંતરરાષ્ટ્રીય બિન-સરકારી સંસ્થા છે. આ સંસ્થામાં પ્રોફેશનલ, નિષ્ણાંતો, સ્થાનીય અધિકારી, કંપનીઓ અને હેરિટેજ સંસ્થાઓના પ્રતિનિધિઓ સામેલ છે અને આ દુનિયાના વાસ્તુશિલ્પ અને હેરિટેજ સ્થળોના સંરક્ષણ અને પ્રચાર માટે કામ કરે છે. કોલકાતાથી ૧૬૦ કિલોમીટર દુર સ્થિત શાંતિનિકેતન મૂળરૂપથી રવીન્દ્રનાથના પિતા દેબેન્દ્રનાથ ટાગોર દ્વારા બનાવવામાં આવેલ એક આશ્રમ હતું જ્યાં જાતિ અને સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના આવીને શિક્ષણ મેળવી શકતું હતું. મહર્ષિના નામે જાણીતા દેબેન્દ્રનાથ ટાગોર ભારતીય પુનરુજ્જીવનના અગ્રણી વ્યક્તિ હતા. તેમનાં દ્વારા નિર્મિત સંરચનાઓમાં શાંતિનિકેતન ઘર અને એક મંદિર હતું. યુનેસ્કોની વેબ સાઈટ પર કહેવામાં આવ્યું છે કે, ‘૧૯મી સદીના અંતમાં નિર્મિત બંને સંરચનાઓ શાંતિનિકેતનની સ્થાપના અને બંગાળ તથા ભારતમાં ધાર્મિક આદર્શોના પુનરુત્થાન અને પુનઃ અર્થઘટન સાથે સંકળાયેલા સાવર્ત્રિક ભાવના સાથેના તેમના જાેડાણમાં મહત્વપૂર્ણ છે.

    ભારતની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક શાંતિનિકેતનમાં સ્થિત વિશ્વભારતી માનવતા, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન, લલિત કલા, સંગીત, પર્ફોર્મિંગ આર્ટ્‌સ, શિક્ષણ, કૃષિ વિજ્ઞાન અને ગ્રામીણ પુનર્નિર્માણના ડિગ્રી અભ્યાસક્રમો પ્રદાન કરે છે. આ યુનિવર્સિટીની સ્થાપના રવીન્દ્રનાથ ટાગોરે કરી હતી. વર્ષ ૧૯૫૧માં સંસદના એક અધિનિયમ દ્વારા કેન્દ્રીય યુનિવર્સિટી અને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા જાહેર કરવામાં આવી હતી. વિશ્વભારતી પશ્ચિમ બંગાળની એકમાત્ર કેન્દ્રીય યુનિવર્સિટી છે અને તેના ચાન્સેલર પ્રધાનમંત્રી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Taiwan China tension news:તાઇવાન સંરક્ષણ મંત્રાલય અપડેટ

    July 2, 2025

    Waterfalls near Varanasi:વારાણસીથી 100 કિમીની અંદરના પર્યટન સ્થળ

    July 1, 2025

    Sawan Mehndi Design:સાવન માટે 6 સુંદર અને સરળ અરબી મહેંદી ડિઝાઈન્સ

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.