Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમા આવ્યું આરતીને લઈને થયેલા વિવાદમાં એક ભક્તનું જમીન પર પટકાતા મોત
    Gujarat

    સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમા આવ્યું આરતીને લઈને થયેલા વિવાદમાં એક ભક્તનું જમીન પર પટકાતા મોત

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 13, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સામાન્ય રીતે મંદિરોમાં ભક્તિ થવી જાેઈએ પરંતુ ભક્તિના બદલે અન્ય વિષયો પર આસક્તિ વધી જાય ત્યારે ભક્તિને સ્થાને વિવાદ સ્થાન લઈ લેતું હોય છે. આવો જ વિવાદ છાણી સ્થિત સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરમાં થયો અને આખરે એક ભક્તે જીવ ગુમાવ્યો. છાણી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરની સ્થાપના વર્ષ ૧૯૩૫માં થઈ હતી. જે તે સમયે તેજા ભગત નામના અનુયાયીએ પોતાની જામીન વડતાલ સ્વામિનારાયણ મંદિરને દાનમાં આપી હતી અને ત્યારથી જ વિવાદ શરૂ થયો હતો. જેમાં એક જ સમાજના બે પક્ષકારોની લડાઈમાં આજે નાયબ કલેકટરનો હુકમ મેળવ્યા બાદ મંદિરના તાળા બદલવા સમયે બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં ૬૦ વર્ષીય અનુયાયી અને મંદિરમાં આરતી ઉતારનાર દિનેશ મકવાણાનું ધક્કો વાગીને પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમને સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર મળે તે અગાઉ જ તેમનું મોત નિપજતા મૃતકના પરિવાર અને મંદિરની કમિટીના સભ્યોએ રોષ પ્રકટ કર્યો હતો.

    સમગ્ર વિવાદ જાેવા જાેઈએ તો છાણી સ્થિત સર્વે નંબર ૧૫૩ની શીટ નંબર ૮ની આ મંદિરની જમીન તેજા ભગતના નામે હતી. જેતે સમયે અહીં મંદિર બનાવવા માટે તેઓએ જમીન વડતેાલ સ્વામિનારાયણ મંદિરને દાનમાં આપી હતી. જે લક્ષ્મીનારાયણ દેવ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પોતાના તાબામાં હોવાની અરજી નાયબ કલેકટરને કરી હતી જેમાં ૨૦૧૮ માં નાયબ કલેકટરે આ મંદિરનો વહીવટ લક્ષ્મીનારાયણ દેવ ટ્રસ્ટની કમિટીને સોંપવાનો હુકમ કર્યો હતો.ત્યારથી જ સામે પક્ષે સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટના સભ્યો સાથે વિવાદ શરૂ થયો હતો.

    જેમાં ગત વર્ષે વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા મંદિરના જીર્ણોદ્ધાર માટે શ્રીરંગ સ્વામી અને અન્ય સ્વામીઓને મોકલ્યા હતા જ્યાં સ્વામિનારાયણ ટ્રસ્ટના દિનેશ પરમાર,દિનેશ મિસ્ત્રી સહિતના સભ્યોએ સંતોની તાળાબંધી કરી દેતા વિવાદ સર્જાયો હતો. બાદમાં આજ રોજ અગિયારસ હોવાથી લક્ષ્મીનારાયણ દેવ ટ્રસ્ટના અનુયાયીઓ આરતી કરવા જતાં અન્ય જૂથ ત્યાં પહોંચ્યું હતું અને બીજી આરતી કરવાની વાત કરતા મામલો બીચકયો હતો અને ધક્કો વાગતા પટકાઈ જતા દિનેશભાઈનું મોત થયું હતું. જેઓ રોજ આરતી કરતા હતા.જેને લઈને છાણી પોલીસ મથકનો સ્ટાફ મંદિરે પહોંચ્યો હતો અને પોલીસ કાર્યવાહી સામે પણ સવાલ ઉભા કર્યા હતા. મામલો ગંભીર થતા એસીપી ધર્મેન્દ્ર ચાવડા પણ ત્યાં પહોંચ્યા હતા અને સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી પેનલ પોસ્ટ મોર્ટમ બાદ આગળની કાર્યવાહી કરવાનું નિવેદન આપ્યું હતું.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    July 1 rule changes India:બિહાર ચૂંટણી અપડેટ

    July 1, 2025

    Weekly photo news highlights:ઈઝરાયલ ગાઝા હુમલા ફોટા

    July 1, 2025

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.