Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»સુરતનો હીરા ઉદ્યોગ ફરીથી મંદીમાં સપડાયો
    Gujarat

    સુરતનો હીરા ઉદ્યોગ ફરીથી મંદીમાં સપડાયો

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 25, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સુરતનો હીરા ઉદ્યોગ ફરી મંદીમાં સપડાયો છે. માર્કેટમાં મંદી આવતા જ હીરા ઉદ્યોગકારોએ ગુજરાત સરકાર પાસેથી પેકેજ આપવા માંગ કરી છે. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે. જેમાં તેઓએ જણાવ્યું કે, યુક્રેન રશિયા યુદ્ધ ના કારણે ૨૦ હજાર રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. તેમજ છેલ્લા ચાર માસમાં ૨૧ રત્ન કલાકારોએ જીવન ટૂંકાવ્યું છે. તેથી રત્નદીપ યોજના ફરી શરૂ કરવા માંગણી કરવામાં આવી છે.

    સુરતમાં ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ કાંકે સરકારને પત્રમાં જણાવ્યું કે, આપણા હીરાઉદ્યોગ માં અંદાજે ૨૦ લાખ રત્નકલાકારો કામ કરે છે અને હીરાઉધોગ આપણા માટે હંમેશા જીવાદોરી સમાન ઉધોગ રહ્યો છે હીરાઉધોગ થકી સમગ્ર વિશ્વમાં આપણું નામ ચમકતું થયું છે. તથા હીરાઉધોગ થકી સરકારને કરોડો ડોલર વિદેશી હુંડિયામણ પણ મળે છે. પરંતુ હીરા ઉધોગમાં કામ કરતા કામદારો એટલે કે રત્નકલાકારો છેલ્લા ઘણા સમયથી પાયમાલ થઈ રહ્યા છે અને હાલ ચાલી રહેલી ભયંકર મંદીના કારણે રત્નકલાકારોની હાલત કફોડી બની ગઈ છે. કેમ કે એક તરફ મોંધવારી વધી રહી છે ત્યારે બીજી તરફ મંદીને કારણે રત્ન કલાકારોના પગાર ઘટી રહ્યા છે. જેના કારણે રત્નકલાકારો ભારે આર્થિક સંકટમાં ફસાઈ ગયા છે.

    હીરા ઉધોગના રત્નકલાકારો કામદારની કેટેગરીમાં આવે છે અને મજુર કાયદા હેઠળના મળવાપાત્ર લાભો મેળવવાની પાત્રતા પાવે છે. પરંતુ હીરા ઉદ્યોગમાં વર્ષોથી મંજુર કાયદાનુ પાલન કરાવવામાં આવતુ નથી. જેના કારણે હીરા ઉદ્યોગમાં વર્ષોથી એકતકૉરફી વિકાસ થઈ રહ્યો છે. ઉદ્યોગકારો માલામાલ અને રત્ન કલાકારો પાયમાલ થઈ રહ્યું છે. કલાકારો હીરાની સાથે મળીને ઘસાઈ રહ્યાં છે.
    હાલ ભારે મંદીના કારણે સુરત શહેર મા છેલ્લા ચાર મહિનામાં અંદાજે ૨૧ રત્ન કલાકારોએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું છે. અને મોટી સંખ્યામાં રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. પ્રોડક્શન કાપની સીધી અસર રત્ન કલાકારોના પગાર પર પડી રહી છે. જેના કારણે એમને ઘરનું ગુજરાન ચલાવવામાં ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. તેથી સરકાર તાત્કાલિક આર્થિક પેકેજ જાહેર કરે.

    બેરોજગાર રત્નકલાકારો માટે સરકારે વર્ષ ૨૦૦૯ માં જાહેર કરેલી રત્નદીપ યોજના ફરી જાહેર કરવામાં આવે. જેથી રત્ન કલાકારોના પરિવારોને આર્થિક મદદ મળે. રત્ન કલાકારોએ સરકાર પાસેથી માંગ કરી કે, ૨૦૦૯ મા જાહેર કરેલી રત્નદિપ યોજના ફરી જાહેર કરવામાં આવે. બેરોજગારી અને આર્થિક સંકટના કારણે આપઘાત કરતા રત્નકલાકારોના પરિવારોને આર્થિક મદદ કરવામાં આવે. હીરા ઉદ્યોગમાં મજૂર કાયદાનું પાલન થવુ જાેઈએ. સુરત રત્નકલાકારી પાસેથી લેવામાં આવતો વ્યવસાય વેરો નાબૂદ કરાય. મંદીના કારણે જે રત્નકલાકારોની છટણી કરવામા આવે તેમને બોનસ પિરિયડનો પગાર આપવામાં આવે. રત્નકલાકારોને પ્રધાનમંત્રી આવાસ યોજના તથા મુખ્યમંત્રી આવાસ હેઠળ ઘરનું ઘર મળવું જાેઈએ.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

    July 10, 2025

    Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

    July 9, 2025

    Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.