Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»સુભાષ ઘાઈએ ખલનાયક ૨ની કરી જાહેરાત ૩૦ વર્ષ પછી ફરી સ્ક્રીન પર ધમાલ મચાવશે બલ્લુ
    Entertainment

    સુભાષ ઘાઈએ ખલનાયક ૨ની કરી જાહેરાત ૩૦ વર્ષ પછી ફરી સ્ક્રીન પર ધમાલ મચાવશે બલ્લુ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 24, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સની દેઓલની ફિલ્મ ગદર ૨ ની સફળતા બાદ પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈએ એક મોટી જાહેરાત કરી છે. તેણે કહ્યું કે તે હવે બહુ જલ્દી ‘ખલનાયક ૨’ લઈને આવી રહ્યા છે. સુભાષ ઘાઈએ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં જાહેરાત કરી છે કે તેઓ ટૂંક સમયમાં જ સંજય દત્ત સાથે ‘ખલનાયક ૨’ બનાવવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ વર્ષ ૧૯૯૩માં રિલીઝ થયેલી સંજય દત્ત, માધુરી દીક્ષિત અને જેકી શ્રોફની ફિલ્મ ‘ખલનાયક’ની સિક્વલ હશે. સુભાષ ઘાઈએ જણાવ્યું કે ‘ગદર ૨’ની સફળતાને જાેતા તેમણે ‘ખલનાયક ૨’ બનાવવાનો ર્નિણય લીધો છે. કારણ કે તેમને ઘણા મેસેજ મળી રહ્યા છે કે તમે ‘ખલનાયક ૨’ કેમ નથી બનાવી રહ્યા.

    તેથી તેઓ તેના પર વિચાર કરી રહ્યા છે અને તમને ટૂંક સમયમાં સમાચાર સાંભળવા મળશે..જેમાં સંજય સાથે એક બીજાે નવો સ્ટાર હશે. આ સાથે જ સંજય દત્તના ચાહકો માટે સારા સમાચાર છે કે ‘ખલનાયક’ ફરી એકવાર થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. ૩૦ વર્ષ બાદ આ ફિલ્મ ફરી સિનેમાઘરોમાં આવશે. આ અંગે માહિતી આપતા સુભાષ ઘાઈએ જણાવ્યું કે ‘ખલનાયક’ ૪ સપ્ટેમ્બરે રિલીઝ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ ફિલ્મ મુક્તા આર્ટ સિનેમા દ્વારા ૧૦૦ થી વધુ સ્ક્રીન્સ પર ફરીથી રિલીઝ કરવામાં આવશે. ખલનાયકએ તેની રિલીઝના ૩૦ વર્ષ પૂર્ણ કર્યા છે. આ ફિલ્મમાં સંજય દત્ત વિલનની ભૂમિકામાં જાેવા મળ્યો હતો. અભિનેતાની જબરદસ્ત એક્ટિંગે લોકોના દિલ જીતી લીધા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સંજય દત્ત આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘લિયો’માં વ્યસ્ત છે. આ ફિલ્મ આ વર્ષે ૧૯ ઓક્ટોબરના રોજ રિલીઝ થઈ રહી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Shweta Tiwari : શ્વેતા તિવારીએ પલકને બચાવવા માટે રાજા ચૌધરી સાથે કરી હતી ખાસ ડીલ

    June 30, 2025

    Ram Kapoor વિરુદ્ધ કાર્યવાહી: અપશબ્દ અને યૌન ટિપ્પણીઓનો વિવાદ

    June 24, 2025

    Sohail Khan and Seema Sajdeh Divorce: સોહેલ ખાન અને સીમા સજદેહના છૂટાછેડા કેમ થયા?

    June 24, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.