સની દેઓલની ફિલ્મ ગદર ૨ ની સફળતા બાદ પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈએ એક મોટી જાહેરાત કરી છે. તેણે કહ્યું કે તે હવે બહુ જલ્દી ‘ખલનાયક ૨’ લઈને આવી રહ્યા છે. સુભાષ ઘાઈએ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં જાહેરાત કરી છે કે તેઓ ટૂંક સમયમાં જ સંજય દત્ત સાથે ‘ખલનાયક ૨’ બનાવવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ વર્ષ ૧૯૯૩માં રિલીઝ થયેલી સંજય દત્ત, માધુરી દીક્ષિત અને જેકી શ્રોફની ફિલ્મ ‘ખલનાયક’ની સિક્વલ હશે. સુભાષ ઘાઈએ જણાવ્યું કે ‘ગદર ૨’ની સફળતાને જાેતા તેમણે ‘ખલનાયક ૨’ બનાવવાનો ર્નિણય લીધો છે. કારણ કે તેમને ઘણા મેસેજ મળી રહ્યા છે કે તમે ‘ખલનાયક ૨’ કેમ નથી બનાવી રહ્યા.
તેથી તેઓ તેના પર વિચાર કરી રહ્યા છે અને તમને ટૂંક સમયમાં સમાચાર સાંભળવા મળશે..જેમાં સંજય સાથે એક બીજાે નવો સ્ટાર હશે. આ સાથે જ સંજય દત્તના ચાહકો માટે સારા સમાચાર છે કે ‘ખલનાયક’ ફરી એકવાર થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. ૩૦ વર્ષ બાદ આ ફિલ્મ ફરી સિનેમાઘરોમાં આવશે. આ અંગે માહિતી આપતા સુભાષ ઘાઈએ જણાવ્યું કે ‘ખલનાયક’ ૪ સપ્ટેમ્બરે રિલીઝ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ ફિલ્મ મુક્તા આર્ટ સિનેમા દ્વારા ૧૦૦ થી વધુ સ્ક્રીન્સ પર ફરીથી રિલીઝ કરવામાં આવશે. ખલનાયકએ તેની રિલીઝના ૩૦ વર્ષ પૂર્ણ કર્યા છે. આ ફિલ્મમાં સંજય દત્ત વિલનની ભૂમિકામાં જાેવા મળ્યો હતો. અભિનેતાની જબરદસ્ત એક્ટિંગે લોકોના દિલ જીતી લીધા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સંજય દત્ત આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘લિયો’માં વ્યસ્ત છે. આ ફિલ્મ આ વર્ષે ૧૯ ઓક્ટોબરના રોજ રિલીઝ થઈ રહી છે.