Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»કન્જકટીવાઈટિસના કેસમાં નોંધપાત્ર વધારો અમદાવાદ સિવિલમાં કન્જકટીવાઈટિસ વાયરસના દરરોજ દોઢસો દર્દી
    Gujarat

    કન્જકટીવાઈટિસના કેસમાં નોંધપાત્ર વધારો અમદાવાદ સિવિલમાં કન્જકટીવાઈટિસ વાયરસના દરરોજ દોઢસો દર્દી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 25, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    હાલમાં અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં રોજના ૧૫૦ થી ૧૬૦ દર્દીઓ કન્જકટીવાઈટિસની અસર ધરાવતા સામે આવી રહ્યા છે. આ દરમિયાન એમ પણ માનવામાં આવી રહ્યુ છે કે, જે દર્દીઓને કોરાનાની અસર થઈ હોય એમને હાલમાં આ વાયરસ ઝડપથી અસર કરી રહ્યો છે. એટલે કે તેમને આ વાયરસ ઝડપથી ઇન્ફેક્શન કરતો હોય છે. આવુ અનેક તબિબોનુ માનવુ છે, પંરતુ આ માટે હજુ કોઈ રીતે પુરવાર થયુ નથી.
    કેટલાક તબિબો દ્વારા એમ પણ માનવામાં આવી રહ્યુ છે કે, કોરાનાની અસર દરમિયાન જેમણે સ્ટીરોઇડ લીધા હોય એમને કન્જકટીવાઈટિસ વાયરસ જલદી ઇન્ફેક્શન કરતા હોય છે. તો વળી આંખ આવવાના દર્દમાં પણ કેટલાક દર્દીઓ દ્વારા સ્ટીરોઇડ ધરાવતી દવાનો ઉપયોગ કરવામાં આવતી હોય છે. કન્જકટીવાઈટિસની સારવારમાં આ પ્રકારની દવાઓ આંખને માટે જાેખમી સાબિત થઈ શકે છે.

    સ્ટીરોઇડનો ઉપયોગ આંખમાં નાખવાની દવાના ટીંપામાં વધારે હોય તો, આંખોને નુક્શાન પહોંચી શકે છે. તબિબોનુ માનવુ છે કે, વધારે પડતી માત્રામાં ઉપયોગથી આંખ પણ ગુમાવવી પડી શકે છે. આ માટે તબિબોની સલાહ લીધા બાદ જ આંખમાં કોઈ પણ પ્રકારના દવાના ટીંપા નાંખવા જાેઈએ. એક્સપર્ટસ મુજબ તબીબોની સલા સિવાય ટીંપાનો ઉપયોગ કરવો જાેખમી સાબિત થઈ શકે છે. ભીડ ભાડ વાળા સ્થળો પર હાલમાં જવાનુ ટાળવા સાથે આંખો પર ચશ્માનો ઉપયોગ કરવો જાેઈએ. કન્જકટીવાઈટિસની અસર જણાતી હોય તો તુરત નજીકના આંખના તબીબની સલાહ લેવી જાેઈ અને સારવાર કરવી જાેઈએ. એક બીજાને ચેપ લાગતો અટકાવવા માટે આંખમાં લાલાશ તે દુઃખાવો જણાય તો લોકોની ભીડથી દૂર રહી સારવાર કરાવવી જાેઈએ અને ચેપ ફેલાતો અટાકાવવા માટે પ્રયાસ કરવો જાેઈએ.

    આરોગ્ય વિભાગ દ્વારા વ્યવસ્થા પણ કન્જકટીવાઈટિસના રોગને લઈ ઉભી કરવામાં આવી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ-જિલ્લા હોસ્પિટલ, જિલ્લા કક્ષાની હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે વાઈરલ કન્જકટીવાઈટિસની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Social media obsession:રીલ બનાવતો યુવાન

    July 4, 2025

    July 1 rule changes India:બિહાર ચૂંટણી અપડેટ

    July 1, 2025

    Weekly photo news highlights:ઈઝરાયલ ગાઝા હુમલા ફોટા

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.