Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»એક જ દિવસમાં ટ્રેનમાં આગની બીજી ઘટના ઉદયપુર-ખજુરાહ એક્સપ્રેસના એન્જિનમાં આગથી નાસભાગ
    India

    એક જ દિવસમાં ટ્રેનમાં આગની બીજી ઘટના ઉદયપુર-ખજુરાહ એક્સપ્રેસના એન્જિનમાં આગથી નાસભાગ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 19, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ઉદયપુરથી ખજુરાહો જઈ રહેલી ઉદયપુર-ખજુરાહો એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ગ્વાલિયરના સિથોલી સ્ટેશન પાસે ટ્રેનના એન્જિનમાં આગ લાગી હતી, જે બાદ મુસાફરોમાં હોબાળો મચી ગયો હતો. આગની જાણ થતાં જ લોકો પાયલોટે સિથોલી પાસે ટ્રેન રોકી અને કંટ્રોલ રૂમને જાણ કરી હતી. આ પહેલા બેંગલુરુના ક્રાંતિવીરા સંગોલ્લી રાયન્ના (કેએસઆર) રેલવે સ્ટેશન પર આજે સવારે ઉદ્યાન એક્સપ્રેસ ટ્રેનમાં પણ આગ લાગી ગઈ હતી.

    માહિતી મળતાની સાથે જ ગ્વાલિયરથી ફાયર સ્ટાફને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર સ્ટાફ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એન્જિનમાં આગ લાગવાને કારણે ટ્રેનોની અવરજવરને પણ અસર થઈ રહી છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

    મળેલ માહિતી મુજબ ઉદયપુર ખજુરાહો એક્સપ્રેસ ગ્વાલિયર સ્ટેશન પર તેના નિર્ધારિત સમય ૧૨ઃ૧૪ મિનિટના બદલે ૧૨ઃ૩૫ મિનિટ મોડી પહોંચી હતી. આ પછી ટ્રેન ૧૨ઃ૪૫ વાગ્યે ઝાંસી માટે રવાના થઈ હતી. જ્યારે તે ગ્વાલિયર સ્ટેશનથી લગભગ ૭ કિમી દૂર સિથોલી સ્ટેશન પાસે પહોંચી ત્યારે તેના એન્જિનમાં આગ લાગી ગઈ હતી. આગની જાણ થતાં જ લોકો પાયલટે ટ્રેન રોકી હતી. આ પછી કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. એન્જિનમાં આગ લાગી હોવાની લોકોને જાણ થતાં જ મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી. તમામ મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Jammu Police દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર, લોકોને સતર્ક રહેવાની અપીલ

    May 10, 2025

    Indian Army Press Conference: કર્નલ સોફિયાએ MEA પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- PAK દ્વારા કરવામાં આવેલા બધા હુમલા નિષ્ફળ ગયા

    May 10, 2025

    PIB fact check: પાકિસ્તાને ભારતીય પાયલટને પકડ્યો? ફાઈટર જેટ ક્રેશ થયો? PAКના 3 દાવાઓ, PIB ફેક્ટ ચેક દ્વારા પોલ ખોલી

    May 10, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.