Rs 500 Rupees Note: સરકારની નીતિ અંગે દિગ્ગજ નેતાનું મંતવ્ય
Rs 500 Rupees Note: નાયડુ માને છે કે સરકારના આ પગલાથી ભ્રષ્ટાચારનો અંત આવશે. નાયડુએ તેલુગુ દેશમ પાર્ટી (TDP) ના ત્રણ દિવસીય વાર્ષિક સંમેલન ‘મહાનાડુ’ ના ઉદ્ઘાટન સત્રમાં કડપા જિલ્લામાં હજારો કાર્યકરોને સંબોધિત કરતી વખતે આ વાત કહી.
Rs 500 Rupees Note: રિઝર્વ બેંક (RBI) એ તાજેતરમાં બેંક ATM માં 100 અને 200 રૂપિયાની નોટોની ઉપલબ્ધતા વધારવાનો આદેશ આપ્યો હતો. હવે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ ફરી એકવાર પોતાની જૂની માંગણીનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે કેન્દ્ર સરકારને 500 રૂપિયાની મોટી નોટોને ચલણમાંથી પ્રતિબંધિત કરવા અને ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા અપીલ કરી છે. નાયડુ માને છે કે સરકારના આ પગલાથી ભ્રષ્ટાચારનો અંત આવશે. નાયડુએ તેલુગુ દેશમ પાર્ટી (TDP) ના ત્રણ દિવસીય વાર્ષિક સંમેલન ‘મહાનાડુ’ ના ઉદ્ઘાટન સત્રમાં કડપા જિલ્લામાં હજારો કાર્યકરોને સંબોધિત કરતી વખતે આ વાત કહી.
ડિજિટલ કરન્સીથી ભ્રષ્ટાચારનો પર્દાફાશ સરળ
નાયડૂએ જણાવ્યું કે, 2016માં સરકારની નોટબંદીની કાર્યવાહી બાદ તેમણે વડાપ્રધાન મોદીજીને ડિજિટલ કરન્સી શરૂ કરવાનો સૂચન આપ્યું હતું. ડિજિટલ કરન્સીથી ચુકવણી કરવા પર ભ્રષ્ટાચાર શોધવો સરળ બની શકે છે. તેમણે કહ્યું કે ડિજિટલ પેમેન્ટથી રાજકીય દાન અને ખર્ચને ટ્રેસ કરી શકાય અને વધુ પારદર્શકતા આવશે. એનડીએના સહયોગી નાયડૂએ નીતિ આયોગ હેઠળ કેશલેસ ઈકોનોમી માટેનું રોડમેપ તૈયાર કરતી કેન્દ્રીય સમિતિની અધ્યક્ષતા પણ કરી હતી.