Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»એશિયા કપ પહેલા રવિ શાસ્ત્રીનું મોટું નિવેદન શિખર ધવનને તે સન્માન નથી મળ્યું જેનો તે હકદાર હતો
    Cricket

    એશિયા કપ પહેલા રવિ શાસ્ત્રીનું મોટું નિવેદન શિખર ધવનને તે સન્માન નથી મળ્યું જેનો તે હકદાર હતો

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 18, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    એશિયા કપ ૨૦૨૩ માટે ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી ચાલી રહી છે. વન-ડે વર્લ્ડ કપ પહેલા એશિયા કપ એક મોટી ટુર્નામેન્ટ છે અને ટીમ ઈન્ડિયા હજુ સુધી સ્થિર ટીમ તૈયાર કરી શકી નથી. પ્લેઈંગ ઈલેવન હોય કે કોમ્બિનેશન, ભારતીય ટીમ દરેક સ્તરે સંઘર્ષ કરી રહી છે. સુકાની રોહિત શર્મા સાથે કોણ ઓપનિંગ કરશે તે સૌથી મોટો સવાલ છે. ઈશાન કિશન અને શુભમન ગિલ આ રોલ માટે પ્રબળ દાવેદાર છે.

    આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ આગામી એશિયા કપ ૨૦૨૩ અને ૈંઝ્રઝ્ર મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ પર મોટું નિવેદન આપ્યું છે. રવિ શાસ્ત્રીએ સ્પષ્ટ કહ્યું કે શિખર ધવનને તે સન્માન નથી મળતું જે તે કદાચ હકદાર છે. તેમણે કહ્યું હતું કે, લોકોએ ક્યારેય શિખર ધવનને એટલી ક્રેડિટ નથી આપી, જે તેને મળવી જાેઈતી હતી. તે અદ્ભુત ખેલાડી છે. વન-ડે વર્લ્ડ કપ ૨૦૧૯ વિશે વાત કરતા શાસ્ત્રીએ કહ્યું હતું કે, જ્યારે અમે વર્ષ ૨૦૧૯માં વર્લ્ડ કપની સેમીફાઈનલ હારી ગયા ત્યારે ટીમે તેને ખૂબ જ મિસ કર્યો હતો. નોંધનીય છે કે તે વર્લ્ડ કપમાં, ધવન પ્રારંભિક તબક્કા પછી ઈજાગ્રસ્ત થયો હતો અને તેને બહાર થવું પડ્યું હતું. શાસ્ત્રીએ વધુમાં કહ્યું હતું કે ટોપ ઓર્ડરમાં ડાબોડી બેટ્‌સમેન રાખવાથી તમને મદદ મળે છે. જ્યારે બોલ સ્વિંગ થાય છે, ત્યારે તે જમણા હાથના બેટ્‌સમેન માટે અંદર આવે છે પરંતુ ડાબા હાથના બેટ્‌સમેન માટે બહાર જાય છે. આવી સ્થિતિમાં ડાબા હાથના બેટ્‌સમેન માટે રન નોંધાવવાનું સરળ રહે છે.

    ોબીસીસીઆઈએ ગયા મહિને સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાનારી આગામી હેંગઝોઉ એશિયન ગેમ્સ માટે ટીમની જાહેરાત કરી હતી. માનવામાં આવી રહ્યું હતું કે આ ટુર્નામેન્ટ માટે શિખર ધવનને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ મળશે, પરંતુ એવું થયું નહીં. ઋતુરાજ ગાયકવાડને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે જ્યારે ધવનનો ટીમમાં સમાવેશ પણ કરવામાં આવ્યો નથી. આ જાેઈને શિખર ધવન પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. તેણે એક નિવેદનમાં પોતાનું દર્દ પણ વ્યક્ત કર્યું હતું.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    T20 World Cup 2026: ટિકિટ કેવી રીતે બુક કરવી અને તેની કિંમત કેટલી છે તે જાણો

    December 12, 2025

    T20I Series 2025: અભિષેક શર્માનો ધમાકો, વર્ષમાં 50 છગ્ગા પૂરા કર્યા

    December 12, 2025

    T20 World Cup 2026: ટિકિટનું વેચાણ શરૂ, પ્રવેશ 100 રૂપિયાથી શરૂ

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.