ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં આ વખતે ચોમાસું કાળ બનીને આવ્યો હતો. અહીં જાન-માલનું મોટાપાયે નુકસાન થયું. ઉત્તરાખંડમાં આ વર્ષે આપત્તિ ૧૫ જૂનથી અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ પરિવારો ક્યારેય ન પૂરાઈ શકે તેવા ઘા આપી ગઈ. આ પરિવારોએ ૯૩ જેટલા સ્વજનોને ગુમાવી દીધા. જાેકે ૧૬ની તો હજુ ભાળ જ મળી નથી. આટલું જ નહીં ૫૧થી વધુ લોકો ઘવાયાનો આંકડો પણ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ૮૦ દિવસ સમગ્ર રાજ્ય પર ભારે વીત્યા હતા. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના આંકડા પર ધ્યાન આપીએ તો આપત્તિમાં ન ફક્ત જાનહાનિ થઈ છે પણ ૧૯૧૪ ઘરો ધરાશાયી થઈ ગયા છે. તેમાં ૫૬ નો તો નામોનિશાન જ મટી ગયો છે. જાેકે ૧૮૧ મકાનો રહેવા લાયક પણ રહ્યા નથી. બાકીના ઘરોને આંશિકરૂપે નુકસાન થયું છે. અતિવૃષ્ટિ, ભૂસ્ખલન તથા પૂર જેવી સ્થિતિઓને લીધે તમામ જિલ્લામાં નુકસાન થયું. રુદ્રપ્રયાગ જિલ્લામાં સર્વાધિક જાનહાનિ થઈ. અહીં ૨૧થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા. જાેકે ૧૩ની કોઈ ભાળ મળી નથી. પશુધનની વાત કરીએ તો અત્યાર સુધી ૭૭૯૮ ઢોર ઢાંખરના મોત નીપજ્યા છે. આ ઉપરાંત માર્ગો, પીવાના પાણીની સુવિધા, વીજલાઈનો સહિત જાહેર સંપત્તિને પણ મોટાપાયે નુકસાન થયું છે.
