Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»પાળતું કૂતરા બાબતે થઈ તકરાર સિક્યોરિટી ગાર્ડે બે પાડોશીઓને ઠાર માર્યા
    India

    પાળતું કૂતરા બાબતે થઈ તકરાર સિક્યોરિટી ગાર્ડે બે પાડોશીઓને ઠાર માર્યા

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 19, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ઈન્દોરમાં પાળતું કૂતરાને લઈને બે વ્યક્તિઓ વચ્ચે થયેલી તકરારે જાણે હિંસક રૂપ ધારણ કર્યું હોય તેમ બે લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે. પોલીસે જણાવ્યું છે કે ઈન્દોરમાં ગુરૂવારે આ ઘટના બની હતી. જેમાં રાજપાલ સિંહ રાજાવત નામના એક વ્યક્તિએ પોતાના ઘરની બાલ્કનીમાંથી ઓપન ફાયરિંગ કર્યું હતું જેમાં બે લોકોના મોત થયા હતા અને છ લોકોને ઈજા થઈ હતી. રાજપાલ સિંહ રાજાવાત સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને પોતાના પાળતું કૂતરાને લઈને થયેલી તકકારમાં તેણે બે લોકોને ઠાર માર્યા છે.

    રાજાવત અને તેમના ૩૫ વર્ષીય પાડોશી વિમલ અચાલા ગુરૂવારે રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ ક્રિષ્નાબાગ કોલોનીમાં એક સાંકડી લેન પરથી પોત-પોતાના પાળતું કૂતરા સાથે પસાર થઈ રહ્યા હતા. તેવામાં બંને કૂતરા એકબીજા સાથે ઝઘડી પડ્યા હતા. જેના કારણે રાજાવત અને અચાલા વચ્ચે તકરાર થઈ હતી. ત્યારબાદ રાજાવત પ્રથમ માળે આવેલા પોતાના ઘરે ગયા હતા અને પોતાની ૧૨ બોરની રાઈફલમાંથી અચાલા પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાનો ભયાનક વિડીયો પણ વાયરલ થયો છે જેમાં રાજાવતે પહેલા તો ચેતવણી આપવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ રાજાવતે નીચે શેરીમાં ફાયરિંગ કર્યું હતું. જેના કારણે નીચે નાસભાગ અને બૂમાબૂમ શરૂ થઈ ગઈ હતી. આ ફાયરિંગમાં અચાલા અને તેના ૨૭ વર્ષીય પાડોશી રાહુલ વર્માનું મોત થયું હતું. બંનેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

    આ ફાયરિંગની ઘટનામાં અન્ય છ લોકોને ઈજા થઈ હતી અને તેમાંથી કેટલાકને બૂલેટથી પણ ઈજા થઈ હતી જેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમાંથી બે જણા ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે તેમ પોલીસે જણાવ્યું હતું. આ ઘટનામાં પોલીસે રાજાવતની ધરપકડ કરી હતી. આ ઉપરાંત તેના પુત્ર સુધીર અને અન્ય એક સંબંધી શુભમની પણ ધરપકડ કરી હતી. રાજવાત મૂળ ગ્વાલિયરનો રહેવાસી છે અને તેની પાસે લાઈસન્સવાળી ૧૨ બોર રાઈફલ હોવાના કારણે તેને એક ખાનગી કંપનીએ સિક્યોરિટી ગાર્ડ તરીકે જાેબ પર રાખ્યો હતો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Electricity Futures: બજારમાં નક્કી થશે વીજળીના ભાવ! NSE 11 જુલાઈથી લાવશે ‘ઈલેક્ટ્રિસિટી ફ્યુચર્સ’, જાણો કેવી રીતે થશે ફાયદો

    June 28, 2025

    Shubhanshu Shukla ISS Mission: શુભાંશુ શુક્લાનો અંતરિક્ષ પ્રવાસ: ISS પહોંચવાનું ટાઈમ, મિશનની અવધિ અને સફળતાની ખાસ વાતો

    June 25, 2025

    DGCA Action on Air India: એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના બાદ DGCA નું કડક પગલું

    June 21, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.