Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»બાળકોને નવા પુસ્તકો આપવા આયોજન પૂરગ્રસ્ત શાળામાં પુસ્તકો પલળી જવા અંગેની છાત્રોની વ્યથા તંત્રએ સાંભળી
    Gujarat

    બાળકોને નવા પુસ્તકો આપવા આયોજન પૂરગ્રસ્ત શાળામાં પુસ્તકો પલળી જવા અંગેની છાત્રોની વ્યથા તંત્રએ સાંભળી

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 21, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગુજરાતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી સાવર્ત્રિક વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નદી-નાળાઓ છલકાઇ ગયા છે. ઉપરવાસમાંથી પણ ભારે વરસાદના પગલે નર્મદાના સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી હતી. જેના પગલે ડેમમાંથી નર્મદા ડેમમાં પાણી છોડવાની ફરજ પડી હતી. જે પછી નર્મદા નદીમાં આવેલા પૂરને કારણે વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોમાં ઘૂસી ગયા હતા અને પુસ્તકો પલળી ગયા હતા.

    વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોમાં નર્મદા નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે પ્રાથમિક શાળાઓમાં પાઠ્‌ય પુસ્તકો પલળી ગયા હતા.આ વિસ્તારોમાં રાહતના કામોનું નિરીક્ષણ કરવા માટે ગ્રામ વિસ્તારોમાં પહોંચેલા કલેક્ટર અતુલ ગોર અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા સમક્ષ કેટલાક બાળકોએ પોતાની વ્યથા પ્રસ્તુત કરી હતી. બાળકોએ જણાવ્યુ હતુ કે પ્રાથિમક શાળામાં અભ્યાસ માટેના તેમના પુસ્તકો પલળી ગયા છે. બાળકોની આ સાંભળી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવા બાળકોને નવા પાઠ્‌ય પુસ્તકો આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

    વડોદરા જિલ્લામાં નર્મદા નદીના રોદ્ર રૂપથી આવેલા આપત્તિથી ભારે તારાજી સર્જાઇ છે. જે ઘરોમાં પાણી ઘૂસી જવાથી નુકસાન થયું છે, તેનો સર્વે ચાલી રહ્યો છે. ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચેલા બે અધિકારીઓ સમક્ષ ઘરવખરી, વેપારવાણિજ્ય અને કૃષિમાં થયેલા નુકસાનની રજૂઆતો આવી હતી. પૂરના કારણ કોઇ જાનહાની તો થઇ નથી પણ આ પૂરની અસર બાળકોના શિક્ષણ પર પડી છે. શાળામાં રહેલા બાળકોના પુસ્તરો પલળી ગયા છે. જાે કે કોઇ ગ્રામજનોએ પોતાના બાળકને શિક્ષણમાં થયેલા નુકસાનની વાત કરી ન હતી.

    અધિકારીઓએ કેટલાક ગામોમાં બાળકોને મળીને પૂછપરછ કરી કે તમારા પુસ્તકોની સ્થિતિ શું છે ? ત્યારે બાળકોએ જવાબ આપ્યો કે તેમના પાઠ્‌યુ પુસ્તકો પલળી ગયા છે. આ બાબતને ધ્યાને રાખી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરની આપદામાં પ્રથમ વખત આ ગામોમાં નવા પુસ્તકો અપાવવાનો ર્નિણય લીધો હતો.

    કલેક્ટરે આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી સાથે બેઠક કરી હતી.
    આ ગામોની શાળામાં જે છાત્રોના પાઠ્‌ય પુસ્તકો પલળી ગયા છે.તેમને નવા પુસ્તકો આપવા માટે સૂચના આપવામાં આવી છે. ગુજરાત રાજ્ય પાઠ્‌ય પુસ્તક મંડળ પાસેથી પુસ્તકો મંગાવી બાળકોને નિયત સમય મર્યાદામાં વિતરિત થઇ જાય, એની ચોક્કસાઇ રાખવાનું પણ સંબંધિત અધિકારીને કલેક્ટરે જણાવ્યુ છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    July 1 rule changes India:બિહાર ચૂંટણી અપડેટ

    July 1, 2025

    Weekly photo news highlights:ઈઝરાયલ ગાઝા હુમલા ફોટા

    July 1, 2025

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.