Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત વધારાયો પ્રિયજનો સાથે દિવાળી ઉજવવા વતન જવા લોકોની પડાપડી
    Gujarat

    પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત વધારાયો પ્રિયજનો સાથે દિવાળી ઉજવવા વતન જવા લોકોની પડાપડી

    Shukhabar DeskBy Shukhabar DeskNovember 12, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન સુરત વિભાગ દ્વારા અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલના મુસાફરો માટે દિવાળી પૂર્વે ૪૦૦ કરતા વધુ વધારાની બસો રવાના કરવામાં આવી છે. તે જ સમયે ચાલુ ટિકિટ સાથે મુસાફરી કરતા મુસાફરો માટે બસો હજુ પણ કાર્યરત છે. ટ્રેનમાં ચઢવાની ભગદડનીઘટના બાદ બસ માટે પણ મુસાફરોની ભીડને કાબુમાંરાખવા પ્રયાસ વધારવામાં આવ્યા છે.

    સુરત એસટી વિભાગ દ્વારા જણાવાયું હતું કે દિવાળીના તહેવારને કારણે ૭ થી ૧૧ નવેમ્બર દરમિયાન વધારાની બસો ચલાવવામાં આવી રહી હતી. એડવાન્સ ગ્રુપ બુકિંગ અને ઓનલાઈન દ્વારા ૭૬૦ બસોનું બુકિંગ થઈ ચૂક્યું છે. જેના કારણે સુરત એસટી વિભાગને અંદાજે ૧.૫ કરોડની આવક થઈ છે.

    ૭ નવેમ્બરના પ્રથમ દિવસે, ૪૯ વધારાની બસો ચલાવવામાં આવી હતી, જેમાં ૨૪૯૫ મુસાફરોએ મુસાફરી કરી હતી અને વિભાગને ૮,૬૫,૯૬૨ રૂપિયાની કમાણી થઈ હતી. ૮ નવેમ્બરે બીજા દિવસે ૨૦૩ બસો દોડાવવામાં આવી હતી. આ ઉપરાંત ગુરૂવારે ગ્રૂપ બુકિંગ માટે ૧૨૦, ઓનલાઈન બુકિંગ માટે ૫૧ અને ચાલુ બુકિંગવાળા મુસાફરો માટે ૭૦ સહિત કુલ ૨૪૧ બસોને ગુરુવારે અલગ-અલગ સ્થળોએ મોકલવામાં આવી છે. વધુમાં ઉમેર્યું કે વધારાની બસો મોડી રાત સુધી ચાલુ રહેશે, જેના કારણે બસોની સંખ્યામાં ફેરફાર શક્ય છે.

    સરકારી વિભાગ અનુસાર દિવાળી અને છઠના તહેવારો પર ઘરે આવતા લોકોની મુસાફરીને સરળ બનાવાવ પ્રયાસ કરાયો છે. યોગી સરકાર દ્વારા પણ યુપી જનારા લોકો માટે વધારાના પરિવહનની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે દિવાળી છે અને છઠ ૧૯ નવેમ્બરે છે. જેને ધ્યાનમાં રાખીને વાહનવ્યવહાર નિગમ દ્વારા રાજ્યના લોકોને સારી પરિવહન સુવિધા મળી રહે તે માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.

    દિવાળીના તહેવારની દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જુએ છે. લોકો એક અઠવાડિયું અગાઉથી તૈયારી કરવા લાગે છે. મોટી દિવાળીની રાત્રે ચારેબાજુ ઉજ્જવળ અને ચકચકિત વાતાવરણ હોય છે. માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ઘરો, દુકાનો વગેરે દીવાઓના પ્રકાશથી ઝળહળી ઉઠે છે. દરેક વ્યક્તિ આ તહેવારને પોતાના પ્રિયજનો સાથે ઉજવવા વતન જવા ઈચ્છતો હોય છે જેથી બસ અને ટ્રેનમાં ખુબ ભીડ જાેવા મળે છે. સુરતમાં આ ભીડમાં દુર્ઘટના સર્જાઈ હતી.જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હ

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.