Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»પાલનપુર નજીક લૂંટ કેસમાં પાટણ LCB મળી સફળતા છ કરોડની લૂંટમાં પાંચ શખ્સોને ઝડપી લેવાયા
    India

    પાલનપુર નજીક લૂંટ કેસમાં પાટણ LCB મળી સફળતા છ કરોડની લૂંટમાં પાંચ શખ્સોને ઝડપી લેવાયા

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 6, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બનાસકાંઠાના પાલનપુર નજીક ૬ કરોડથી વધુના માલની લૂંટ કેસમાં પાટણ ન્ઝ્રમ્ને મોટી સફળતા મળી હતી. ઘટનાના ગણતરીના કલાકોમાં પોલીસે લૂંટ કરીને ફરાર થયેલા પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા. તમામ આરોપીઓને ડીસા-પાટણ રોડ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા. મળતી જાણકારી અનુસાર, પાલનપુરના ચડોતર પાસે ૧૦ કિલો સોનાની લૂંટની ઘટનાને અંજામ આપનાર પાંચ આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. અમદાવાદના ઋષભ જ્વેલર્સના ત્રણ કર્મચારીઓ સોના-ચાંદીના દાગીના અને હીરા લઈને ડીસાથી પાલનપુર જઇ રહ્યા હતા ત્યારે અજાણ્યા બુકાનીધારીઓએ તેમની કારને આંતરી હતી અને લૂંટ ચલાવી હતી. લૂંટારુઓએ સોની વેપારી પાસે રહેલા સોના, હીરા અને રોકડ મળી ૬ કરોડના લૂંટ ચલાવી હતી. લૂંટારૂઓ લૂંટ ચલાવી ફરાર થઈ જતા વેપારીએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત પોલીસની ક્રાઈમબ્રાંચ, ર્જીંય્ સહિતની એજંસીઓ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને અલગ અલગ ટીમ બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી તપાસ શરૂ કરી હતી. પોલીસે લૂંટારૂઓને ઝડપી લેવા જિલ્લાભરમાં નાકાબંધી કરી હતી.

    જેને પગલે પાંચેય આરોપીઓ ડીસા-પાટણ રોડ પરથી ઝડપાયા હતા. હાલ આ કેસમાં પોલીસે વેપારીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. નોંધનીય છે કે બે દિવસ અગાઉ સુરતમાં ૧ કરોડથી વધુના હીરાના લૂંટ કેસમાં ૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ફક્ત ત્રણ કલાકમાં ડિટેક્શન કરી ૪.૫૮ કરોડ નો હીરાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. સુરતના સરથાણામાં શ્યામધામ મંદિર પાસે આંગડિયામાં એક કરોડથી વધુના ડાયમંડ પાર્સલની લૂંટથી ચકચાર મચી ગઈ હતી. ગુજરાત આંગડિયા પેઢીમાં ઇકો કારમાં આવેલા ૪ અજાણ્યા શખ્સો લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. લૂંટારા જે દિશામાં ભાગ્યા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. ગુજરાત આંગડિયા પેઢીમાં બંદૂક અને ધારિયા સાથે ધસી આવેલા ૪ થી ૫ લૂંટારુઓ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. તેમણે રિવોલ્વર બતાવીને કરી લૂંટ કરી હતી. સરથાણા પોલીસ અને પીસીબી, ડીસીબીનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસ હાથ ધરી છે.વલસાડ ન્ઝ્રમ્ એ લૂંટારૂઓને ઝડપી પાડ્યા હતા. નવસારી વલસાડ હાઇવે પરથી લૂંટારુઓ ઝડપાયા હતા. તેમની પાસેથી હીરાનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Education: અમેરિકામાં અભ્યાસ: રહેવાનો વાસ્તવિક ખર્ચ કેટલો છે?

    August 22, 2025

    PM Modi: લોકસભા અને રાજ્યસભા સ્થગિત, વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા

    August 21, 2025

    Rahul Gandhi: રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન અકસ્માત

    August 21, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.