Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»આવા લોકોના પાસપોર્ટ અને OIC કાર્ડ રદ કરાશે સરકારની ખાલિસ્તાની આતંકીઓ સામે મોટી કાર્યવાહીની તૈયારી
    India

    આવા લોકોના પાસપોર્ટ અને OIC કાર્ડ રદ કરાશે સરકારની ખાલિસ્તાની આતંકીઓ સામે મોટી કાર્યવાહીની તૈયારી

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 24, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સરકાર ખાલિસ્તાની આતંકવાદીઓ સામે વધુ એક મોટી કાર્યવાહીની તૈયારી કરી રહી છે. સૂત્રોએ માહિતી આપી છે કે સરકાર વિદેશમાં ભારતીય સંપત્તિની તોડફોડ કરનારા અને ત્યાં હિંસક વિરોધ પ્રદર્શન કરનારા ખાલિસ્તાનીઓને બચાવવાના મૂડમાં નથી. આવા લોકોના પાસપોર્ટ અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OIC) કાર્ડ રદ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. એવું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે કે ભારતીય એજન્સીઓ પણ આ મામલે તપાસ શરૂ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિદેશમાં ભારતીય સંસ્થાઓ, વાણિજ્ય દૂતાવાસ અને દૂતાવાસને નુકસાન પહોંચાડનારા અથવા ત્યાં હિંસક વિરોધ કરનારા લોકોના ભારતીય પાસપોર્ટ અને OCI કાર્ડ્‌સ રદ કરવામાં આવી શકે છે. આટલું જ નહીં, તેમની સંપૂર્ણ માહિતી ભારતના તમામ એરપોર્ટને આપવામાં આવશે અને ભારતમાં તેમની સામે કાયદાકીય કાર્યવાહીની બ્લુ પ્રિન્ટ પણ તૈયાર કરવામાં આવશે.

    એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન થયેલા તમામ હિંસક પ્રદર્શનોની તમામ વિગતો કેનેડા, અમેરિકા, બ્રિટન અને અન્ય દેશોને આપવામાં આવી છે. શરૂઆતમાં એવા લોકોની યાદી બનાવવામાં આવી રહી છે, જેઓ આવા પ્રદર્શનમાં સતત સક્રિય છે. તેમનો ઉદ્દેશ્ય ભારતની છબી ખરાબ કરવાનો છે.

    તમને જણાવી દઈએ કે ભારતીય સુરક્ષા એજન્સીઓએ ખાલિસ્તાની ષડયંત્ર પર ડબલ સ્ટ્રાઈક કરી છે. ભારતમાં આતંકવાદીઓની સંપત્તિ જપ્ત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે દ્ગૈંછએ આવા ૨૫ આતંકીઓની યાદી તૈયાર કરી છે. ગઈકાલે દ્ગૈંછએ ચંદીગઢમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની સંપત્તિ જપ્ત કરી હતી. પન્નુ ભારતમાં મોસ્ટ વોન્ટેડ છે. ભારતમાં ઘણી ગંભીર કલમો હેઠળ તેની સામે કેસ નોંધાયેલા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.