Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»હવે બંને ક્યારે કરશે લગ્ન? અક્ષય મહાત્રે સાથેના શ્રેણુ પરીખના સંબંધોને પરિવારે આપી લીલી ઝંડી
    Entertainment

    હવે બંને ક્યારે કરશે લગ્ન? અક્ષય મહાત્રે સાથેના શ્રેણુ પરીખના સંબંધોને પરિવારે આપી લીલી ઝંડી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 24, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મૈત્રીમાં લીડ રોલ પ્લે કરી રહેલી શ્રેણુ પરીખ શોના એક્સટેન્શથી હાલ ખુશ છે. ફેબ્રુઆરીમાં લોન્ચ થયેલો આ શો જુલાઈ મહિનાના ગત અઠવાડિયે ઓફ એર થવાનો છે. પરંતુ મેકર્સે એકાએક ર્નિણય બદલી નાખ્યો. વાતચીત કરતાં એક્ટ્રેસે જણાવ્યું હતું કે ‘જ્યારે એક્સટેન્શનના સમાચાર મળ્યા ત્યારે હું સેટ પર નહોતી, પરંતુ અમારી ટીમે તે ક્ષણનું સેલિબ્રેશન કર્યું હતું. હું ખુશ છું કારણ કે ચોમાસામાં શો બંધ થાત તો એ ખાસ કરીને ક્રૂ માટે વધારે મુશ્કેલ રહેત. શો વધુ બેથી ત્રણ અઠવાડિયા ચાલશે અને જાે સારું રેટિંગ મળ્યું તો તે તેનાથી પણ આગળ ચાલી શકે છે’. શ્રેણુએ પ્રોફેશનલની સાથે-સાથે પર્સનલ લાઈફ વિશે પણ વિગતવાર વાત કરી હતી. જણાવી દઈએ કે, તે ‘ઘર એક મંદિરઃ કૃપા અગ્રેસન મહારાજ કી’ના કો-એક્ટર અક્ષય મહાત્રેને ડેટ કરી રહી છે. આ વર્ષની શરૂઆતમાં અક્ષય મહાત્રે સાથેના સંબંધોને જાહેર કરનાર શ્રેણુ પરીખે કહ્યું હતું કે ‘અક્ષય તેવો વ્યક્તિ છે જેની મુલાકાત તમે તમારા માતા-પિતા સાથે કરાવવાનું પસંદ કરશે. અમે ઘણી બધી રીતે સરખા છીએ. તે જાેઈન્ટ ફેમિલીમાં મોટો થયો છે અને તે જે રીતે પરિવારના દરેક સભ્યની સંભાળ રાખે છે તે મને ગમે છે. હું અઘરી વ્યક્તિ છું, પરંતુ તે મારા નાટકોને સારી રીતે સંભાળુ છું.

    તે લાગણીશીલ છે અને સમજુ છે. પ્રોફેશનલ ફ્રંટની વાત કરીએ તો, અમને ફરીથી સાથે કામ કરવાનું ગમશે. અમારા પરિવારે એકબીજા સાથે મુલાકાત કરી લીધે છે, અમને વડીલો તરફથી ગ્રીન સિગ્નલ મળી ગયું છે. અમે લગ્ન તરફ આગળ વધી રહ્યા છીએ. પરંતુ લગ્ન ત્યારે જ કરીશું જ્યારે અમને લાગે કે અમે તૈયાર છે. શ્રેણુ પરીખનું કહેવું છે કે, ટીવીમાં સફળતા મેળવવાનો કોઈ જ ફોર્મુલા નથી. તેણે ઉમેર્યું હતું કે ‘કોવિડ ૧૯ બાદ કંઈ જ સરળ નથી. મને લાગે છે કે ટીવી પાસે હજી પણ મિક્સ દર્શકો છે. કેટલાક લોકો એવા છે જેમને સાસુ-વહુના ડ્રામા ગમે છે. આ મીડિયમ અખતરા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ સફળતા મેળવવાની કોઈ ફોર્મુલા નથી. ટીવી મારું કમ્ફર્ટ ઝોન છે, પરંતુ હું ગુજરાતી અને હિંદી તેમ બંને ઓટીટી પ્લેટફોર્મમાં કામ કરવા માટે તૈયાર છું. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું જરૂરી છે. શ્રેણુ પરીખે કહ્યું હતું કે, તે ગુજરાતી ફિલ્મો કરવા માટે પણ તૈયાર છે. ‘મેં ૨૦૧૮માં લાંબો રસ્તોથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. ગુજરાતી ફિલ્મો સારું કામ કરી રહી છે. જાે સારો રોલ હશે તો હું વધુ ગુજરાતી ફિલ્મો કરવાનું પસંદ કરીશ’.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Aishwarya Rai Bachchan વ્યક્તિત્વ અધિકારોના રક્ષણ માટે દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યા

    September 9, 2025

    Akshay Kumar ના જન્મદિવસની ખાસિયત: ફિટનેસ, નેટવર્થ અને વૈભવી જીવનશૈલી

    September 9, 2025

    Shweta Tiwari : શ્વેતા તિવારીએ પલકને બચાવવા માટે રાજા ચૌધરી સાથે કરી હતી ખાસ ડીલ

    June 30, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.