Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»હવે ૨૨ સપ્ટેમ્બરે રોવર સક્રિય કરાશે ચંદ્ર પર રાત પડી, ચંદ્રયાન ૩નું રોવર સ્લીપ મોડમાં જતું રહ્યું
    India

    હવે ૨૨ સપ્ટેમ્બરે રોવર સક્રિય કરાશે ચંદ્ર પર રાત પડી, ચંદ્રયાન ૩નું રોવર સ્લીપ મોડમાં જતું રહ્યું

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 3, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારતે ચંદ્ર પર ઉતારેલા ચંદ્રયાન ૩ના રોવર પ્રજ્ઞાને તેનું કામ પૂર્ણ કરી લીધું છે અને હવે ત્યાં રાત પડી રહી હોવાથી તે સ્લીપ મોડમાં જતું રહ્યું છે. ચંદ્ર પર રાતના સમયે તાપમાન શૂન્યથી ઘણું નીચે જતું રહે છે જેના કારણે આટલા ઠંડા વાતાવરણમાં વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ટકી શકે છે કે નહીં તે જાેવાનું રહે છે. પ્રજ્ઞાનને જે યોજના સાથે મોકલવામાં આવ્યું હતું તે સફળ થયું છે અને થોડા દિવસો પછી ફરી તેને સક્રિય કરવા માટે ઈસરો પ્રયાસ કરશે. જાેકે, ચંદ્રના સાઉથ પોલ પર ફરી સૂર્યોદય થશે ત્યારે રોવર અને લેન્ડર બરાબર કામ કરી શકશે કે નહીં તે નક્કી નથી. સામાન્ય રીતે અત્યંત નીચા તાપમાનમાં દિવસો સુધી રહેવાના કારણે રોવર અને લેન્ડરના ઉપકરણો ખરાબ થઈ જતા હોય છે.ઈસરોએ એક ટિ્‌વટ કરીને જણાવ્યું કે રોવરે તેનું એસાઈનમેન્ટ પૂર્ણ કર્યું છે. હવે તેને સુરક્ષિત રીતે પાર્ક કરી દેવાયું છે અને તે સ્લીપ મોડમાં જતું રહ્યું છે. તેના છઁઠજી અને ન્ૈંમ્જી પેલોડને બંધ કરી દેવાયા છે. આ પે લોડ પરનો ડેટા લેન્ડર દ્વારા પૃથ્વી પર ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે.

    મહત્ત્વની વાત એ છે કે ઈસરોએ જણાવ્યા પ્રમાણે પ્રજ્ઞાન રોવરની બેટરી ફુલ ચાર્જ કરવામાં આવેલી છે અને તેની સોલર પેનલને એવી રીતે ગોઠવવામાં આવી છે જેથી હવે સૂર્યોદય થાય ત્યારે સૂર્યના કિરણો સીધા તેના પર પડશે. આગામી સૂર્યોદય લગભગ ૨૦ દિવસ પછી ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ થશે. રોવરનું રિસિવર ચાલુ છે અને આગામી દિવસોમાં તેને ફરીથી જગાડવા માટે ઈસરો પ્રયાસ કરશે. જાે તેમાં સફળતા નહીં મળે તો આ રોવર ચંદ્ર પર ભારતના દૂત તરીકે હંમેશા માટે ત્યાં રોકાશે.
    ઈસરોના વડા એસ સોમનાથે શનિવારે કહ્યું હતું કે મૂન મિશનના રોવર અને લેન્ડર બંને વ્યવસ્થિત રીતે કામ કરી રહ્યા છે. છેલ્લી માહિતી પ્રમાણે પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડર એકબીજાથી ૧૦૦ મીટર દૂર હતા. તેમણે ત્યારે જ કહી દીધું હતું કે હવે આ બંને યંત્રને સ્લીપ મોડમાં લઈ જવાના રહેશે કારણ કે જેથી કરીને તે ચંદ્ર પરના રાત વીતાવી શકે.

    ૨૩ ઓગસ્ટે ભારતે ચંદ્રયાન ૩નું ચંદ્રના સાઉથ પોલર પર સફળતાપૂર્વક ઉતરાણ કરાવ્યું હતું. આ સિદ્ધિ મેળવનારો ભારત માત્ર ચોથો દેશ છે. અગાઉ અમેરિકા, ચીન અને રશિયાએ આ સિદ્ધિ મેળવેલી છે. આ ઉપરાંત બીજી સપ્ટેમ્બરે ભારતે આદિત્ય એલ-૧ રોકેટને પણ સૂર્ય વિશે સંશોધન કરવા મોકલ્યું છે જે ૧૫ લાખ કિમીનું અંતર કાપીને મહિનાઓ પછી સ્થિર થશે.
    શ્રી હરિકોટા ખાતે સતીષ ધવન સ્પેસ સેન્ટર ખાતે આદિત્ય એલ-૧ના લોન્ચિંગ પછી સોમનાથે જણાવ્યું કે લેન્ડર અને રોવર હજુ પણ કામ કરે છે અને ઘણું બધું કામ કરે છે. બે દિવસની અંદર ચંદ્ર પર રાત શરૂ થવાની હોવાથી તેને બંધ કરી દેવામાં આવશે. રોવર પર મોકલવામાં આવેલા જુદા જુદા ઈન્સ્ટ્રૂમેન્ટ દ્વારા અત્યાર સુધી અમુક અભ્યાસ કરવામાં આવે છે. આ દરમિયાન સલ્ફરની હાજરી શોધી કાઢવામાં આવી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.