Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»ઓલપાડ તાલુકામાં રૂ.૧.૮૩ કરોડના ખર્ચે ગ્રામ પંચાયત અને પાણી પુરવઠાના વિકાસકાર્યોનંં ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
    Gujarat

    ઓલપાડ તાલુકામાં રૂ.૧.૮૩ કરોડના ખર્ચે ગ્રામ પંચાયત અને પાણી પુરવઠાના વિકાસકાર્યોનંં ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 27, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    વન અને પર્યાવરણ, જળસંપતિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકામાં કુલ રૂ.૧.૮૩ કરોડના ખર્ચે ગ્રામ પંચાયત અને પાણી પુરવઠાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં રાજનગર ગામે રૂ.૬૮.૧૪ લાખના ખર્ચે ૨ નંગ બોર અને ૫.૫ કિ.મી પાઈપલાઈનના કામનું લોકાર્પણ, નિહોળાનગર ખાતે ઓલપાડ ગૃપ ગ્રામ પંચાયતના રૂ.૧.૩૩ કરોડ વિવિધ વિકાસના કામ પૈકી રૂ.૧.૧૪ કરોડના કામોનું ઈ-ખાતમુહૂર્ત અને રૂ.૧૮.૩૯ લાખના કામોનું ઈ-લોકાર્પણ મંત્રીશ્રીએ કર્યું હતું.

    આ પ્રસંગે મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઓલપાડ તાલુકો ઉત્તરોત્તર વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે, ત્યારે ગ્રામજનોને રસ્તા, વિજળી અને પીવાના પાણીની મુશ્કેલી ન સર્જાય તે માટે સરકાર સતત કાર્યરત છે. વિકાસકાર્યો અને જનલક્ષી યોજનાઓના સુચારુ અમલીકરણ દ્વારા વિકાસના ફળો સમાજના તમામ વર્ગોના લોકોને મળે તે માટે રાજ્ય સરકાર હરહંમેશ તત્પર હોવાનું જણાવતાં જરૂરિયાત ધરાવતા ગામોને જોડતા રસ્તા બનાવી રોડ કનેક્ટિવિટી વધારવાની પણ મંત્રીશ્રીએ ખાતરી આપી હતી.

    મંત્રીશ્રીએ જનઆરોગ્ય માટે સરકારે લીધેલા પગલાંઓ વર્ણવતા કહ્યું કે, આયુષ્યમાન કાર્ડ થકી લાખો લોકો સારવાર લઇ રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને રૂ.૧૦ લાખ સુધીની કરી છે. અગાઉ ગામડાઓમાં અપૂરતી આરોગ્ય સુવિધાઓના કારણે શહેર સુધી દવા અને સારવાર લેવા જવું પડતું હતું, પરંતુ હવે રાજ્ય સરકારે આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારીને, ઘરઆંગણે આરોગ્ય કેન્દ્રો બનાવી જનસુખાકારી સુનિશ્ચિત કરી છે.

    મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, સુરત જિલ્લાની ખેતી ઉકાઈ ડેમ આધારિત છે. જેથી એક જનપ્રતિનિધિ તરીકે કેનાલોનું નેટવર્ક વધારી, કેનાલોમાં પાણીની કેપેસિટી વધારવા સતત પ્રયાસો કર્યા છે. તેમણે ખેડૂતોને ક્રોપ પેટર્ન બદલવાનો મત વ્યક્ત કરતા પાણીની બચત સાથે નવા જમાનાના નવા પાકો વાવવા અને વધુ ઉત્પાદન મેળવવા ભારપૂર્વક જણાવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા શ્રેણીબદ્ધ વિકાસકામો થઈ રહ્યાં હોવાનું જણાવતાં મંત્રીશ્રીએ જનપ્રતિનિધિઓ અને ગામના સરપંચ અને પંચાયતના સભ્યોને લોકોના સતત સંપર્કમાં રહી તેમની લાગણીઓ અને માંગણીઓ પર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરવા સાથે વધુમાં વધુ વિકાસકામો સમયબદ્ધ રીતે પૂર્ણ કરવાં અનુરોધ કર્યો હ આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અમિતભાઇ પટેલ, ઉપપ્રમુખ જશુબેન વસાવા,તાલુકા સંગઠન પ્રમુખશ્રી બ્રિજેશ પટેલ, તાલુકા સંગઠન મહામંત્રીશ્રી કુલદીપભાઈ, ઇ.સરપંચશ્રી આનંદભાઇ કહાર અને સભ્યશ્રીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

    July 10, 2025

    Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

    July 9, 2025

    Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.