Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»dhrm bhakti»Mangala Gauri Vrat 2025: શ્રાવણ મહિનાનો બીજો મંગળા ગૌરી વ્રત કાલે
    dhrm bhakti

    Mangala Gauri Vrat 2025: શ્રાવણ મહિનાનો બીજો મંગળા ગૌરી વ્રત કાલે

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarJuly 21, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Mangala Gauri Vrat 2025: બીજા મંગળા ગૌરી વ્રતનું શુભ મુહૂર્ત અને મહત્વ

    Mangala Gauri Vrat 2025: શ્રાવણ મહિનાનો બીજો મંગળા ગૌરી 22 જુલાઈ 2025, મંગળવારના રોજ આવી રહી છે. આ દિવસે દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે છે અને આ દિવસે પરિણીત મહિલાઓ દેવી પાર્વતી માટે ઉપવાસ રાખે છે.

    Mangala Gauri Vrat 2025: શ્રાવણ મહિનાના દરેક મંગળવારે મંગળા ગૌરીનું વ્રત રાખવામાં આવે છે. આ દિવસે માતા પાર્વતીની આરાધના કરવામાં આવે છે. સુહાગિન મહિલાઓ માતા પાર્વતી માટે આ વ્રત ધારણ કરે છે. મંગળા ગૌરી વ્રત અને ભગવાન શિવ-માતા પાર્વતીની પૂજા દ્વારા અખંડ સોખ અને શુભફળની પ્રાપ્તિ થાય છે. વર્ષ 2025માં શ્રાવણ મહિના દરમિયાન કુલ 4 મંગળા ગૌરી વ્રત પડવાના છે. 22 જુલાઈ, 2025 મંગળવારના દિવસે પડનારો મંગળા ગૌરી વ્રત દ્વાદશી તિથિ સાથે સંયુક્ત રહેશે. આ દિવસે કામિકા એકાદશી વ્રતના પણ પારણા થશે

    શ્રાવણનો બીજો મંગળા ગૌરી વ્રત અત્યંત વિશેષ રહેશે. આ દિવસે અનેક તહેવાર અને વારનો સંયોગ બન્યો છે. મંગળા ગૌરીનું વ્રત મંગળવારે થાય છે, જે હનુમાનજીનો દિવસ છે. સાથે જ આ દિવસે કામિકા એકાદશીનું વ્રત પારણા પણ કરવામાં આવશે. વધુમાં, શ્રાવણ મહિનાનો પ્રથમ પ્રદોષ વ્રત પણ 22 જુલાઈએ રાખવામાં આવશે. આ પ્રદોષ વ્રતને ભૂમિ પ્રદોષ વ્રત તરીકે ઓળખવામાં આવશે.

    Mangala Gauri Vrat 2025

    શ્રાવણ 2025માં બીજુ મંગળા ગૌરી વ્રત

    શ્રાવણના બીજા મંગળા ગૌરી વ્રતના દિવસે બ્રહ્મ મુહૂર્ત સવાર 04:14 થી 04:56 સુધી રહેશે. આ સમય સ્નાન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. દિવસનો શુભ સમય એટલે અભિજીત મુહૂર્ત બપોરે 12:00 થી 12:55 સુધી રહેશે. વિજય મુહૂર્ત બપોરે 02:44 થી 03:39 સુધી રહેશે.

    મંગળા ગૌરી વ્રતનું મહત્વ

    શ્રાવણ મહિનામાં પરિણીત સ્ત્રીઓ અને અપરિણીત છોકરીઓ મંગળા ગૌરીનું વ્રત રાખે છે. આ વ્રત રાખવાથી પતિનું આયુષ્ય વધે છે અને તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે. તેમજ લગ્નજીવનમાં ખુશીઓ આવે છે.

    મંગળા ગૌરીનું વ્રત એવી છોકરીઓ પણ રાખી શકે છે જેમના લગ્નજીવનમાં કોઈ અવરોધો કે મુશ્કેલીઓ આવી રહી હોય.

    Mangala Gauri Vrat 2025

    Mangala Gauri Vrat 2025
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

    Related Posts

    Sawan Somwar 2025: મહાદેવની કૃપા મેળવવા શ્રાવણ સોમવારના શ્રેષ્ઠ ઉપાયો

    July 21, 2025

    Kamika Ekadashi: શ્રી હરિની કૃપા મેળવવા માટે કામિકા એકાદશી વ્રત: પારણ સમય અને પૂજન વિધી

    July 21, 2025

    Importance of a Guru in life:આધુનિક યુગના ગુરુઓના ગુરુઓ, એક રોચક સફર

    July 10, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.