Mamata Banji : પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ શનિવારે દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (BJP) આગામી લોકસભા ચૂંટણીમાં 200 બેઠકો પણ જીતી શકશે નહીં. આ સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલી ગેરંટી ‘ખોટી’ ગણાવી હતી.
ઉત્તર બંગાળના જલપાઈગુડીમાં એક ચૂંટણી રેલીને સંબોધતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે ભાજપ ભીમરાવ આંબેડકર દ્વારા બનાવેલા બંધારણને નષ્ટ કરી રહી છે. તૃણમૂલ કોંગ્રેસની ચૂંટણી રેલીમાં તેમણે કહ્યું, “ભાજપ 200 બેઠકો પણ જીતી શકશે નહીં. તેણે ઉત્તર બંગાળ માટે શું કર્યું છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘ગેરંટી’નો શિકાર ન થાઓ. આ એક ચૂંટણી સ્લોગન સિવાય બીજું કંઈ નથી.
ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)એ આગામી ચૂંટણીમાં 400થી વધુ લોકસભા બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે, તમે (ભાજપ) બાબાસાહેબ આંબેડકરે તૈયાર કરેલા દેશના બંધારણનો નાશ કર્યો છે.
