Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»વિશ્વમાં ભારતનું વધ્યું કદ ૮૦ ટકા ભારતીયોને નરેન્દ્ર મોદી ઉપર હજુ વિશ્વાસ
    India

    વિશ્વમાં ભારતનું વધ્યું કદ ૮૦ ટકા ભારતીયોને નરેન્દ્ર મોદી ઉપર હજુ વિશ્વાસ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 31, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પીએમ નરેન્દ્ર મોદી આવતા વર્ષે વડાપ્રધાન તરીકે તેમનો બીજાે કાર્યકાળ પૂર્ણ કરવા જઈ રહ્યા છે. સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે લોકોનો વિશ્વાસ પીએમ પ્રત્યે હજુ પણ એવો ને એવો જ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિદેશોમાં પણ ભારતનું કદ વધ્યું છે.
    દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે કેન્દ્રમાં બે ટર્મથી સત્તા પર રહેલી પીએમ નરેન્દ્ર મોદીની સરકાર પ્રત્યે દેશના લોકોનું વલણ શું છે. પ્યુઝ રિસર્ચ સેન્ટરના સર્વે મુજબ પીએમ મોદી આવતા વર્ષે ફરી લોકસભા ચૂંટણી જીતવાના છે. ૧૦માંથી ૮ ભારતીયોને હજુ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ છે. લોકો માને છે કે વિશ્વમાં ભારતનું કદ છેલ્લા કેટલાક વર્ષોથી વધ્યું છે.

    ભારતમાં આયોજિત થનારી ય્૨૦ કોન્ફરન્સના એક અઠવાડિયા કરતાં થોડો સમય પહેલાં મંગળવારે આ અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. વિશ્વના કુલ ૨૩ દેશોમાં ૩૦,૮૬૧ લોકો પર કરવામાં આવેલા આ સર્વે દરમિયાન ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૩ થી ૨૨ મે ૨૦૨૩ વચ્ચે ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન, ૬૮ ટકા ભારતીય પુખ્ત વયના લોકો માને છે કે વિશ્વમાં ભારતનો પ્રભાવ વધ્યો છે. ૫૫ ટકા લોકોની વિચારસરણી પીએમ મોદી માટે અનુકૂળ છે. તેઓ આવતા વર્ષે સામાન્ય ચૂંટણી દરમિયાન પીએમ મોદીને ફરીથી દેશની સત્તા સંભાળતા જાેવા માંગે છે.

    દસમાંથી લગભગ સાત ભારતીયોએ કહ્યું કે તાજેતરના વર્ષોમાં વિશ્વમાં દેશનો પ્રભાવ વધુ મજબૂત થઈ રહ્યો છે, જ્યારે પાંચમાથી ઓછા લોકો માને છે કે તે નબળો પડી રહ્યો છે. અમેરિકા ઉપરાંત કેનેડા, ઈટાલી, જર્મની, યુકે, ઓસ્ટ્રેલિયા, જાપાન અને ઈન્ડોનેશિયા વગેરે ૨૩ દેશોમાં આ સર્વે કરવામાં આવ્યો છે. અહીં ૨૮ ટકા લોકો માને છે કે વિશ્વમાં ભારતનું કદ હવે વધી ગયું છે. આ ૨૩માંથી ૧૨ દેશોના ૩૨ ટકા લોકો એવું પણ માને છે કે વડાપ્રધાન મોદી વૈશ્વિક સ્તરે યોગ્ય ર્નિણયો લે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.