દર વર્ષે ચોમાસાની સીઝન દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઉચકતો હોય છે. ત્યારે હાલ અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક શહેરોમાં રોગચાળાએ બરોબરનો ભરડો લીધો છે. જેને લઈને ઘરે ઘરે માંદગીના ખાટલા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદ બાદ ભરાયેલા પાણીને લઈને મચ્છરનો ઉપદ્રવ વધતાં મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે. બીજી બાજુ ચોમાસાની ઋતુને લઇને પાણીજન્ય રોગચાળાએ પણ હાલ અમદાવાદમાં કાળો કહેર વર્તાવ્યો છે. અમદાવાદમાં ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના ૪૦૭ કેસ નોંધાયા છે.
અમદાવાદમાં ડેન્ગ્યુ અને મલેરિયાનો કાળો કહેર વર્તાયો છે. મચ્છરજન્ય અને પાણીજન્ય કેસમાં વધારો નોંધાયો છે. ચાલુ મહિના ઓગસ્ટની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુના ૪૦૭ કેસ નોંધાયા છે. તેમજ સાદા મલેરિયાના ૧૧૧ કેસ નોંધાયા જ્યારે ઝેરી મલેરિયાના ૭ કેસ નોંધાયા છે. ઓગસ્ટ મહિનામાં ચિકનગુનિયાના ૯ કેસ નોંધાયા તેમજ ઝાડા-ઉલ્ટીના ૬૧૯ કેસ, ટાઈફોઈડના ૪૬૭ કેસ નોંધાયા છે. ઓગસ્ટમાં કમળાના ૧૧૪, કોલેરાના ૨૦ કેસ નોંધાયા છે.કેસ વધતા અમદાવાદમાં આરોગ્ય તંત્ર પણ સફાળું જાગ્યું છે અને છસ્ઝ્ર દ્વારા મચ્છરોની બ્રિડિંગ સાઇટને લઇને ચેકિંગ હાથ ધરાયુ હતું. બાંધકામ સાઇટ, શાળા, હોસ્પિટલો સહિતના સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.