Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»આવકવેરા વિભાગે કોન્ટ્રક્ટરો પાસેથી ૪૨ કરોડ રિકવર કર્યા બેંગલુરૂના ઘરમાંથી બોક્સમાં રાખેલી ૫૦૦-૫૦૦ની નોટો મળી
    India

    આવકવેરા વિભાગે કોન્ટ્રક્ટરો પાસેથી ૪૨ કરોડ રિકવર કર્યા બેંગલુરૂના ઘરમાંથી બોક્સમાં રાખેલી ૫૦૦-૫૦૦ની નોટો મળી

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 15, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    આવકવેરા વિભાગે કર્ણાટકમાં કેટલાક કોન્ટ્રાક્ટરો અને તેમની સાથે સંકળાયેલા લોકો પાસેથી ૪૨ કરોડ રૂપિયાથી વધુની રોકડ રિકવર કરી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં કાર્યવાહી ચાલી રહી છે. સ્થિતિ તો એવી થઈ કે કેટલી રોકડ છે તે જાણવા માટે નોટ ગણવાના મશીનો મંગાવવાની ફરજ પડી. આટલી મોટી માત્રામાં રોકડ જાેઈને આઈટી વિભાગના અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા.
    અધિકારીઓએ જણાવ્યું કે આ રોકડ કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં એક મકાનમાંથી મળી આવી હતી. આ મકાનમાં કોઈ રહેતું ન હતું. આ રોકડ એક બોક્સમાં રાખવામાં આવી હતી.

    ભાજપના નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી સીએન અશ્વત નારાયણે આ મામલે કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસે આગામી વિધાનસભા ચૂંટણી માટે કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન તરીકે આ રકમ લીધી છે. આ ખૂબ જ નજીવી રકમ છે, જે આવકવેરા વિભાગે પકડી છે. આ માત્ર એક નમૂનો છે. ભાજપના નેતા અને એમએલસી એન રવિ કુમારે દાવો કર્યો હતો કે આવકવેરા વિભાગ દ્વારા જે રોકડ પકડવામાં આવી છે તે કોન્ટ્રાક્ટરો પાસેથી વસૂલવામાં આવી હતી અને તે આશરે ૪૨ કરોડ રૂપિયા હોઈ શકે છે. રોકડમાં ફક્ત ૫૦૦-૫૦૦ની જ નોટો છે. આ રોકડ ૨૩ જેટલાં બોક્સમાં ભરી રાખી હતી. એવો દાવો કરાઈ રહ્યો છે કે આ રોકડ તેલંગાણા ચૂંટણી માટે એકત્રિત કરવામાં આવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે કોન્ટ્રાક્ટરો પાસેથી રૂ. ૬૫૦ કરોડની બાકી ચૂકવણી માટે આ રોકડ કમિશન તરીકે લેવામાં આવી હતી.

    રવિ કુમારે આ મામલે તપાસની માંગ કરી હતી. ભાજપના અન્ય ઘણા નેતાઓએ પણ કોંગ્રેસ પર આવા જ આરોપ લગાવ્યા છે. આ મામલાને લઈને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે આ આરોપો પાયાવિહોણા છે. કોઈએ કોઈની પાસે પૈસા માંગ્યા નથી. આરોપ લગાવનારા પાસે કયા પુરાવા છે? નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું કે આ મામલે રાજનીતિ કરવામાં આવી રહી છે. છત્તીસગઢ, તેલંગાણા અને અન્ય રાજ્યોમાં શું થઈ રહ્યું છે તે પણ આપણે જાણીએ છીએ. જ્યાં ભાજપ સત્તામાં હશે ત્યાં કશું થશે નહીં. જ્યાં ભાજપ સત્તામાં નથી ત્યાં આવી ઘટનાઓ બને છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo crisis: ફ્લાઇટ રદ અને વિલંબ કેમ વધી રહ્યા છે? સંપૂર્ણ સમયરેખા, કારણો અને આગળના સંભવિત સુધારાઓ જાણો

    December 5, 2025

    CBSE: શું CBSE અને રાજ્ય બોર્ડનું મર્જર થશે? એક મોટું સરકારી નિવેદન સામે આવ્યું

    December 4, 2025

    BJP: કેરળમાં રાજકીય તણાવ? ભાજપ કાર્યકર્તાના વાહનને આગ લગાવવામાં આવી, CCTVમાં શંકાસ્પદ લોકો દેખાયા

    December 1, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.