Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»બિહારમાં ટ્રેન દુર્ઘટનામાં સરકાર દ્વારા સહાયની જાહેરાત ટ્રેન દુર્ઘટનાના મૃતકોના પરિવારને રૂપિયા ૧૪ લાખની સહાય અપાશે
    India

    બિહારમાં ટ્રેન દુર્ઘટનામાં સરકાર દ્વારા સહાયની જાહેરાત ટ્રેન દુર્ઘટનાના મૃતકોના પરિવારને રૂપિયા ૧૪ લાખની સહાય અપાશે

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 12, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગઈકાલે બિહારના બક્સરમાં ભયંકર ટ્રેન દુર્ઘટના સર્જાય હતી. આ દુર્ઘટનામાં મૃતકો અને ઘાયલ થયેલા લોકો માટે રેલવે દ્વારા એક્સ-ગ્રેશિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. મૃતકોના પરિવારને ૧૦-૧૦ લાખ રૂપિયા અને ઘાયલોના પરિવારને ૫૦-૫૦ હજાર રૂપિયા આપવામાં આવશે. આ સિવાય બિહાર સરકારે દ્વારા પણ ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા દરેકને ૪ લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવશે.

    ગઈકાલે નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેન નંબર ૧૨૫૦૬ માં દુર્ઘટના સર્જાઈ હતી. ગઈકાલે લગભગ રાતે ૯.૪૫ વાગ્યે દાનાપુર-બક્સર રેલ્વે સેક્શન પર રઘુનાથપુર રેલ્વે સ્ટેશન નજીક ટ્રેન પાટા પરથી ઉતારી જતા દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનાની માહિતી મળતાં જ ડુમરાઓના જીર્ડ્ઢં કુમાર પંકજ અને બ્રહ્મપુર પોલીસ સ્ટેશન રાહત અને બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. રેલ્વે સૂત્રોએ જણાવ્યું હતું કે, રઘુનાથપુર રેલ્વે સ્ટેશન પાસે પોઈન્ટ બદલતી વખતે ટ્રેનમાં જાેરદાર આંચકા અનુભવાયો હતો. ગ્રામજનોએ જણાવ્યું કે, રઘુનાથપુર પશ્ચિમ ગુમતી નજીક જાેરદાર અવાજ સાથે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી અને પલટી ગયા હતા. આ મામલે તરત જ ગામ લોકો દ્વારા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી અને રેલવેના અધિકારીઓ પણ દુર્ઘટનાની જાણ થતા તરત ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

    અહેવાલ અનુસાર, આ અકસ્માતમાં ટ્રેનના છ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. એક ડબ્બો બીજા ડબ્બા પર ચડી જતા ભયનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર મુસાફરોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા હતા. કુલ ૧૦૦ મુસાફરો ઘાયલ થયા હતા. જાે કે, કેટલા મુસાફરોના મોત થયા અને કેટલા ઘાયલ થયા તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.