Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»મહારાષ્ટ્રના પાલઘરમાં ટ્રેનમાં આડેધડ ફાયરિંગ કેસમાં ખુલાસો છેલ્લી ઈચ્છા પાકિસ્તાન જઈને ત્યાંના લોકોને મારવાની છેઃ ચેતન સિંહ
    India

    મહારાષ્ટ્રના પાલઘરમાં ટ્રેનમાં આડેધડ ફાયરિંગ કેસમાં ખુલાસો છેલ્લી ઈચ્છા પાકિસ્તાન જઈને ત્યાંના લોકોને મારવાની છેઃ ચેતન સિંહ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 8, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગત ૩૧ જુલાઈના રોજ મહારાષ્ટ્રના પાલઘરમાં જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં આડેધળ ફાયરિંગની ઘટના બની હતી, જેમાં ૪ લોકોના મોત થયા હતા. દરમિયાન આ ફાયરિંગ કાંડના આરોપી આરપીએફ કોન્સ્ટેબલ ચેતન સિંહે પૂછપરછ દરમિયાન ઘણા ચોંકાવનારાઓ ખુલાસા કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ પુછપરછમાં તેણે કહ્યું કે, જાે ટ્રેન અધવચ્ચે સ્ટોપ ન કરાઈ હોત અને તેને તક મળી હોત તો તેણે વધુ ૭-૮ લોકોને મારવાનો હતો. રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે લગભગ ૭ કલાકની પુછપરછ દરમિયાન ચેતન સિંહે એક સવાલના જવાબમાં કહ્યું કે, તેની છેલ્લી ઈચ્છા પાકિસ્તાન જઈને ત્યાંના લોકોને મારવાની છે. જાેકે સૂત્રો મુજબ ચેતન સિંહના આ તમામ નિવેદન પોતાને મેન્ટલ સાબિત કરી ખુદને બચાવવાનું ષડયંત્ર હોઈ શકે છે.
    રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ૭ ઓગસ્ટે બોરીવલી કોર્ટમાં જીઆરપીએ દલીલ કરતા જણાવ્યું કે, તેઓ હજુ પણ ટ્રેનના સીસીટીવી ફુટેજ શોધી રહ્યા છે અને આખી ઘટનાનું એનાલિસિસ કરી રહ્યા છે.

    સૂત્રો મુજબ જીઆરપીએ કોર્ટમાં એવું પણ કહ્યું કે, ચેતન સિંહે કોઈના કહેવાથી ગોળીકાંડને અંજામ આપ્યો હોય તેની પણ તેઓ તપાસ કરી રહ્યા છે. રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પુછપરછ દરમિયાન ચેતન સિંહના ચહેરા પર કોઈપણ પ્રકારનો અફસોસ કે પછતાવો જાેવા મળી રહ્યો નથી. ઘટનામાં મૃતક મુસાફર સય્યદ સૈફુદીનના મિત્ર મુસાફર જફર ખાનના નિવેદનના આધારે ચેતન સિંહ વિરુદ્ધ આઈપીસીની કલમ ૩૬૩, ૩૪૧ અને ૩૪૨ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

    આ અગાઉ પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે પોલીસે ખુલાસો કર્યો હતો કે, આરપીએફ જવાન એટલો બધો ગુસ્સામાં હતો કે તેણે ચાર ગોળીઓ મારીને એએસઆઈની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ તેણે અન્ય મુસાફર પર ત્રણ ગોળીઓ ચલાવી, જ્યારે બે પ્રવાસીઓને ૨-૨ ગોળીઓ મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. કોર્ટમાં હાજર કરવા મામલે પોલીસે તેના ડ્યૂટી રોસ્ટર પર સહી કરાવવા ગઈ ત્યારે તેણે રોસ્ટરને પણ ફાડીને ફેંકી દીધો હતો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Taiwan China tension news:તાઇવાન સંરક્ષણ મંત્રાલય અપડેટ

    July 2, 2025

    Waterfalls near Varanasi:વારાણસીથી 100 કિમીની અંદરના પર્યટન સ્થળ

    July 1, 2025

    Sawan Mehndi Design:સાવન માટે 6 સુંદર અને સરળ અરબી મહેંદી ડિઝાઈન્સ

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.