Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»કર્ણાટકમાં સરકારની તેના એક ર્નિણય પર પીછેહઠ મંદિરોના રિનોવેશન માટેના ફંડને અટકાવવાનો ર્નિણય પાછો ખેંચ્યો
    India

    કર્ણાટકમાં સરકારની તેના એક ર્નિણય પર પીછેહઠ મંદિરોના રિનોવેશન માટેના ફંડને અટકાવવાનો ર્નિણય પાછો ખેંચ્યો

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 19, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભાજપ સહિત ચારેકોરથી ટીકાઓનો સામનો કર્યા બાદ કર્ણાટક સરકારે શુક્રવારે મુઝરાઈ ડિપાર્ટમેન્ટના આદેશને પાછો ખેંચી લીધો છે. આ આ દેશમાં મંદિરોને જારી કરવામાં આવતા રિનોવેશનને ફંડને અટકાવી દેવાનો ર્નિણય લેવાયો હતો. જાેકે હવે સરકારે આ ર્નિણય રદ કરીને મંદિરોને ફંડ જારી કરવાનો ર્નિણય ચાલુ રાખ્યો છે.

    કર્ણાટકમાં લગભગ ૩૪૦૦૦ જેટલા મંદિરો આવેલા છે. તેમાંથી એ કેટેગરીમાં ૧૭૫ મંદિરો આવેલા છે જેમની આવક ૨૫ લાખ રૂપિયા વાર્ષિક છે. જ્યારે બી કેટેગરીમાં ૧૫૮ મંદિરો છે અને તેમની આવક ૫ લાખથી ૨૫ લાખ વચ્ચે વાર્ષિક છે. જાેકે સી કેટેગરીના મંદિરોની આવક ૫ લાખ જેટલી વાર્ષિક છે. ૧૪ ઓગસ્ટે વિભાગ દ્વારા એક સર્ક્‌યુલર જાહેર કરાયો હતો જેમાં મંદિરોમાં કરાતા રિનોવેશન માટે ફંડિંગને અટકાવી દેવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. તેમાં જણાવાયું હતું કે જાે કોઇ મંદિરમાં રિનોવેશનનું કામ શરૂ ન થયું હોય કે પછી ૫૦ ટકા સુધી પૂરું ન થયું હોય તેવા મંદિરોની ફન્ડિંગને અટકાવી દેવાનો ર્નિણય લેવાયો હતો. જાેકે કોંગ્રેસ સરકારના આ ર્નિણયની આકરી ટીકા થઈ હતી.

    સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વરિષ્ઠ ભાજપ નેતા અને ધારાસભ્ય બાસનગૌડા પાટિલ યતનાલે કહ્યું હતું કે આ સાબિત થઈ ગયું કે સીએમ સિદ્ધારમૈયાની સરકાર હિન્દુવિરોધી છે. લઘુમતીઓ અને વક્ફના કલ્યાણ માટે આ સરકાર અનેક ર્નિણયો કરે છે પણ મંદિરોને ફાળવાતી ગ્રાન્ટ તે અટકાવી રહી છે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા મંદિરોના રિનોવેશન અને ડેવલપમેન્ટ સંબંધિત કામકાજ માટે જારી કરવામાં આવતું ફંડ અટકાવી દેવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. આ ર્નિણયની જાણ થતાં જ હિન્દુ સંગઠનો અને ભાજપે આક્રમક વલણ અપનાવ્યું હતું.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Jammu Police દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર, લોકોને સતર્ક રહેવાની અપીલ

    May 10, 2025

    Indian Army Press Conference: કર્નલ સોફિયાએ MEA પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- PAK દ્વારા કરવામાં આવેલા બધા હુમલા નિષ્ફળ ગયા

    May 10, 2025

    PIB fact check: પાકિસ્તાને ભારતીય પાયલટને પકડ્યો? ફાઈટર જેટ ક્રેશ થયો? PAКના 3 દાવાઓ, PIB ફેક્ટ ચેક દ્વારા પોલ ખોલી

    May 10, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.