Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને આરબીઆઈનો ર્નિણય કોઈનો પણ સીઆઈઆર લેવાય તો MMS ઈ-મેલથી જાણ કરવી પડશે
    India

    ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને આરબીઆઈનો ર્નિણય કોઈનો પણ સીઆઈઆર લેવાય તો MMS ઈ-મેલથી જાણ કરવી પડશે

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 29, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખી એક નવો ર્નિણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય બેંક દ્વારા દરેક ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીઓને સુચના આપવામાં આવી છે કે, જ્યારે પણ બેંક અથવા એનબીએફસીકંપની દ્વારા કોઈ વ્યક્તિનો ક્રેડિટ ઈન્ફોર્મેશન રિપોર્ટ (સીઆઈઆર) લેવામાં આવે તો તેની સુચના એમએમએસ અને ઈમેલ દ્વારા આપવી પડશે.

    કેન્દ્રીય બેંક દ્વારા ક્રેડિટ ઈન્સ્ટીટ્યુશન અને ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીની કસ્ટમર સર્વિસ અને ફરિયાદ નિવારણ પ્રક્રિયામાં સુધારો કરવા માટે આ ર્નિણય લેવામાં આવ્યો છે. હાલના સમયમાં કોઈ વ્યક્તિ દ્વારા બેંકમાં લોન માટે અરજી કર્યા પછી મોટાભાગે એવું જાેવા મળતું હતું કે, ગ્રાહકો પાસે બીજી બેંકોની ઓફર્સ અને કોલ આવવા લાગતા હતા. તેની પાછળનું કારણ ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપની દ્વારા તે વ્યક્તિનો ક્રેડિટ રિપોર્ટ અન્ય બેંકોને શેર કરવામાં આવતો હતો. અને આ જાણકારી લોન માટે અરજી કરનાર વ્યક્તિને નથી હોતી.

    કેન્દ્રીય બેંક દ્વારા દરેક ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીઓને સુચના આપવામાં આવી છે કે, જ્યારે પણ બેંક અથવા એનબીએફસી કંપની દ્વારા કોઈ વ્યક્તિનો ક્રેડિટ ઈન્ફોર્મેશન રિપોર્ટ (સીઆઈઆર) લેવામાં આવે તો તેની સુચના એમએમએસઅને ઈમેલદ્વારા આપવી જાેઈએ. આરબીઆઈએ બેંકો અને એનબીએફસીની સલાહ આપી છે કે એક જાગૃતતા કેમ્પેઈન ચલાવો અને મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી દ્વારા વધુમાં વધુ ગ્રાહકો સુધી ફાયદાઓ પહોચાડો.

    આરબીઆઈતરફથી જાહેર કરાયેલ પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, ક્રેડિટ ઈન્ટીટ્યુશનને ગ્રાહકોને કેલેન્ડર વર્ષમાં એકવાર ફ્રી ક્રેડિટ રિપોર્ટ આપવો જાેઈએ. અને તેના માટે વેબસાઈટ પર એક લિંક પણ મુકવામાં આવશે, જેથી ગ્રાહક સરળતાથી ફ્રીમાં ક્રેડિટ રિપોર્ટ મેળવી શકે. તમને જણાવી દઈએ કે , ઇમ્ૈં ના નવા નિયમોનો સર્કુલર ૨૬ ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. આ નિયમ સર્કુલર જાહેર કરાયાના છ મહિના પછી લાગુ થશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Education: અમેરિકામાં અભ્યાસ: રહેવાનો વાસ્તવિક ખર્ચ કેટલો છે?

    August 22, 2025

    PM Modi: લોકસભા અને રાજ્યસભા સ્થગિત, વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા

    August 21, 2025

    Rahul Gandhi: રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન અકસ્માત

    August 21, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.