Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં મહત્વનો ર્નિણય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસીને ૨૭ ટકા અનામત, એસસી-એસટીમાં ફેરફાર નહીં
    Gujarat

    રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં મહત્વનો ર્નિણય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસીને ૨૭ ટકા અનામત, એસસી-એસટીમાં ફેરફાર નહીં

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 29, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગાંધીનગરમાં દર બુધવારે યોજાતી રાજ્ય સરકારની કેબિનેટની બેઠક આજે મળી છે. આવતીકાલે બુધવારે રક્ષાબંધનની રજા હોવાથી કેબિનેટની બેઠક આજે મળી છે. આજની બેઠકમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેટલાક મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં ઘણા સમયથી ચર્ચામાં રહેતા ઝવેરી પંચના રીપોર્ટ પર વિચારણા હાથ ધરાઈ હતી. કેબિનેટની બેઠકમાં ચર્ચાઓ બાદ પંચાયતમાં ઓબીસીઅનામત મુદ્દે આજે જાહેરાત કરવામાં આવી છે. ગ્રામિણ અને શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં એસસીઅને એસટીઅનામતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે ઉપરાંત ઓબીસીને ૨૭ ટકા અનામતની ભલામણ કરવામાં આવી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં એસસી, એસટી, ઓબીસીમાટે ૫૦ ટકા અનામતની ભલામણ કરી છે. જ્યારે અગાઉ ઓબીસીમાટે જે ૧૦ ટકા બેઠકો હતી તે યથાવત્‌ રહેશે. પેશા એક્ટવાળા ૯ જિલ્લા ૬૧ તાલુકામાં વસ્તી પ્રમાણે બેઠક અને જિલ્લા, તાલુકામાં ૧૦ ટકા અનામતની ભલામણ કરાઈ છે.ગુજરાતમાં ઓબીસીઅનામતને લઈને સરકારે ઝવેરી કમિશનનો રિપોર્ટ જાહેર કર્યો છે. રાજ્યમાં એક વર્ષ કરતાં વધુ સમયથી અનેક પંચાયતોમાં ઓબીસીબેઠકો ખાલી પડી છે. આ પંચાયતોમાં કોંગ્રેસે ૨૭ ટકા ઓબીસીઅનામતની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, હવે સરકારે ઓબીસી અનામત અંગે જાહેરાત કરી દેતાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થવાની પણ શક્યતાઓ છે.
    આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ભલામણોના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાવાર અનામત આપી છે. કુલ બેઠકો કરતાં ૫૦ ટકાથી વધે નહીં તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ૨૦૨૨માં ઝવેરી કમિશનની રચના કરવામાં આવી અને ૨૦૨૩માં અહેવાલ મળ્યો અને ૩ મહિનામાં આ ભલામણનો અભ્યાસ કર્યા બાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં અનામત અંગે ર્નિણય કરવામાં આવ્યો છે.

    ૨૭ ટકા અનામત અનુસુચૂતિ જનજાતિ અને અનુસુચૂતિ જાતિ અને અન્ય પછાત વર્ગ માટે જે બેઠક છે તે માટે ભલામણ કરી છે.પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ૯ જિલ્લા અને ૬૧ તાલુકામાં આદિવાસી વસ્તી ૫૦ ટકા કરતાં વધારે છે. આ વિસ્તારમાં વસ્તી પ્રમાણે બેઠક ફાળવવામાં આવશે. ૧૦ બેઠકો ઓબીસીને આપીએ છીએ તે ચાલુ રહેશે. જાે ૨૫થી ૫૦ ટકા વસ્તી હશે તો નિયમ પ્રમાણે બેઠક આપવી એટલે ઓબીસી બેઠક ઘટી જાય એમ છે. એટલે એવા કિસ્સામાં સરકારે ૧૦ ટકા અનામત યથાવત રાખી છે. યુનિટનો અભ્યાસ કર્યા બાદ ૨૭ ટકા એ ૫૦ ટકા કરતા વધે નહીં તે જાેવામાં આવશે. કુલ બેઠકના ૫૦ ટકા બેઠક અનામત એટલે કે ૨૭ ટકા અનામત સાથે થાય છે. ભલામણ સ્વીકારી હોય અને એમાં પણ ઓબીસીને મહત્વ અને પ્રતિનિધિત્વ મળી રહે એટલે ખૂબ ઝડપથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થાય એમાં સરકારને રસ છે. હાલનું જે સીમાંકન એ પ્રમાણે ચૂંટણી યોજાશે.સુપ્રીમ કોર્ટના હુકમ બાદ રાજ્ય સરકાર દ્વારા ૮ જુલાઈ ૨૦૨૨ના રોજ ઝવેરી પંચની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક રાજ્યના એકમોમાં અન્ય પછાત વર્ગોની બેઠકો નક્કી કરતા પહેલા આવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પછાતપણાના સ્વરૂપ અને અસરો તેમજ રાજનીતિ પરિસ્થિતિ અનુસાર પંચને વિશ્લેષણ કરીને સંપૂર્ણ રિપોર્ટ માટે રાજ્ય સરકારે સૂચના આપી હતી. સમયાંતરે ઝવેરી પંચની મુદત વધતી ગઈ અને અંતે ૧૩ એપ્રિલ ૨૦૨૩ના રોજ પાંચ દ્વારા રિપોર્ટ સરકારમાં રજૂ કર્યો હતો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

    July 10, 2025

    Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

    July 9, 2025

    Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.