Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»મેં એ ઘરને સેટ નહીં પણ મારું ઘર માન્યું હતુંઃ પૂજા લોકોએ મને બિગ બોસમાં ન આવવાની સલાહ આપી ઃ પૂજા
    Entertainment

    મેં એ ઘરને સેટ નહીં પણ મારું ઘર માન્યું હતુંઃ પૂજા લોકોએ મને બિગ બોસમાં ન આવવાની સલાહ આપી ઃ પૂજા

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 18, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ૂજા ભટ્ટ બિગ બોસ OTT 2’ની સૌથી મજબૂત સ્પર્ધક પૈકી એક હતા. શોમાંથી બહાર નીકળ્યા બાદ પૂજાએ કહ્યું કે લોકોએ તેને બિગ બોસનો ભાગ ન બનવાની સલાહ આપી હતી. જાે કે, ત્યારબાદ પિતા મહેશ ભટ્ટ અને મિત્ર દીપક તિજાેરીએ તેને શોમાં ભાગ લેવા માટે પ્રેરિત કર્યા હતા. અભિનેત્રીએ કહ્યું કે તેમણે આ શોને પોતાના માટે પડકાર તરીકે લીધો અને સારું પ્રદર્શન પણ કર્યું હતું.
    પૂજા ભટ્ટે જણાવ્યું કે, જ્યારે તેમને બિગ બોસ OTT 2 ની ઓફર મળી ત્યારે મેં મારી પોતાની જાતને પૂછ્યું કે શું મારે પાસ ગુમાવવો પડશે? પૂજાએ કહ્યું, ‘હું બધું સમજી ગઈ હતી. તેથી જ હું આ શો કરવા માગતી હતી, કારણ કે હું એવી વસ્તુઓ કરવાનો પ્રયાસ કરવા માગુ છું જે કાં તો મને ઉપર લઈ જાય અથવા મને નીચે લઈ જાય. તે સમયે ઘણા લોકોએ મને આ શો ન કરવાની ચેતવણી આપી હતી.’

    પૂજાએ વધુમાં ઉમેર્યું હતું કે તે લાંબા સમયથી બિગ બોસની ફેન છે અને તેમણે શોની ગત સીઝનને પણ ફોલો કરી છે. વાતચીત દરમિયાન પૂજાએ કહ્યું, ‘સાચું કહું તો હું પોતે આશ્ચર્યચકિત થઈ ગઈ કે મારા પિતાએ મને આ શો કરવા માટે પ્રેરિત કરી હતી. આ સાથે મારા મિત્ર દીપક તિજાેરીએ પણ મને સલાહ આપી હતી કે તમારે આ અનુભવ કરવો જ જાેઈએ. હવે મને ખબર પડી કે તેઓ આવું કેમ બોલતા હતા. હું ખુલ્લા મન અને હૃદય સાથે ઘરની અંદર ગઈ હતી અને હું માથું ઊંચું રાખીને અને હૃદયમાં ઘણો પ્રેમ રાખીને શોમાંથી બહાર આવી છું.’ જ્યારે પૂજાને પૂછવામાં આવ્યું કે, શોના દર્શકોને એવું કેમ લાગ્યું કે તમે પોતાને જીતવાનો પ્રયાસ નથી કરી રહ્યા કારણ કે તમે પોતે મજબૂત સ્પર્ધક હતાં? આ સવાલના જવાબમાં કહ્યું કે, જુઓ, આજની પેઢીને ઘણાં સપના હોય છે. તે દરેક કિંમતે જીતવા માગે છે. મારા માટે જીતનો અર્થ ખૂબ જ અલગ છે

    . તે ટ્રોફી નથી પરંતુ એક જર્ની છે, જે મારા માટે સૌથી મહત્ત્વની બાબત હતી. મેં તે ઘરને સેટ તરીકે નહોતું માન્યું પરંતુ તેને મારા પોતાના ઘરની જેમ સંભાળ્યું હતું. મને મારી સાથે ઘણો સમય વિતાવવો પડ્યો અને મારા ફોન અને સોશિયલ મીડિયાથી ડિટોક્સ કરવાનું પણ મળ્યું. ઓછામાં ઓછું મારી નજરમાં,મેં મારી જાતને ગુમાવી નથી અને તે જ મારા માટે વાસ્તવિક જીત છે.
    શોની શરૂઆતથી જ ઘણા લોકો કહેતા હતા કે, સલમાન પૂજા ભટ્ટ પ્રત્યે થોડો પક્ષપાતી છે. આ વિશે વાત કરતાં એક્ટ્રેસે કહ્યું, આવું ક્યારેય નહોતું, મને લાગે છે કે તે ચોક્કસપણે અન્ય સ્પર્ધકો પ્રત્યે પક્ષપાત કરતો હતો, પરંતુ મારા પ્રત્યે ક્યારેય નહોતો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Jasmin Bhasin On Wedding: અલી ગોની સાથે લગ્ન બાદ શું જાસ્મીન ભસીન ધર્મ બદલશે? એક્ટ્રેસે કર્યો ખુલાસો

    May 8, 2025

    Anushka Sharma and Virat Kohli: વિરાટ કોહલીને અનુષ્કા શર્માએ કર્યો નજરઅંદાઝ?, યુઝર્સે કહ્યું- અવનીતના સ્કેન્ડલ બાદ ભાભી ગુસ્સે

    May 8, 2025

    Raid 2 Box Office Collection Day 6: બજેટનો 280% કમાણી કરી 13 રેકોર્ડ બનાવ્યા

    May 6, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.