હિરોશિમાથી આજ સુધી, વિનાશની કહાની હજુ અધૂરી
વિશ્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે પરમાણુ યુદ્ધની ભીતિ ફરી એકવાર ચર્ચામાં આવી છે. અમેરિકાના અને ઈરાન વચ્ચે તાત્કાલિક સીઝફાયર હોવા છતાં વૈશ્વિક સ્તરે ચિંતા યથાવત છે. આવી પરિસ્થિતિમાં ઇતિહાસના સૌથી ભયાનક અધ્યાયોમાંથી એક, Hiroshima atomic bombing અને Nagasaki atomic bombing ફરી યાદ આવે છે, જેમણે માનવજાતને પરમાણુ હથિયારોની ભયાનક અસર બતાવી હતી.
6 ઓગસ્ટ 1945ના રોજ Hiroshima પર ‘લિટલ બોય’ નામનો પરમાણુ બોમ્બ ફેંકાયો હતો. આ વિસ્ફોટ એટલો વિનાશક હતો કે થોડા જ ક્ષણોમાં આખું શહેર તબાહી બની ગયું. લગભગ 70 હજાર લોકો તરત જ મોતને ભેટ્યા, જ્યારે વર્ષના અંત સુધીમાં આ આંકડો લગભગ 1.4 લાખ સુધી પહોંચ્યો. ત્યારબાદ 9 ઓગસ્ટે Nagasaki પર ‘ફેટ મેન’ બોમ્બ નાખવામાં આવ્યો, જેમાં આશરે 74 હજાર લોકોના જીવ ગયા. ભારે ગરમી અને વિસ્ફોટના કારણે શહેરોના મોટા ભાગો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા.
આ હુમલામાંથી બચી ગયેલા લોકોને ‘હિબાકુષા’ તરીકે ઓળખવામાં આવે છે. આ લોકો આજે પણ આ દુર્ઘટનાના જીવંત સાક્ષી છે. વિસ્ફોટ પછી ફક્ત તરત જ થયેલી મોતો જ નહીં, પરંતુ લાંબા ગાળે રેડિયેશનના પ્રભાવથી અનેક ગંભીર બીમારીઓ ફેલાઈ. ઘણા લોકોને લ્યુકેમિયા અને વિવિધ પ્રકારના કેન્સર થયા. વર્ષો બાદ પણ આ અસર ગર્ભવતી મહિલાઓ અને બાળકોમાં જોવા મળી હતી.
આજના સમયમાં હિરોશિમા અને નાગાસાકી બંને આધુનિક અને વિકસિત શહેરોમાં બદલાઈ ગયા છે. અહીં સામાન્ય જીવન ફરીથી શરૂ થઈ ગયું છે, પરંતુ આ માત્ર બહારથી દેખાતી સ્થિતિ છે. શહેરોમાં આવેલા શાંતિ સ્મારકો અને મ્યુઝિયમ્સ આજે પણ આ વિનાશની યાદ તાજી રાખે છે અને વિશ્વને ચેતવણી આપે છે.
વિશેષજ્ઞોના મતે, પરમાણુ હુમલાની અસર આજે પણ એટલી જ વિનાશક હોઈ શકે છે. આધુનિક ટેક્નોલોજી હોવા છતાં આવી સ્થિતિમાં બચાવ કામગીરી મર્યાદિત બની શકે છે. હિરોશિમા અને નાગાસાકીની ઘટના માત્ર ઇતિહાસ નથી, પરંતુ આખી માનવજાત માટે ચેતવણી છે કે પરમાણુ હથિયારોનો ઉપયોગ કેટલો ભયાનક સાબિત થઈ શકે છે.
