Gautam Adani
વાયર અને કેબલ ક્ષેત્રમાં ભીષણ યુદ્ધ થવાનું છે. આદિત્ય બિરલા ગ્રુપની કંપની અલ્ટ્રાટેક પછી, અદાણી ગ્રુપે પણ વાયર અને કેબલ બિઝનેસમાં પ્રવેશવાનો નિર્ણય લીધો છે. દેશના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીના અદાણી ગ્રુપે પ્રણીતા ઇકોકેબલ્સ લિમિટેડ નામની સંયુક્ત સાહસ કંપની બનાવવાનો નિર્ણય લીધો
કચ્છ કોપર લિમિટેડે પ્રણિતા વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે મળીને પ્રણિતા ઇકોકેબલ્સ લિમિટેડ નામથી વાયર અને કેબલ વ્યવસાય શરૂ કરવાનો નિર્ણય લીધો છે જેમાં બંને કંપનીઓનો 50-50 ટકા હિસ્સો હશે. સ્ટોક એક્સચેન્જને આપેલી નિયમનકારી ફાઇલિંગમાં, અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝે જણાવ્યું હતું કે નવી કંપની વાયર, કેબલ અને ધાતુના ઉત્પાદનોના ઉત્પાદન, માર્કેટિંગ અને વિતરણમાં જોડાશે.
અદાણી ગ્રુપના વાયર અને કેબલ વ્યવસાયમાં પ્રવેશની આ જાહેરાત પછી, આ ક્ષેત્રમાં સ્પર્ધા વધવાની અપેક્ષા છે. તો અદાણી ગ્રુપની આ જાહેરાત પછી, સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ વાયર અને કેબલ સેક્ટરના શેરમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે.