FPI
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ) દ્વારા તાજેતરનું વેચાણ ભારતીય ઇક્વિટીમાં એક્સપોઝર ઘટાડવાના દાયકા લાંબા વલણનો એક ભાગ છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ છેલ્લા બે ક્વાર્ટરમાં કુલ રૂ. ૨.૪૩ લાખ કરોડ (લગભગ ૨૮.૩ બિલિયન ડોલર)ની ભારતીય ઇક્વિટી વેચી છે. આ કારણે લિસ્ટેડ કંપનીઓમાં તેમનો હિસ્સો વધુ ઘટયો છે.
ભારતીય ઇક્વિટીમાં એફપીઆઈનો હિસ્સો ૨૦૧૫માં તેની ટોચ પરથી સતત ઘટી રહ્યો છે. ડિસેમ્બર ૨૦૨૪ના અંતે તેમનો હિસ્સો ૧૯.૧ ટકા હતો, જે સપ્ટેમ્બર ૨૦૨૪ના અંતે ૧૮.૮ ટકા હતો. પરંતુ તે હજુ પણ જૂન ૨૦૧૦ પછી સૌથી નીચો છે, જ્યારે તે ૧૮.૨ ટકા હતો. એફપીઆઈએ છેલ્લા ૨૦ ક્વાર્ટરમાંથી ૧૪ અને છેલ્લા ૪૦ ક્વાર્ટરમાંથી ૨૪માં (ત્રિમાસિક ધોરણે) તેમનો હિસ્સો ઘટાડયો છે.
વર્તમાન ક્વાર્ટરમાં ભારતીય ઈક્વિટીમાં એફપીઆઈ માલિકી વધુ ઘટવાની વિશ્લેષકો અપેક્ષા રાખે છે. વિશ્લેષણ બીએસઈ ૫૦૦, બીએસઈ મિડકેપ અને બીએસઈ સ્મોલકેપ સૂચકાંકોમાં લિસ્ટેડ ૧,૧૭૬ કંપનીઓના ક્વાર્ટર-એન્ડ પ્રમોટર હિસ્સા અને માર્કેટ કેપ ડેટા પર આધારિત છે. ગત બુધવાર સુધી તેમની કુલ માર્કેટ કેપ રૂ. ૩૮૨.૩ લાખ કરોડ હતી. આ તમામ બીએસઈ લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપમાં ૯૪.૪ ટકા હિસ્સો ધરાવે છે.
માર્ચ ૨૦૧૫ ક્વાર્ટરમાં ભારતમાં એફપીઆઈ રોકાણ ઉચ્ચ સ્તરે હતું. તે સમયે વિદેશી રોકાણકારો ભારતની ટોચની લિસ્ટેડ કંપનીઓમાં ૨૫.૭ ટકા હિસ્સો ધરાવે છે. તાજેતરના ઘટાડા સાથે, એફપીઆઈનો હિસ્સો હવે તેની ઊંચી સપાટીથી ૬૬૦ બેસિસ પોઈન્ટ્સ અથવા લગભગ એક ક્વાર્ટર નીચે છે.