નાણામંત્રાલયે નાણાકીય વર્ષ ૨૦૨૩ માટે કર્મચારી ભવિષ્ય નિધિ ઈપીએફપર ૮.૧૫ ટકાના વ્યાજ દરને મંજૂરી આપી છે. આ અગાઉ ઈપીએફઓએ સરકારને આટલું જ વ્યાજ ચૂકવવાની ભલામણ કરી હતી. હવે નાણામંત્રાલયે આનો સ્વીકાર કરતા એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. ઈપીએફઓએ ૨૦૨૨-૨૩ માટે કર્મચારી ભવિષ્ય નિધિ (ઈપીએફ) પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. કર્મચારી ભવિષ્ય નિધિ (ઈપીએફ) પર વ્યાજ દર વધારીને ૮.૧૫ ટકા કરવામાં આવશે. આ પહેલા નાણાકીય વર્ષ ૨૧-૨૨ માટે આ દર ૮.૧૦ ટકા હતો જે અગાઉ માર્ચમાં ઈપીએફઓએ તેની બે દિવસીય બેઠકમાં કર્મચારી ભવિષ્ય નિધિ (ઈપીએફ) પર વ્યાજ દર વધારવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ ૨૦૨૨-૨૩ માટે ઈપીએફથાપણો પર વ્યાજ દરમાં વધારો કરવા માટે તેમજ તેને મંજૂરી માટે નાણાં મંત્રાલયને મોકલવામાં આવ્યો હતો, જેને આજે મંજૂરી આપવામાં આવી છે.
હવે સરકારની મંજૂરી મળ્યા બાદ, ૨૦૨૨-૨૩ માટે ઈપીએફપર વ્યાજ દર ઈપીએફઓના પાંચ કરોડથી વધુ ખાતાધારકોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
આ અગાઉ માર્ચ ૨૦૨૨માં ઈપીએફઓએ ૨૦૨૧-૨૨ માટે ઈપીએફપરના વ્યાજને તેના લગભગ પાંચ કરોડ સબ્સ્ક્રાઇબર્સ માટે ૮.૧ ટકાના ચાર દાયકાના નીચલા સ્તરે ઘટાડી દીધો હતો, જે અગાઉ ૮.૫ ટકા હતો. આ દર ૧૯૭૭-૭૮ પછી સૌથી નીચો હતો, જ્યારે ઈપીએફપર ૮ ટકા વ્યાજ દરનો ઉપયોગ થતો હતો.
ઉલ્લેખનીય છે કે માર્ચ ૨૦૨૦માં ઈપીએફઓએ પ્રોવિડન્ટ ફંડ ડિપોઝીટ પરનો વ્યાજ દર ૨૦૧૮-૧૯ માટે ૮.૬૫% થી ઘટાડીને ૨૦૧૯-૨૦ માટે ૮.૫%ના સાત વર્ષના નીચલા સ્તરે કર્યો હતો.