Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»નાણામંત્રાલયે નોટિફિકેશન બહાર પાડ્યું ૨૦૨૩ માટે ઈપીએફ પર ૮.૧૫ ટકાના વ્યાજ દરને મંજૂરી મળી
    India

    નાણામંત્રાલયે નોટિફિકેશન બહાર પાડ્યું ૨૦૨૩ માટે ઈપીએફ પર ૮.૧૫ ટકાના વ્યાજ દરને મંજૂરી મળી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 24, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    નાણામંત્રાલયે નાણાકીય વર્ષ ૨૦૨૩ માટે કર્મચારી ભવિષ્ય નિધિ ઈપીએફપર ૮.૧૫ ટકાના વ્યાજ દરને મંજૂરી આપી છે. આ અગાઉ ઈપીએફઓએ સરકારને આટલું જ વ્યાજ ચૂકવવાની ભલામણ કરી હતી. હવે નાણામંત્રાલયે આનો સ્વીકાર કરતા એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. ઈપીએફઓએ ૨૦૨૨-૨૩ માટે કર્મચારી ભવિષ્ય નિધિ (ઈપીએફ) પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. કર્મચારી ભવિષ્ય નિધિ (ઈપીએફ) પર વ્યાજ દર વધારીને ૮.૧૫ ટકા કરવામાં આવશે. આ પહેલા નાણાકીય વર્ષ ૨૧-૨૨ માટે આ દર ૮.૧૦ ટકા હતો જે અગાઉ માર્ચમાં ઈપીએફઓએ તેની બે દિવસીય બેઠકમાં કર્મચારી ભવિષ્ય નિધિ (ઈપીએફ) પર વ્યાજ દર વધારવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ ૨૦૨૨-૨૩ માટે ઈપીએફથાપણો પર વ્યાજ દરમાં વધારો કરવા માટે તેમજ તેને મંજૂરી માટે નાણાં મંત્રાલયને મોકલવામાં આવ્યો હતો, જેને આજે મંજૂરી આપવામાં આવી છે.
    હવે સરકારની મંજૂરી મળ્યા બાદ, ૨૦૨૨-૨૩ માટે ઈપીએફપર વ્યાજ દર ઈપીએફઓના પાંચ કરોડથી વધુ ખાતાધારકોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

    આ અગાઉ માર્ચ ૨૦૨૨માં ઈપીએફઓએ ૨૦૨૧-૨૨ માટે ઈપીએફપરના વ્યાજને તેના લગભગ પાંચ કરોડ સબ્સ્ક્રાઇબર્સ માટે ૮.૧ ટકાના ચાર દાયકાના નીચલા સ્તરે ઘટાડી દીધો હતો, જે અગાઉ ૮.૫ ટકા હતો. આ દર ૧૯૭૭-૭૮ પછી સૌથી નીચો હતો, જ્યારે ઈપીએફપર ૮ ટકા વ્યાજ દરનો ઉપયોગ થતો હતો.
    ઉલ્લેખનીય છે કે માર્ચ ૨૦૨૦માં ઈપીએફઓએ પ્રોવિડન્ટ ફંડ ડિપોઝીટ પરનો વ્યાજ દર ૨૦૧૮-૧૯ માટે ૮.૬૫% થી ઘટાડીને ૨૦૧૯-૨૦ માટે ૮.૫%ના સાત વર્ષના નીચલા સ્તરે કર્યો હતો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Electricity Futures: બજારમાં નક્કી થશે વીજળીના ભાવ! NSE 11 જુલાઈથી લાવશે ‘ઈલેક્ટ્રિસિટી ફ્યુચર્સ’, જાણો કેવી રીતે થશે ફાયદો

    June 28, 2025

    Shubhanshu Shukla ISS Mission: શુભાંશુ શુક્લાનો અંતરિક્ષ પ્રવાસ: ISS પહોંચવાનું ટાઈમ, મિશનની અવધિ અને સફળતાની ખાસ વાતો

    June 25, 2025

    DGCA Action on Air India: એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના બાદ DGCA નું કડક પગલું

    June 21, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.