Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી હાલ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને લીધે વરસાદ પડી રહ્યો નથી
    Gujarat

    વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી હાલ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને લીધે વરસાદ પડી રહ્યો નથી

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 18, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રાજ્યમાં લાંબા સમયથી વરસાદની રાહ જાેવાઇ રહી છે. વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે. જ્યારે હવામાન વિભાગની વરસાદની આગાહી પણ નિરાશ કરનારી છે. હાલ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને લીધે વરસાદ પડી રહ્યો નથી. જાેકે, રાજ્યના અમુક ભાગોમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ સવાલ એ થઇ રહ્યો છે કે, આખરે ક્યારે વરસાદી સિસ્ટમ સર્જાશે અને ક્યારે સારો વરસાદ થશે? તે અંગે સૌ કોઇ મીટ માંડીને બેઠા છે.
    હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે, તે અંગે આગાહી વ્યક્ત કરી હતી. જેમાં રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઇ હતી. ગઇકાલે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ૨૪ કલાક દરમિયાન રાજ્યના અમુક ભાગમાં જ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની કે માછીમારો માટે કોઈ ચેતવણી ન હોવાનું પણ જણાવ્યું હતું. અમદાવાદનું હવામાન કેવું રહેશે તે અંગે પણ હવામાન વિભાગે જણાવ્યું છે.

    દક્ષિણ ભાગમાં ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં હળવો વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઇ હતી. સાથે જ વરસાદમાં ભારે ઘટાડો જાેવા મળવાની અને આ દરમિયાન માત્ર દક્ષિણ ગુજરાત પુરતો વરસાદ સીમિત રહેવાની સંભાવનાઓ છે. જેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ થઈ શકે છે.
    કચ્છમાં આગામી ૭ દિવસ સુધી વરસાદ થવાની સંભાવનાઓ નથી, જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને જૂનાગઢમાં વરસાદ થઈ શકે છે. હાલ રાજ્યમાં ચોમાસાની કોઈ એક્ટિવ સિસ્ટમ નથી, જેના કારણે ભારે વરસાદની સંભાવનાઓ ન હોવાનું હવામાન વિભાગ જણાવે છે. આ સાથે નજીકના સમયમાં કોઈ નવી સિસ્ટમ બનવાની સંભાવનાઓ પણ ન હોવાનું જણાવવામાં આવ્યું છે. અમદાવાદમાં હળવા વરસાદના એકથી બે સ્પેલ થવાની સંભાવનાઓ છે. આગામી દિવસોની આગાહી કરીને હવામાન વિભાગે માછીમારો માટે પણ કોઈ પ્રકારની વોર્નિંગ ન હોવાનું જણાવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાનો ૯૩ ટકા વરસાદ થઈ ચૂક્યો છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Investment-based Golden Visa:વિદેશમાં રહેવા માટે વિઝા

    July 8, 2025

    Heavy rainfall in India:નાસિક ધોધમાં પ્રવાસી

    July 8, 2025

    Language controversy:બધી ભાષાઓ રાષ્ટ્રીય ભાષા

    July 7, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.