Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»બુર્જ ખલીફા કરતાં પણ હશે વધુ મજબૂત વિશ્વનું સૌથી ઊંચું હિંદુ મંદિર, તેની ટોચ પરથી દેખાશે તાજમહેલ
    India

    બુર્જ ખલીફા કરતાં પણ હશે વધુ મજબૂત વિશ્વનું સૌથી ઊંચું હિંદુ મંદિર, તેની ટોચ પરથી દેખાશે તાજમહેલ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 24, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    જાે કે ઉત્તર પ્રદેશમાં આવેલ તાજમહેલ તેને આખી દુનિયામાં પ્રખ્યાત કરી ચુક્યો છે, પરંતુ હવે આ રાજ્યમાં વિશ્વનું સૌથી ઊંચું મંદિર બનાવવામાં આવી રહ્યું છે. ભગવાન કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં બની રહેલા આ મંદિરનું નામ ચંદ્રોદય વૃંદાવન મંદિર હશે અને તે આગામી દોઢથી બે વર્ષમાં તૈયાર થઈ જવાની આશા છે. આ મંદિરનું નિર્માણ ઈસ્કોન એટલે કે ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેનો શિલાન્યાસ ૧૬ નવેમ્બર ૨૦૧૪ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કર્યો હતો. મંદિરમાં લગભગ ૧૬૬ માળ હશે, જે દુનિયાના કોઈ મંદિરમાં નથી. કહેવામાં આવી રહ્યું છે કે મંદિરની આસપાસ ૧૨ કૃત્રિમ જંગલો બનાવવામાં આવશે. તેઓ શ્રીમદ ભાગવત અને અન્ય શાસ્ત્રોમાં વર્ણવેલ ૧૨ વન (દ્વાદશકાનન) અનુસાર બનાવવામાં આવશે. તેમાં સુંદર બગીચા અને સેંકડો જંગલો હશે. આ મંદિર ૭૦ એકરમાં ફેલાયેલું છે, જેમાંથી ૧૨ એકરમાં કાર-પાર્કિંગની સુવિધા હશે, અને હેલિપેડ પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત ક્રિષ્ના થીમ પાર્ક પણ હશે અને લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ કરવામાં આવશે.

    આ મંદિર પરંપરાગત નાગારા સ્થાપત્ય અને આધુનિક સ્થાપત્યને જાેડીને બનાવવામાં આવ્યું છે. અંદાજ મુજબ મંદિરના નિર્માણમાં કુલ ૭૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે, જ્યારે તેના નિર્માણમાં ભારત અને વિદેશની કુલ ૨૫ કંપનીઓ સામેલ થશે. મંદિરના કુલ ૫૧૧ બ્લોક હશે, જેમાંથી નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. ચંદ્રોદય મંદિર વિશ્વનું સૌથી ઊંચું મંદિર હશે. આ મંદિરની ઉંચાઈ લગભગ ૨૧૦ મીટર હશે. જ્યારે સમગ્ર બિલ્ડિંગની ઊંચાઈ ૮૨૮ મીટર હશે. મંદિરથી તાજમહેલનું અંતર લગભગ ૮૦ કિલોમીટર હશે અને તાજમહેલ તેના ઉપરથી ટેલિસ્કોપ દ્વારા સીધો જાેઈ શકાશે. મંદિરનો પાયો ૫૫ મીટર છે, જે દુબઈમાં વિશ્વની સૌથી ઉંચી ઈમારત બુર્જ ખલીફાના પાયા કરતા ઉંચો છે. એક અંદાજ મુજબ મંદિરની ઉંચાઈ કુતુબમિનાર કરતા ત્રણ ગણી વધારે છે અને અહીં એક સાથે ૧૦,૦૦૦ ભક્તો એકઠા થઈ શકે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.