Economic growth
અમેરિકા દ્વારા વેપાર ભાગીદારો પર ટેરિફ લદાય તે પહેલા, કેન્દ્રીય નાણા મંત્રાલયે કહ્યું છે કે ભૂરાજકીય તણાવ, વેપાર નીતિની અનિશ્ચિતતા અને આંતરરાષ્ટ્રીય કોમોડિટીના ભાવ અને નાણાકીય બજારોમાં અસ્થિરતા ભારત અને આગામી વર્ષે વૈશ્વિક આર્થિક વિકાસ માટે મોટા જોખમો છે. આમ ભારતે વિદેશમાં પ્રવર્તતા નિરાશાવાદથી સાવધ રહેવું જોઈએ.
નાણા મંત્રાલય દ્વારા રજુ થયેલ ફેબુ્રઆરી માસની માસિક આર્થિક સમીક્ષામાં જણાવાયું છે કે, જો ખાનગી ક્ષેત્ર ભારતીય અર્થતંત્રની મજબૂતાઈ અને તેની સ્થિર વૃદ્ધિની સંભાવનાઓમાં વિશ્વાસ સાથે રોકાણ કરે છે, તો વૃદ્ધિ સામેના જોખમોને મોટાભાગે કાબુમાં લઈ શકાય છે.
નાણા મંત્રાલયે ભાર મૂક્યો છે કે ઉદ્યોગે તેના રોકાણ ખર્ચ અને વપરાશ માંગ વચ્ચેના સંબંધને ઓળખવો જોઈએ. મંત્રાલયને આશા છે કે વ્યક્તિગત આવકવેરામાં રાહત મધ્યમ વર્ગ માટે ખર્ચ કરવા માટે વધુ પૈસા ખર્ચ કરશે અને વપરાશની માંગમાં વધારો કરી શકે છે. ખાનગી ક્ષેત્રે આ પગલાંમાંથી સંકેત લેવો જોઈએ અને ક્ષમતા વિસ્તરણ માટે રોકાણ શરૂ કરવું જોઈએ.
મંત્રાલયે જણાવ્યું હતું કે કૃષિ ઉત્પાદન અંદાજ ડેટા ખાદ્ય ફુગાવા માટે સકારાત્મક સંકેત આપે છે. સમીક્ષામાં જણાવાયું છે કે ખાદ્ય પદાર્થોના ભાવમાં તાજેતરમાં ઘટાડો થવાને કારણે ફેબુ્રઆરી ૨૦૨૫માં છૂટક ફુગાવો ઘટીને ૩.૬ ટકા થયો હતો. નાણા મંત્રાલયે ચાલુ નાણાકીય વર્ષમાં કુલ સ્થાનિક ઉત્પાદન વૃદ્ધિ દર ૬.૫ ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે, જે પ્રાપ્ત થવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ ના બીજા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર ૫.૬ ટકા હતો પરંતુ ત્રીજા ક્વાર્ટરમાં તે વધીને ૬.૨ ટકા થયો હતો.