Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»કેરળમાં નિપાહ વાયરસના કહેરથી હાહાકાર નિપાહ કોરોના કરતા પણ ઘાતક, મૃત્યુદર ૪૦-૭૦ ટકા વચ્ચે છે
    India

    કેરળમાં નિપાહ વાયરસના કહેરથી હાહાકાર નિપાહ કોરોના કરતા પણ ઘાતક, મૃત્યુદર ૪૦-૭૦ ટકા વચ્ચે છે

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 16, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    દુનિયા કોરોના વાયરસના આતંકથી વાકેફ છે. ત્યારબાદ અલગ-અલગ જગ્યાએ પર અન્ય ઘણા પ્રકારના વાયરસ જાેવા મળ્યા છે. આ જ રીતે હાલ કેરળના કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાયરસના કારણે બે લોકોના મોત અને પાંચ શંકાસ્પદ લોકોની પુષ્ટિ થયા બાદ ખળભળાટ મચી ગયો છે. જેમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ (આઈસીએમઆર)ના ડીજી રાજીવ બહલે ડેટા જાહેર કર્યો છે.
    ન્યૂઝ એજન્સી અનુસાર, નિપાહ વાયરસમાં મૃત્યુદર ૪૦-૭૦ ટકાની વચ્ચે છે. આ ઉપરાંત, નિપાહ વાયરસને રોકવા માટે, કેન્દ્ર સરકારે ઓસ્ટ્રેલિયાથી મોનોક્લોનલ એન્ટિબોડીઝના ૨૦ ડોઝ ખરીદવાનો ર્નિણય કર્યો છે. આઈસીએમઆર ચીફે કહ્યું, ‘વર્ષ ૨૦૧૮ માં, અમે ઓસ્ટ્રેલિયાથી મોનોક્લોનલ એન્ટિબોડીઝના કેટલાક ડોઝ લીધા હતા. હાલમાં આ ડોઝ માત્ર ૧૦ દર્દીઓ માટે ઉપલબ્ધ છે. ૨૦ વધુ ડોઝ ખરીદી રહ્યા છીએ. પરંતુ આ દવા ઇન્ફેકશનના પ્રારંભિક તબક્કામાં આપવી પડે છે.’ આ સિવાય તેમણે કહ્યું કે આ વાયરસથી ઇન્ફેક્ટેડ ૧૦૦ લોકોમાંથી ૪૦-૭૦ લોકોના મોતનો ખતરો છે.

    રાજીવ બહલે કહ્યું કે કોરોના ચેપમાં મૃત્યુ દર માત્ર ૨-૩ ટકા હતો. નિપાહમાં સંક્રમિત લોકોનો મૃત્યુદર સરખામણીમાં ઘણો વધારે છે. જે ૪૦ થી ૭૦ ટકા વચ્ચે છે. હાલમાં તેના ઇન્ફેકશનથી બચવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે પુષ્ટિ કરી કે આ વાયરસનો બાંગ્લાદેશી સ્ટ્રેન છે અને તે માણસથી માણસમાં ફેલાય છે. કેરળમાં નિપાહ વાયરસના કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા છે. તેણે એ પણ જણાવ્યું કે આ પ્રકાર ઓછો ચેપી છે પરંતુ તેનો મૃત્યુદર વધારે છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર, આ વાયરસનો કોઈ ઈલાજ કે રસી નથી, આથી હાલ તેનાથી બચવું જ એ એકમાત્ર ઉપાય છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Education: અમેરિકામાં અભ્યાસ: રહેવાનો વાસ્તવિક ખર્ચ કેટલો છે?

    August 22, 2025

    PM Modi: લોકસભા અને રાજ્યસભા સ્થગિત, વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા

    August 21, 2025

    Rahul Gandhi: રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન અકસ્માત

    August 21, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.