Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ઈન્ડિયાના સંયોજક પદને લઈને ચર્ચા અંગત રીતે કંઈ નથી જાેઈતું, મારું કામ બધાને એક કરવાનું ઃ નીતિશ
    India

    ઈન્ડિયાના સંયોજક પદને લઈને ચર્ચા અંગત રીતે કંઈ નથી જાેઈતું, મારું કામ બધાને એક કરવાનું ઃ નીતિશ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 28, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારતમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે વિપક્ષી પાર્ટીઓનું મહાગઠબંધન ઈન્ડિયાસતત ચર્ચામાં છે. આ ચર્ચાનું મુખ્ય કારણ આ મહાગઠબંધનના સંયોજકનું પદ છે. મહાગઠબંધનની રચના થઈ ત્યારથી જ એવી અટકળો ચાલી રહી હતી કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને આ મહાગઠબંધનના સંયોજક બનાવવમાં આવી શકે છે, જાે કે આ અટકળો વચ્ચે નીતિશ કુમારે પૂર્ણવિરામ મુક્તા કહ્યું હતું કે હું આ મહાગઠબંધનનો કન્વીનર બનવા માંગતો નથી.સીએમ નીતિશ કુમારે કહ્યું કે અન્ય નેતાને કન્વીનર બનાવવામાં આવશે. આ સિવાય સીએમ નીતિશે વધુમાં કહ્યું કે મારે અંગત રીતે કંઈ જાેઈતું નથી, મારું કામ માત્ર બધાને એક કરવાનું છે. આ ઉપરાંત બિહારના નાયબ મુખ્યમંત્રી જ્યારે ઈન્ડિયાગઠબંધનના સંયોજક કોણ બનશે? એવું પૂછવામાં આવ્યું તો તેમણે સીધું કોઈનું નામ પણ ન લીધું અને કહ્યું કે મુંબઈની બેઠકમાં બધા લોકો સાથે બેસીને આ અંગે ર્નિણય લેશે.

    બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું હતું કે મુંબઈમાં વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાની આગામી બેઠક દરમિયાન કેટલાક વધુ રાજકીય પક્ષો તેમાં સામેલ થવાની સંભાવના છે. ભાજપ વિરોધી પક્ષોને એકસાથે લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહેલા નીતિશે ‘ઈન્ડિયા’માં જાેડાનાર સંભવિત પક્ષોના નામ જાહેર કર્યા ન હતા, પરંતુ એમ કહ્યું હતું કે બેઠક દરમિયાન બેઠકોની વહેંચણી જેવા ચૂંટણી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.પટનામાં પત્રકારો સાથે વાત કરતાં નીતિશ કુમારે કહ્યું હતું કે મુંબઈમાં આગામી બેઠક દરમિયાન અમે આવતા વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીને લઈને ‘ઈન્ડિયા’ની રણનીતિ પર ચર્ચા કરીશું. બેઠકોની વહેંચણી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને અન્ય ઘણા એજન્ડાને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે હું ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલા બને તેટલી પાર્ટીઓને એક કરવા માંગુ છું. હું આ દિશામાં કામ કરી રહ્યો છું.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.