Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»વિરોધ કરવા આવી રહેલા ૫૦ની અટકાયત ઈમામ શાહ બાવા દરગાહનું નામ બદલીને હંસતેજજી મહારાજ ધામ કરાયું
    Gujarat

    વિરોધ કરવા આવી રહેલા ૫૦ની અટકાયત ઈમામ શાહ બાવા દરગાહનું નામ બદલીને હંસતેજજી મહારાજ ધામ કરાયું

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 18, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અમદાવાદની સીમમાં આવેલા પીરાણા દરગાહને મંદિરમાં રૂપાંતર કરવાને લઈ લોકો વિરોધ કરી રહ્યા છે. જેને લઈ સૈયદ ઈમામશાહ બાવાના વંશજાેએ રૂપાંતરના વિરોધમાં આંદોલન જાહેર કર્યું હતું. આ તરફ હવે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાને ધ્યાને રાખી મહેડાવ નજીકથી ૫૦ લોકોને ડીટેઈન કર્યા છે. આ તમામ લોકો મહેડાવમાં મંદિરના વિરોધમાં આંદોલન કરતા હોવાનું સામે આવ્યા છે. જેને લઈ આજે પેટલાદથી અમદાવાદના પીરાણા જતી બસમાં સવાર તમામને પોલીસે અટકાવ્યા છે.
    પીર ઈમામશાહ બાવાના મૃત્યુની પાંચ સદીઓ પછી જેમનું અમદાવાદની સીમમાં આવેલા પીરાણા ગામ ખાતેનું મંદિર હિન્દુ-મુસ્લિમ સાંપ્રદાયિક સૌહાર્દનું પ્રતીક છે. આ તરફ હવે તેમના હિન્દુ અનુયાયીઓએ સુફી સંત સદગુરુ હંસતેજ મહારાજનું નામકરણ કર્યું છે. પીરના વંશજાે જેઓ સ્થાનિક સૈયદ સમુદાયના છે તેઓએ આ નામ બદલવાનો સખત વિરોધ કર્યો છે. પીરના વંશજાેનું શું કહેવું છે ?
    ઈમામશાહ બાવાના વંશજાેએ કહ્યું કે આ તીર્થસ્થાનને ભગવા કરવાનો પ્રયાસ છે.

    જેના વિરોધમાં તેઓ શુક્રવારે બપોરે મંદિર પરિસરમાં અનિશ્ચિત ઉપવાસ શરૂ કરશે. ઇમામશાહ બાવા રોઝા સંસ્થાનના ત્રણ મુસ્લિમ ટ્રસ્ટીઓએ ગુરુવારે જિલ્લા કલેક્ટરને તેમના અનિશ્ચિત ઉપવાસની જાણ કરી અધિકારીઓના તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી. આ ટ્રસ્ટીઓએ ઉપવાસ પર ઉતરેલા ૨૫ લોકો માટે સુરક્ષાની પણ માંગ કરી છે. બદલેલા નામનું બોર્ડ લાગ્યું અને પછી….
    ઈમામશાહ બાવાના વંશજાેએ કહ્યું કે ગવર્નર સહિત વિવિધ સત્તાવાળાઓને કરેલી રજૂઆતમાં કહ્યું કે, ટ્રસ્ટીઓએ હઝરત પીર ઈમામશાહ બાવાની દરગાહ (જેઓ ૧૬મી સદીની શરૂઆતમાં મૃત્યુ પામ્યા હતા) ને હિંદુ ધાર્મિક સ્થાનમાં રૂપાંતરિત કરવાના “પ્રયાસ” સામે વાંધો ઉઠાવ્યો છે. તેઓએ કહ્યું કે કેટલાક અસામાજિક તત્વોએ ૧૩ ઓગસ્ટના રોજ સમાધિ પર અને તેની આસપાસ દેવતાઓના પોસ્ટરો ચોંટાડ્યા હતા અને ૧૫ ઓગસ્ટે મંદિરની બહાર ૨૫ ફૂટનું હોર્ડિંગ લગાવ્યું હતું. આ હોર્ડિંગમાં ‘ઓમ શ્રી સદગુરુ હંસતેજી મહારાજ અખંડ દિવ્યજ્યોતિ મંદિર’ લખવામાં આવ્યું છે.

    આ તરફ સંત માટે હિન્દુ નામ ધરાવતા હોર્ડિંગ્સ પર મંદિરના ટ્રસ્ટીઓમાંથી એક હર્ષદ પટેલે કહ્યું કે, આ સંતનું નામકરણ નથી. મુસ્લિમ ટ્રસ્ટીઓ આવો દાવો કરવામાં આવ્યો તે ખોટું છે. હંસતેજ મહારાજનું નામ ૪,૦૦૦ વર્ષથી વધુ સમયથી શાસ્ત્રોમાં છે. વિવિધ પુસ્તકોમાં ઈમામશાહ બાવાનો હંસતેજ મહારાજ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમે બે દિવસ પહેલા જ આ નામનો ઉપયોગ કરીને પોસ્ટરો અને હોર્ડિંગ્સ લગાવ્યા છે. તે ટ્રસ્ટને “તીર્થધામ પ્રેરણાપીઠ” તરીકે પણ ઉલ્લેખ કરે છે.
    નોંધનીય છે કે, પીરાણા મંદિર સાંપ્રદાયિક સૌહાર્દનું પ્રતીક હતું. જેમાં સંતના મોટાભાગના અનુયાયીઓ હિંદુ હતા જેને સત્સંગી અથવા સતપંથી કહેવાય છે. જાેકે મંદિરના મુસ્લિમ ટ્રસ્ટીઓ અને અનુયાયીઓ કહે છે કે, છેલ્લા કેટલાક દાયકાઓમાં હિંદુ ઓળખનો દાવો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે સુન્ની અવામી ફોરમ નામના મુસ્લિમ સંગઠને પીઆઈએલ દાખલ કરી અને મંદિરની અંદર નવા મંદિરના નિર્માણ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે તેણે પૂજા સ્થાનો અધિનિયમ, ૧૯૯૧નો ઉપયોગ કરીને આવા વિકાસ પર પ્રતિબંધની માંગ કરી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

    July 10, 2025

    Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

    July 9, 2025

    Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.