Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Politics»કોંગ્રેસે કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહી અટકાવવા માગ કરી ચૂંટણી સમયે પણ પંચ કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહી ન રોકી શકે
    Politics

    કોંગ્રેસે કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહી અટકાવવા માગ કરી ચૂંટણી સમયે પણ પંચ કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહી ન રોકી શકે

    Shukhabar DeskBy Shukhabar DeskNovember 11, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. આવા સમયે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે કેન્દ્રની ભાજપ સરકારના ઈશારે સેન્ટ્રલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) વિપક્ષી નેતાઓ સામે કાર્યવાહી કરી રહી છે. આ પક્ષોએ ચૂંટણી પંચને કેન્દ્રીય એજન્સીઓ પર લગામ લગાવવાની માંગ કરી છે. હવે નિયમ એવો છે કે ચૂંટણી સમયે વૈધાનિક સત્તાઓ ચૂંટણી પંચના હાથમાં હોય છે. તો શું પંચ કેન્દ્રીય એજન્સીઓને પગલાં લેવાથી રોકી શકે છે?

    જાેઈએ વિગતવાર.

    એક અહેવાલ મુજબ ચૂંટણી પંચ કેન્દ્રીય એજન્સીઓને બંધારણીય ધોરણો પ્રમાણે કામ કરતા રોકી શકે નહીં. કાનૂની નિષ્ણાત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઈન્ટેલીજન્સ ઇન્ફોર્મેશન એકઠી કરવી, તપાસની લીડ્‌સ શોધવી અને જપ્તી, એફઆઈઆર નોધવી અને ધરપકડ કરવી, આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટ જેવા ગુનાહિત કોડ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. તેમને કોઈપણ સંજાેગોમાં રોકી શકાય નહીં.એક વરિષ્ઠ વકીલના જણાવ્યા મુજબ ચૂંટણી પંચને કલમ ૩૨૪ હેઠળ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીના હિતમાં નિર્દેશ આપવાની સત્તા છે.

    જાે કે, આ સત્તા એજન્સીઓ દ્વારા લેવામાં આવતી કાર્યવાહીને રોકી શકતી નથી. કોર્ટ પાસે આ ક્રિયાઓને રોકવા અથવા બદલવાનો અધિકાર છે. ‘પૂર્વગ્રહ’ના આધારે એફઆઈઆર રદ કરવાની માંગ નીચલી કોર્ટમાંથી અથવા સીધી હાઈકોર્ટમાંથી અથવા સીઆરપીસીની કલમ ૪૮૨ હેઠળ રિટ દ્વારા કરી શકાય છે. આ સિવાય અન્ય કોઈ એજન્સી તેને રોકી શકે નહીં.

    બુધવારે કોંગ્રેસના એક પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચ પાસે રાજ્યોમાં ઈડી દ્વારા સતત દરોડા પાડવાની માંગ કરી હતી. મહાદેવ એપ કેસમાં ઈડી છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે રાજકીય દબાણને કારણે ચૂંટણીની વચ્ચે આ રીતે આ બધું કરવામાં આવી રહ્યું છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Punjab માં ઉમેદવારો પક્ષના ચિન્હ વિના પંચાયત ચૂંટણી લડશે.

    September 5, 2024

    Haryana માં કોંગ્રેસ પાસે સીએમ માટે આ 3 ચહેરા સામે આવ્યા.

    September 2, 2024

    Election Commission Haryana વિધાનસભા માટે નવી તારીખની જાહેરાત થઈ શકે છે.

    August 27, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.