Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Politics»સંસદના વિશેષ સત્રમાં સરકાર પર કોંગ્રેસના પ્રહાર ઝીરો કમળથી ઢંકાઈ ગયો તેથી જી૨૦ને બદલે જી૨ દેખાય છેઃ ખડગે
    Politics

    સંસદના વિશેષ સત્રમાં સરકાર પર કોંગ્રેસના પ્રહાર ઝીરો કમળથી ઢંકાઈ ગયો તેથી જી૨૦ને બદલે જી૨ દેખાય છેઃ ખડગે

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 19, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સંસદના પાંચ દિવસીય વિશેષ સત્રની શરૂઆત આજથી થઇ ગઈ છે. પ્રથમ દિવસે જુની બિલ્ડીંગમાં કાર્યવાહી થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ચર્ચાની શરૂઆત કરી. તે જ સમયે, સંસદના વિશેષ સત્રમાં વિપક્ષી નેતાઓએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે ઘણી વાતો પર સરકારને ઘેરી હતી. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જી૨૦ને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધવાનો પ્રયાસ કર્યો. ખડગેએ તેમના ભાષણમાં કહ્યું કે, મોંઘવારી અને બેરોજગારીના મુદ્દાઓ પર ધ્યાન આપવાને બદલે જી૨ની વાત કરવામાં વ્યસ્ત છીએ.

    જયારે ખડગે જી૨૦ને બદલે જી૨ બોલ્યા ત્યારે સભાપતિ જગદીપ ધનખડે તેમને ટોક્યા હતા. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, તે જી-૨૦ છે. તેના જવાબમાં ખડગેએ કહ્યું કે, જી-૨૦નો ઝીરો કમળથી ઢંકાય ગયો હતો. વિપક્ષના નેતાએ કહ્યું, જી-૨૦ના પોસ્ટરમાં જી-૨૦ ને બદલે જી-૨ દેખાય છે કારણ કે તેનો ઝીરો કમળથી ઢંકાય જાય છે. ખડગેના જવાબમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, ખડગે જી, આ તમારા સ્તરની વાત નથી. સંસદના વિશેષ સત્રમાં વિપક્ષી નેતાઓએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, નેહરુજી માનતા હતા કે જાે મજબૂત વિપક્ષ ન હોય તો તે યોગ્ય નથી. હવે સામે જાેરદાર વિપક્ષ છે તો તપાસ એજન્સીઓ દ્વારા તેને નબળો પાડવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

    ખડગેએ કહ્યું કે, અમને વારંવાર પૂછવામાં આવે છે કે અમે ૭૦ વર્ષમાં શું કર્યું? અમે ૭૦ વર્ષમાં આ દેશની લોકશાહીને મજબૂત કરી છે. દેશનો પાયો નહેરુના સમયમાં નખાયો હતો. પાયાના પથ્થરો દેખાતા નથી. વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાના નામ પર ભાજપ પર પ્રહાર કરતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, નડ્ડા સાહેબ અમને નીચા કરવા માટે ગઠબંધનનું નામ ઈન્ડિ કહે છે. તેમણે કહ્યું કે, નામ બદલવાથી કંઈ થતું નથી, આપણે ઈન્ડિયા છીએ.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    હિંસા બાદ લેહમાં કડક નિયંત્રણો: કલમ 163 હેઠળ જાહેર સભાઓ પર પ્રતિબંધ

    September 24, 2025

    કર્ણાટક હાઈકોર્ટનો સ્પષ્ટ ચુકાદો: ભારતમાં X એ ભારતીય કાયદાઓનું પાલન કરવું પડશે

    September 24, 2025

    US election Russian interference:ગુપ્તચર તપાસમાં રાજકીય દખલ

    July 3, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.