Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»કમિશન વધારાની માંગણીનો અમલ થયો નથી સસ્તા અનાજના દુકાનદારોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી
    Gujarat

    કમિશન વધારાની માંગણીનો અમલ થયો નથી સસ્તા અનાજના દુકાનદારોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 25, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સપ્ટેમ્બર મહિનામાં રેશનકાર્ડ ધારકોને અનાજ મળશે નહીં. કમિશન વધારાની માંગણીનો અમલ ન થતાં સસ્તા અનાજના દુકાનદારોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. મળતી જાણકારી અનુસાર, રેશનિંગ દુકાનદારોના કમિશન વધારાના માંગણીનો ઉકેલ ના આવતા સપ્ટેમ્બર મહિનામાં રાશન કાર્ડ ધારકોને અનાજ મળશે નહીં.આગામી દિવસોમાં તહેવારોની શરૂઆત થઇ રહી છે ત્યારે સરકારને કરેલી રજૂઆતોનું નિરાકરણ ન આવતા રેશનિંગના દુકાનદારોએ સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ, ખાંડ અને તેલનું વિતરણ બંધ રાખવાનો ર્નિણય કર્યો છે. જેના કારણે રેશનકાર્ડધારકો મુશ્કેલી પડી શકે છે. ફેર પ્રાઈઝ શોપ વેપારી અસોસિએશનના પ્રમુખે કહ્યુ હતું કે વિધાનસભાની ચૂંટણી પૂર્વે સરકારે સસ્તા અનાજની દુકાનના તમામ ૧૭ હજાર વેપારીઓને કમિશનની ઘટ અંતર્ગત રૂપિયા ૨૦ હજાર સુધીની રકમ ભરપાઇ કરી આપવાની જાહેરાત કરાઇ હતી. પરંતુ તેનો હજી સુધી અમલ કર્યો નથી.

    આ ઉપરાંત સસ્તા અનાજની દુકાનો પર તપાસ કરવામાં આવે તો પુરવઠાની ઘટ હોય તો તેમાં એક ટકા સુધી રાહત અપાય છે. એક ટકાથી વધુ હોય તો જ લીગલ કાર્યવાહી કરવામાં આવે છે. સાથો સાથ હાલ અનાજના વિતરણમાં એક કિલોએ ૧.૪૩ રૂપિયા કમિશન અપાય છે તેના બદલે હરિયાણા સરકારની જેમ અનાજના કિલોએ રૂપિયા બે કમિશન આપવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી, પરંતુ તેમાં વાટાઘાટો પડી ભાંગતા વેપારીઓએ પુરવઠો સ્વીકારવા ઇનકાર કર્યો હતો.અગાઉ કેન્દ્ર સરકારે રેશન કાર્ડ સાથે આધાર લિંક કરવાની અંતિમ તારીખ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી લંબાવી છે. અગાઉ આ સમયમર્યાદા ૩૦ જૂન ૨૦૨૩ સુધી હતી. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે આ આદેશ અંગે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. એકથી વધુ રેશનકાર્ડ રાખવા પર પ્રતિબંધ મૂકવાના હેતુસર સરકાર આધારને રેશનકાર્ડ સાથે લિંક કરવાનો આગ્રહ કરી રહી છે.

    દેશના કરોડો પાત્ર રાશન કાર્ડ ધારકોને સબસિડીવાળા અનાજ અને બળતણ સસ્તા દરે વિતરણ કરવામાં આવે છે. પાસપોર્ટ, પાન કાર્ડ જેવા દસ્તાવેજાેની જેમ રેશન કાર્ડનો પણ ઓળખ અને સરનામાના પુરાવા તરીકે ઉપયોગ થાય છે. ભૂતકાળમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે કે ઘણા જરૂરિયાતમંદ લોકોને સબસિડીવાળા અનાજ નથી મળતું અને આવા કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે કે રેશનકાર્ડ ધારકો તેમના હિસ્સા કરતા સસ્તા દરે અનાજ લઈ રહ્યા છે. જેઓ પાત્રતા ધરાવતા નથી તેઓ પણ રાશનની દુકાનોમાંથી સબસીડીવાળું અનાજ લઈ રહ્યા છે અને જેઓ પાત્ર છે તેઓને સબસીડીવાળું અનાજ નથી મળી રહ્યું. તેને રોકવા માટે કેન્દ્ર સરકારે રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવાનો ર્નિણય લીધો છે. રેશનકાર્ડને આધાર સાથે લિંક કરવાના સ્ટેપ અહીં આપ્યા છે

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

    July 10, 2025

    Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

    July 9, 2025

    Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.