Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»પોલીસ સુરક્ષા સાથે ઢોરને પકડવાની કામગીરી શરૂ જામનગરમાં ઢોરની સમસ્યાના ઉકેલ માટે મહાનગર પાલિકા દ્રારા વધુ એક પ્રયાસ
    Gujarat

    પોલીસ સુરક્ષા સાથે ઢોરને પકડવાની કામગીરી શરૂ જામનગરમાં ઢોરની સમસ્યાના ઉકેલ માટે મહાનગર પાલિકા દ્રારા વધુ એક પ્રયાસ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 9, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    જામનગર શહેરમાં રખડતા ઢોરની સમસ્યાના ઉકેલ માટે મહાનગર પાલિકા દ્રારા વધુ એક પ્રયાસ કરવામાં આવ્યો. પોલીસ સુરક્ષા સાથે ઢોરને પકડવાની કામગીરી શરૂ કરી. જે બે સપ્તાહ સુધી ચાલશે. પકડાયેલ ઢોરને ઢોરના ડબ્બામાં રાખવામાં આવતા હોય છે. જયાં ઢોરના મોત થતા દડીયા ગામના સરપંચે ઢોરના ડબ્બાના તાળા તોડીને ઢોર ખુલ્લા મુકવાની ચીમકી આપી છે.
    જામનગર શહેરમાં રખડતા ઢોરની સમસ્યાથી લોકો ત્રાહિમામ થયા છે. અનેક રજુઆતો બાદ મહાનગર પાલિકા દ્રારા રખડતા ઢોરની સમસ્યાના ઉકેલ માટે વિવિધ પ્રયાસો શરૂ થયા છે. ઢોરને પકડવાની કામગીરી કરવામાં ઢોર માલિકા સાથે વિવાદ થતા હોય છે. ત્યારે રખડતા ઢોરને પકવા માટે પોલીસ સુરક્ષા સાથે કામગીરી શરૂ કરવામાં આવે છે. જે બે સપ્તાહ સુધી કામગીરી ચાલશે. બે ટીમ દ્રારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી છે.

    શહેરમાં ઢોર રહે તો લોકો સુરક્ષિત નથી. અને ઢોર પકડીને ઢોરના ડબ્બામાં રાખવામાં આવે તો ઢોર સુરક્ષિત નથી. ઢોરના ડબ્બામાં દૈનિક ૨ થી ૪ ઢોરના મોત થાય છે. જયા સફાઈ, ખોરાક અને પશુને તબીબી સારવાર યોગ્ય રીતે ના મળતા પશુઓના મોત થતા હોવાનો વિપક્ષનો આક્ષેપ છે. જે માટે મહાનગર પાલિકા દ્રારા કામગીરી કરવાની માંગ કરી છે. જુલાઈ માસમાં કુલ ૩૧૮ ઢોરને પકડવામાં આવ્યા. જુલાઈમાં કુલ ૧૯૪ ઢોરના મોત ઢોરના ડબ્બામાં થયા છે. છેલ્લા એક સપ્તાહમાં કુલ ૧૩૬ ઢોરને પકડવામાંં આવ્યા છે. ઢોરના ડબ્બામાં ૧૫થી વધુ ઢોરના મોત થયા છે.

    ઢોરના ડબ્બામાં દૈનિક થતા ઢોરના મોતથી દડીયા ગામના સરપંચે રાજુ લખીયરએ તંત્રને યોગ્ય કામગીરી કરવાની રજુઆત કરી છે. સાત દિવસમાં યોગ્ય પગલા નહી લેવાય તો ઢોરના ડબ્બાના તાળા તોડીને ઢોરને છોડાવી જવાની ચીમકી ઉચ્ચારી છે. મહાનગર પાલિકાનો ઢોરનો ડબ્બો દડીયામાં આવેલ છે. જયા દૈનિક ઢોરના મોત થતા ગ્રામજનોમાં તંત્રની કામગીરી સાથે રોષ છે. તેથી પશુઓના મોત ના થાય તેવી કામગીરી કરવાની માંગ સરપંચેે છે.ઢોરના ડબ્બામાં પુરતી વ્યવસ્થા હોવાનુ અધિકારી જણાવે છે. જયારે પશુઓના મોત અંગે તેમના અન્ય કારણોથી મોત થતા હોવાનુ અધિકારી જણાવે છે. તબીબની સેવા અને પુરતા પ્રમાણમાં ખોરાકની વ્યવસ્થા ઢોરના ડબ્બામાં પશુઓ માટે કરવામાં આવે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.