Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»વર્ષના અંતમાં મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસની સરકાર બનતા જ મ.પ્ર.માં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાશે
    India

    વર્ષના અંતમાં મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસની સરકાર બનતા જ મ.પ્ર.માં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાશે

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 22, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જાહેરાત કરી હતી કે પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે. આ પહેલા બિહારમાં નીતિશની આગેવાની હેઠળની મહાગઠબંધન સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરી રહી છે. આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી છે. કોંગ્રેસે પૂરા જાેરશોરથી ભાજપને સત્તામાંથી બહારનો રસ્તો બતાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આ સાથે જ મલ્લિકાર્જુન ખડગે મધ્યપ્રદેશના સાગરમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે પૂર્વ સીએમ કમલનાથ પણ હાજર હતા. આ દરમિયાન ખડગેએ ઘણી મોટી જાહેરાતો કરી હતી. ખડગેએ કહ્યું કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ સાગરમાં સંત રવિદાસ જીના નામ પર યુનિવર્સિટી ખોલવામાં આવશે આ ઉપરાંત તેમણે કહ્યું કે રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવતાની સાથે જ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે.

    ખડગેએ સાગરમાં રવિદાસનું મંદિર બનાવવાના મુદ્દે સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે ભાજપ હવે ચૂંટણી સમયે સંત રવિદાસને યાદ કરે છે. એક વ્યક્તિ ૧૮ વર્ષથી એમપીમાં શાસન કરે છે, મોદીએ ગુજરાતમાં ૧૩ વર્ષ શાસન કર્યું. દિલ્હીના શાસનને ૧૦ વર્ષ થવા આવી રહ્યા છે. તો ૨૪ વર્ષ વીતી ગયા. કોંગ્રેસને કહેવામાં આવે છે કે જ્યારે મોદીજીએ તેના અડધા વર્ષ સુધી શાસન કર્યું છે. જુઓ ગુજરાતમાં, સૌથી પછાત રાજ્ય ગુજરાત છે. મલ્લિકાર્જુન ખડગેએ વધુમાં કહ્યું હતું કે આઝાદી માટે લડનારા લોકો કોણ હતા? તે સમયે મોદીજી કે શાહનો જન્મ થયો હતો? તેઓ મોટી મોટી વાતો કરે છે કે આઝાદી અમે અપાવી, બંધારણ અમે બનાવ્યું તો પણ હજુ પણ અમને પૂછે છે કે અમે શું કર્યું? તમે ડર બતાવીને તમારી સરકારો બનાવી. જેમ મધ્યપ્રદેશમાં સરકાર બની, તેવી જ રીતે કર્ણાટકમાં પણ સરકાર બની.

    ૧૬ ધારાસભ્યોને પૈસા આપીને રાખ્યા, મંત્રી બનવાની લાલચ આપીને સરકાર બનાવી. મણિપુરમાં પણ આવી જ સરકાર બનાવી હતી.જાતિ આધારિત વસ્તી ગણતરી શું છે ભારતમાં દર ૧૦ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. આ સરકારને વિકાસ યોજનાઓ તૈયાર કરવામાં મદદ કરે છે. બીજી બાજુ, જાતિ આધારિત વસ્તી ગણતરી જાતિના આધારે લોકોની વસ્તી ગણતરીનો સંદર્ભ આપે છે. આને જાતિની વસ્તી ગણતરી કહેવાય છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Government Job: RRB NTPC UG ભરતી 2025: અરજી પ્રક્રિયા શરૂ, 27 નવેમ્બર સુધીમાં અરજી કરો

    October 28, 2025

    IAS Transfer: યોગી સરકારનું મોટું પગલું: 46 IAS અધિકારીઓના પોસ્ટિંગમાં ફેરફાર, વહીવટી કડક થવાના સંકેત

    October 28, 2025

    Job 2025: કારકિર્દીમાં પ્રગતિ માટે સુવર્ણ તક, 103 સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યાઓ

    October 28, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.