Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»તરસાલીમાં મહિલાની હત્યાનો મામલો સગા ભાણીયાએ રુ.૧૦૦૦ માટે માસીની હત્યા કરી
    Gujarat

    તરસાલીમાં મહિલાની હત્યાનો મામલો સગા ભાણીયાએ રુ.૧૦૦૦ માટે માસીની હત્યા કરી

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 18, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    વડોદરાનાં તરસાલીમાં મહિલાની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થવા પામ્યો છે. જેમાં મૃતક મહિલાનાં સગા બહેનનાં દીકરાએ જ હત્યા કર્યાનો ખુલાસો થયો હતો. નયન નામનાં શખ્સ દ્વારા જ સગા માસીની હત્યા કરી હતી. મૃતક મહિલા નિઃસંતાન હોવાથી નયનને નાનપણથી ઉછેર્યો હતો. નયન દ્વારા મહિલાને મારી નાંખી મિલકત હડપવાનો કારસો રચ્યો હતો. આરોપી નયને મહિલા પાસે એક હજાર રૂપિયાની માંગણી કરી હતી. મહિલા દ્વારા નયનને પૈસા ન આપતા નયને ઉશ્કેરાઈ જઈ હેમંતની મદદથી નયને વૃદ્ધ મહિલાની હત્યા કરી દીધી હતી. ત્યારે હત્યા કર્યા બાદ આરોપીઓ વડોદરાથી ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસે બંનેને મોબાઈલ લોકોશનનાં આધારે ઝડપી પાડ્યા છે.

    વડોદરાનાં તરસાલી વિસ્તારમાં રહેતા સુલોચનાબેન અમીનનો મૃતદેહ ઘરમાંથી મળી આવતા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા મકરપુરા પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચનાં અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાં સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તેમજ એફએસએલ ટીમ પણ ઘટનાં સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ બાબતે ડીસીપી લીના પાટીલે જણાવ્યું હતું કે સુલોચનાબેન અમીન દ્વારા તેમનાં જેઠનાં દિકરાની વારસદાર તરીકે ઘર તેમજ પ્રોપર્ટી આપેલ હતી. ત્યારે આ મિલકત મૃતક મહિલા દ્વારા નયને ન આપવાનાં કારણે નયને હેમંતની મદદ લઈ સમગ્ર કાવતરૂ ઘડી કાઢ્યું હતું. આ મર્ડર રાતે ૧૧.૩૦ આસપાસ થયેલું છે. તેમજ આ મર્ડર કર્યા બાદ તેઓ કરજણ અને કરજણથી છાણી જઈ આરોપીઓ પાવાગઢ ગયા હોવાનું તેઓનાં લોકેશનનાં આધારે જાણવા મળ્યું હતું.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.