Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»૫૫ લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો બેંક મેનેજરે એનઆરઆઈ NRI સાથે કરી દીધો કાંડ
    Gujarat

    ૫૫ લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો બેંક મેનેજરે એનઆરઆઈ NRI સાથે કરી દીધો કાંડ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 20, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    વડોદરાના પરંતુ વિદેશમાં સ્થાયી થયેલા NIRએ શહેરની જ એક બેન્કમાં ૫૫ લાખ રૂપિયા એફડી કરવા માટે આપ્યા હતા. પરંતુ બેંકના તત્કાલિન મેનેજરે તેમની સાથે મોટો કાંડ કરી દીધો છે. વડોદરાની સિટી યુનિયન બેંકમાં ખાતું ધરાવતા એનઆરઆઈને બેંકમાં ૫૫ લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરાવવાની હતી. તે માટે એનઆરઆઈ એ તત્કાલિન બેંક મેનેજરને સેલ્ફ લખેલો ૫૫ લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. પરંતુ બેંક મેનેજરે તે ચેક બેંકમાં ખાતું ધરાવતા તેમના મિત્રના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધો હતો. અંતે જ્યારે એફડી પાકવાની મુદત આવી ત્યારે બેંક મેનેજરે કરેલા કાંડનો ભાંડો ફૂટી ગયો હતો. હવે બેંક મેનેજર સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે હાલમાં બેંક તરફથી બરતરફ કરવામાં આવેલા મેનેજરની શોધખોળ હાથ ધરી છે.

    આ અંગે નોંધાયેલી પોલીસ ફરિયાદ પ્રમાણે છેલ્લા ઘણા સમયથી વિદેશમાં રહેતા મૂળ વડોદરાના એનઆરઆઈ થ્રીસીયા ઓગસ્ટીન અને બેની મેથ્યુઝ વડોદરાના ટ્રાઈડેન્ટ કોમ્પલેક્સમાં આવેલી સિટી યુનિયન બેંકમાં સેવિંગ્સ એકાઉન્ટ ધરાવતા હતા. ૧૭ જુલાઈ ૨૦૨૧ના રોજ બંને એનઆરઆઈ સિટી યુનિયન બેંક ગયા હતા અને તત્કાલિન બ્રાન્ચ મેનેજર ફાની કુમાર એમને મળ્યા હતા. તેમણે ફિક્સ ડિપોઝિટ માટે મેનેજરને ૫૫ લાખ રૂપિયાનો સેલ્ફ લખેલો ચેક આપ્યો હતો. તેઓ એક વર્ષ માટે એફડી કરાવવા ઈચ્છતા હતા. જાેકે, બેંક મેનેજરે તેમની સાથે મોટી ગેમ રમી દીધી હતી. બેંક મેનેજરે એનઆરઆઈના રૂપિયા તેમની જ બેંકમાં એકાઉન્ટ ધરાવતા ઓમ એન્જિનિયરના સંચાલક પંકજ મકવાણાના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. પંકજ મકવાણા ત્યારે તેમની પાસે આવ્યો હતો અને પોતે આર્થિક મુશ્કેલીમાં હોવાના કારણે ફાની કુમાર પાસે મદદ માંગી હતી.

    બેંકના કહેવા પ્રમાણે ફાની કુમારે એનઆરઆઈના એકાઉન્ટમાંથી ૫૫ લાખ રૂપિયા ડેબિટ કર્યા હતા ત્યારે એનઆરઆઈના મોબાઈલ પર આ અંગેનો મેસજ પણ આવ્યો હતો. પરંતુ તેમને લાગ્યું હતું કે કાદચ રૂપિયાની એફડી થઈ ગઈ હોવાથી ડેબિટનો મેસેજ આવ્યો હશે. જાેકે, બેંક મેનેજરે તેમની તમામ રકમ પંકજ મકવાણાના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી. મેનેજરે પહેલા ૪૫.૮૦ લાખ અને બાદમાં છ લાખ એમ બે ટ્રાન્ઝેક્શન દ્વારા એનઆરઆઈના ખાતાની રકમ પંકજ મકવાણાના ખાતામાં ટ્રાન્સફર કરી હતી. હવે જ્યારે એક વર્ષ બાદ એફડી પાકવાની મુદત આવી ત્યારે વિદેશથી એનઆરઆઈ એ તેમના એક સંબંધીને ફોન કરીને બેંકમાં એફડીની પૂછપરછ કરવાનું કહ્યું હતું. તેમના સંબંધી જ્યારે એફડીની પૂછપરછ માટે બેંકમાં ગયા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે આવી કોઈ એફડી કરવામાં આવી જ નથી. બેંકે આ અંગે તપાસ કરી ત્યારે બેંક મેનેજર ફાની કુમારનો ભાંડો ફૂટી ગયો હતો. ત્યારે બેંકે તેમને નોકરીમાંથી હાંકી કાઢ્યા હતા. સિટી યુનિયન બેંકના વર્તમાન મેનેજર નિતલબેન પટેલે આ અંગે બેંકના તત્કાલિન બ્રાન્ચ મેનેજર સામે વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ જેકે મકવાણા હાલમાં આ કેસની તપાસ કરી રહ્યા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

    July 10, 2025

    Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

    July 9, 2025

    Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.