Ayodhya Ram Mandir: રાજા રામનો નવો દરબાર – પ્રથમ નજરમાં પાવન દૃશ્યો
Ayodhya Ram Mandir: શ્રી રામ જન્મભૂમિ પર નવા બનેલા ભવ્ય રામ મંદિરમાં રાજા રામનો અભિષેક કરવામાં આવ્યો છે. આજે ગંગા દશેરાના અવસરે, અભિજીત મુહૂર્તમાં આ વિધિ કરવામાં આવી હતી, રામ દરબારની ઝલક જુઓ
Ayodhya Ram Mandir: વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ છે. મંદિરના પહેલા માળે રામ, સીતા, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન અને હનુમાનજી સહિત સમગ્ર રામ દરબારની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. ભક્તો હવે રામલલા ઉપરાંત રાજા રામના દર્શન કરી શકશે.
અભિજિત મુહૂર્ત દરમિયાન, પૂર્વાહ્ન 11:30 થી 12 વાગ્યાની વચ્ચે તમામ દેવ વિગ્રહોમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પાવન અવસરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તથા અનેક સંતો હાજર રહ્યા. સમગ્ર વાતાવરણ વૈદિક ઊર્જાથી ગૂંજતું રહ્યું.
રામ દરબાર સાથે સાથે મંદિર પરિસરમાં આવેલા કુલ આઠ અન્ય મંદિરોમાં પણ વિવિધ દેવતાઓની પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. જેમાં ભગવાન શિવ, શેષાવતાર, માતા અન્નાપૂર્ણા, માતા દુર્ગા, ભગવાન સુર્યદેવ, શ્રી ગણેશ, અને બજરંગબલીની પ્રતિમાઓનો સમાવેશ થાય છે.
શિવ મંદિરના શિવલિંગને સિવાયની બધી પ્રતિમાઓનો નિર્માણ જયપુરના વિખ્યાત મૂર્તિકાર શ્રી સત્યનારાયણ પાંડે અને તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે.
રામ દરબારમાં ભગવાન શ્રીરામ અને માતા જાનકીની પ્રતિમા 5 ફૂટ ઊંચી છે, ભરતજી અને હનુમાનજીની પ્રતિમા 3 ફૂટ અને લક્ષ્મણ તથા શત્રુઘ્નજીની પ્રતિમા 4.5 ફૂટ ઊંચી છે.
આ પહેલા એલન મસ્કના પિતા એરોલ મસ્ક પણ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરના દર્શન માટે પહોંચ્યા હતા. તેઓએ પોતાના અનુભવને “અદ્ભુત અને ભૂલાઈ ન શકે એવી ઘડી” તરીકે વર્ણવી.