ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ્સ (ઓસીસીઆરપી) ના રિપોર્ટે અદાણી ગ્રૂપ બાદ અનિલ અગ્રવાલના નેતૃત્વ હેઠળના વેદાંતા ગ્રૂપ સામે ગંભીર આરોપો મૂક્યા છે. તાજેતરના રિપોર્ટમાં ઓસીસીઆરપીએ દાવો કર્યો હતો કે કોરોના મહામારી દરમિયાન વેદાંતા ગ્રૂપે પર્યાવરણના મુખ્ય નિયમોને નબળાં કરવા માટે ગુપ્ત લોબિંગ કરી હતી. ઓસીસીઆરપીના નવા રિપોર્ટમાં દાવો કરાયો છે કે ભારત સરકારે પબ્લિક કન્સલ્ટેશન વગર જ માઈનિંગ સંબંધિત સુધારાઓને મંજૂરી આપી દીધી હતી. નિષ્ણાતો અનુસાર આ સુધારા ગેરકાયદે રીતે લાગુ કરાયા હતા. ઓસીસીઆરપીએ કહ્યું કે જાન્યુઆરી ૨૦૨૧માં વેદાંતા સમૂહના ચેરમેન અનિલ અગ્રવાલે પૂર્વ પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરને કહ્યું હતું કે સરકાર માઈનિંગ કંપનીઓને નવી પર્યાવરણીય મંજૂરી વગર જ…
Author: Shukhabar Desk
કેન્દ્ર સરકારે ગઈકાલે એક ચોંકાવનારો ર્નિણય કરતા ૧૮થી ૨૨ સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જાેશીએ આ વિશેષ સત્રની જાણકારી એક્સ (ટિ્વટર) પર આપી હતી. આ વિશેષ સત્રમાં કુલ પાંચ બેઠકો હશે, સંસદના વિશેષ સત્રને લઈને હવે ઘણી અટકળો લગાવાઈ રહી છે તો બીજી તરફ આ વિશેષ સત્ર પર રાજકીય પક્ષોએ પ્રતિક્રિયા આપી છે. કેન્દ્ર સરકાર આ વિશેષ સત્રમાં એક દેશ-એક ચૂંટણી બિલ લાવી શકે છે ત્યારે હવે શિવસેના (યુટીબી)ના નેતા અને સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે એક દેશ-એક ચૂંટણી ઠીક છે પણ નિષ્પક્ષ ચૂંટણી થવી જાેઈએ. કેન્દ્ર સરકાર અમારી નિષ્પક્ષ ચૂંટણીની માંગને રોકવા માટે…
મુંબઈમાં વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાની બેઠક ચાલી રહી છે. તેમાં ૨૮ જેટલા પક્ષો સામેલ થયા છે. આ દરમિયાન બેઠકના બીજા દિવસે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ કહ્યું કે આગામી અમુક મહિનાઓમાં આપણા પર રેડ અને ધરપકડની ઘટનાઓ વધી જશે. તેમણે કહ્યું કે આપણે સૌએ તેના માટે તૈયાર રહેવું જાેઈએ. મલ્લિકાઅર્જુન ખડગેએ કહ્યું કે આ સરકાર બદલાની રાજનીતિ કરી રહી છે. એટલા માટે આપણા પર દરોડા પાડે છે અને લોકોની ધરપકડ કરાઈ રહી છે. વડાપ્રધાન સતત આપણી સામે એટેક કરી રહ્યા છે એ જ આપણી સફળતાનો પુરાવો છે. આપણે આવનારા મહિનાઓમાં નવા હુમલાઓ માટે તૈયાર રહેવું પડશે. ખડગેએ તમામ પક્ષોને કહ્યું કે આપણા…
ઉત્તર પશ્ચિમી પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખા પ્રાંતના બન્નુ જિલ્લામાં પાકિસ્તાનના સુરક્ષાદળોને ટાર્ગેટ કરીને કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં નવ જવાનોના મોત થયા છે અને બીજા ૨૦ ઘાયલ થયા છે. ભારતમાં જે રીતે પુલવામા હુમલો કરવામાં આવ્યો હતો તે જ પ્રકારનો આ હુમલો હોવાનુ જાણકારો કહી રહ્યા છે. પાકિસ્તાની સેનાના કહેવા પ્રમાણે આત્મઘાતી હુમલાખોર બાઈક પર સવાલ થઈને આવ્યો હતો અને સેનાના કાફલામાં ઘુસી ગયો હતો.તેણે કાફલામાં સામેલ વાહનો સાથે બાઈક ટકરાવી દીધી હતી. પ્રતિબંધિત સંગઠન તહેરિક એ તાલિબાન પાકિસ્તાને આ હુમલાની જવાબદારી લીધી છે. હુમલા બાદ સુરક્ષાદળોએ આખો એરિયા કોર્ડન કરી લીધો હતો. હુમલા માટે જવાબદાર લોકોને પકડવા માટે અભિયાન શરૂ કરાયુ…
દર વખતની જેમ આ વખતે પણ રજનીકાંતની ફિલ્મને લઈને ચાહકો વચ્ચે ગજબનો ક્રેઝ જાેવા મળી રહ્યો છે. જેલરે સમગ્ર વિશ્વમાં ધમાલ મચાવી દીધી છે. ૧૦ ઓગસ્ટે રિલીઝ થયેલી જેલરની શાનદાર કમાણી બોક્સ ઓફિસ પર હજુ પણ યથાવત છે. રજનીકાંતની ફિલ્મે તમામ રેકોર્ડ તોડતા વિશ્વભરમાં લગભગ ૬૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી નાખી છે. આ દરમિયાન ફિલ્મના હીરો રજનીકાંતની ફી અંગે મોટો ખુલાસો થયો છે, જેને સાંભળીને તમે ચોંકી જશો. આ વાતની જાણકારી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ટ્રેકર મનોબાલા વિજયને પોતાના ટ્વીટર હેન્ડલ દ્વારા આપી છે. તેમણે પોતાની ટ્વીટમાં રજનીકાંતની એક તસવીર શેર કરતા લખ્યુ છે. કે જાણકારી મળી છે કે કલાનિધિ મારને જે…
આજના આ યુગમાં દેશમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરુષને ટક્કર આપી રહી છે. ભારતમાં તમામ ક્ષેત્રે મહિલા ભાગીદારી વધી છે ઉપરાંત મહિલાઓ દેશના સર્વોચ્ચ સ્થાને પહોંચી છે. તાજેતરમાં મહિલાએ વધુ એક શિખરસર કરી ઈતિહાસ રચ્યો છે. રેલવેના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલાને રેલવેના ચેરમેન અને સીઈઓપદ પર નિયુક્ત કરવામાં આવી છે. જયા વર્મા સિન્હાને ભારતીય રેલ્વેના અધ્યક્ષ અને સીઈઓબનાવવામાં આવ્યા છે. જયા વર્મા સિન્હા આજ રોજથી ચાર્જ સંભાળશે. જયા વર્મા સિન્હાએ અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો. તેઓ ૧૯૮૬ બેચની ઇન્ડિયન રેલ્વે મેનેજમેન્ટ સર્વિસ (આઈઆરએમએસ) ની બેચના ઓફિસર છે. સિન્હા રેલવે બોર્ડના વર્તમાન અધ્યક્ષ અનિલ કુમાર લાહોટીનું સ્થાન લેશે. વિજયાલક્ષ્મી વિશ્વનાથન રેલવે…
બોમ્બે હાઈ કોર્ટે પહેલેથી જ વિવાહિત હોવા છતાં લગ્ન કરનાર એક વ્યક્તિ સામે થયેલી એફઆઈઆરરદ કરવાનો અસ્વીકાર કરતા કહ્યું કે આ ફ્કત દ્વિવિવાહની શ્રેણીમાં જ નહીં પણ તેનુ આચરણ પણ બળાત્કાર જેવા ગુનાના દાયરામાં આવે છે. એક રિપોર્ટ મુજબ જસ્ટીસ નીતિન સામ્બ્રે અને રાજેશ પાટિલે ૨૪ ઓગસ્ટના રોજ એ વ્યક્તિની અરજીને ફગાવી દીધી હતી જેના પર પૂણે પોલીસે આઈપીએસની ધારા ૩૭૬ અને ૪૯૪ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી.એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી ૨૦૦૬માં મહિલાના પતિના મૃત્યુ થયા બાદ આ અરજદાર વ્યક્તિ મોરલ સપોર્ટના નામે તેની પાસે જવા લાગ્યો. બંને વ્યક્તિ વ્યવસાયે શિક્ષક છે. અરજદારે મહિલાને કહ્યું હતું કે પોતાની…
પાકિસ્તાની ભાભી નામથી દેશભરમાં મશહુર થયેલી સીમા હૈદર શું હવે ટીવી પર જાેવા મળશે? બિગ બોસ અને કપિલ શર્મા શોમાં આવવાની અટકળો બાદ આજે ખુદ સીમા હૈદરે તેના વિશે કંફર્મ કર્યુ હતું. સીમાના એક વીડિયોમાં જાહેર કરીને કહ્યુ હતું કે તેને બીગ બોસ અને કપિલ શર્મા શો માટે ઓફર મળી હતી. આ પહેલા એક પ્રોડ્યુસરે સીમા પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. સીમાએ એક વીડિયો જાહેર કરીને એક વાત પરથી પડદો ઉતારી લીધો હતો તેણે કહ્યુ કે, આ બન્ને શો માટે ઓફર મળી હતી પરંતુ તેનો સ્વીકાર કર્યો નહોતો. સીમાએ કહ્યુ હતું કે નમસ્કાર, જય શ્રીરામ, રામ રામ.. હું સીમા…
મોદી સરકારને ઘેરવા માટે આજે મુંબઈ ખાતે વિપક્ષી મહાગઠબંધનની ત્રીજી બેઠક મળી છે. આ બેઠકમાં કહેવામાં આવી રહ્યું કે, વિપક્ષી મહાગઠબંધનના સંયોજક અને લોગો અંગેનો પણ ર્નિણય લેવાય શકે છે. ઈન્ડિયાગઠબંધનના સાથી પક્ષોની મુંબઈમાં બેઠક ચાલી રહી છે. સતત બીજા દિવસે આ બેઠકમાં ઘણા મહત્ત્વના ર્નિણયો લેવાયા હતા. તેમાં ૧૩ સભ્યો સાથેની કોઓર્ડિનેશન સમિતિ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જાેકે હજુ સુધી સંયોજક અંગે કોઈ ર્નિણય લેવાયો નથી. મુંબઈમાં ચાલી રહેલી બેઠકમાં ઈન્ડિયાગઠબંધને કોઓર્ડિનેશન સમિતિની જાહેરાત કરી દીધી છે. આ ૧૩ સભ્યોની કોઓર્ડિનેશન સમિતિમાં સંજય રાઉત, સ્ટાલિન, લલન સિંહ, મહેબુબા મુફ્તી, ડી.રાજા, ઓમર અબ્દુલ્લાહ, શરદ પવાર, કે.સી.વેણુગોપલ, તેજસ્વી યાદવને પણ…
સપ્ટેમ્બર સિરીઝની માર્કેટમાં શાનદાર શરૂઆત થઈ હતી. ૦૧ સપ્ટેમ્બર એટલે કે આજના ટ્રેડિંગમાં સેન્સેક્સ અને નિફ્ટી જાેરદાર ઉછાળા સાથે બંધ થયા છે. જ્યારે મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ રેકોર્ડ હાઈ પર બંધ થયા છે. ફાર્મા સિવાય તમામ સેક્ટર ઇન્ડેક્સમાં વધારો જાેવા મળ્યો હતો. ઓટો ઈન્ડેક્સ રેકોર્ડ હાઈ પર બંધ રહ્યો હતો. મેટલ, પીએસઈ અને એનર્જી શેર્સમાં ખરીદી જાેવા મળી. ઓટો, ઈન્ફ્રા અને બેન્કિંગ શેર્સમાં ઉછાળો જાેવા મળ્યો હતો.સ્થાનિક શેરબજારમાં શુક્રવારે સપ્ટેમ્બર મહિનામાં સારી શરૂઆત કરી હતી. નવા મહિનાના પ્રથમ દિવસે, બંને મુખ્ય સ્થાનિક ઈન્ડેક્સ બીએસઈસેન્સેક્સ અને એનએસઈનિફ્ટીએ લગભગ ૧ ટકાનો વધારો નોંધાવ્યો હતો. મોટી કંપનીઓના શેરોએ ખાસ કરીને સારું પ્રદર્શન કર્યું.…