હવાઇ મુસાફરી દરમિયાન સોનાના દાગીના ગુમ થવાના કેસમાં ૧૧ વર્ષની લાંબી લડત બાદ વડોદરાના મુસાફરને ન્યાય મળ્યો છે. રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને ગ્રાહકલક્ષી ચુકાદો આપ્યો છે. ગ્રાહક તકરાર નિવારણ કમિશને એર કંપનીને ૫૦ હજાર નાણાં ૧૧ વર્ષના ૯ ટકા વ્યાજ સાથે મુસાફરને ચૂકવવા અને અન્ય ખર્ચ ૫ હજાર ચૂકવવા આદેશ કર્યો છે. બનાવની વાત કરીએ તો વડોદરાના વિરેન્દ્ર પારેખ ૧ ફેબ્રુઆરી ૨૦૧૨માં કુવૈતથી શારજહાં અને શારજહાંથી અમદાવાદ આવવા અરેબિયાની ફલાઇટમાં મુસાફરી કરી હતી.કુવૈત ઍરપોર્ટ પર લગેજ ચેકિંગ અને વજન દરમિયાન હેન્ડ બેગમાંથી સોનાના દાગીના ગુમ થયા હતા.જેથી ફરિયાદીએ તાત્કાલિક ઍરપોર્ટ ઓથોરીટી, ઍર અરેબિયા અને પોલીસને જાણ કરી હતી. પરંતુ…
Author: Shukhabar Desk
અમદાવાદના કૃષ્ણનગરવિસ્તારમાં આવેલ શ્રીજી પાર્ક સોસાયટીમાં ૫૫ વર્ષના આધેડની બોથડ પદાર્થ અને તીક્ષણ હથિયારથી હુમલો કરીને હત્યાની ઘટના સામે આવી છે. આ સોસાયટીમાં રહેતા મહેશ શાહનો ફોન બંધ આવતો હતો ત્યારે તેમના બેન અને બનેવી ચેક કરવા માટે ઘરે પહોંચ્યા હતા. પરંતુ ઘરમાં તાળું લગાવેલું હતુ. જેથી તેમને પાડોશી પાસે તાળાની ચાવી માંગી મહેશભાઈ પોતાના ઘરની ચાવી પાડોશીઓને આપીને જતા હોય છે. પરંતુ પાડોશીએ ઘરમાં લગાવેલું તાળું જાેયું તો જાળીએ નવું તાળું લગાવેલું હતું. જેથી મહેશના બનેવીએ જાળીની અંદરના દરવાજા ધક્કો માર્યો તો મહેશ ભાઈનો લોહીમાં લથપથ મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારે પોલીસને જાણ કરતા પોલીસ ઉચ્ચ અધિકારીઓ અને એફએસએલની…
સુરતમા કેમિકલ યુક્ત પાણીને લઈને લોકોને ખુબ જ હાલાકી ભોગવવી પડી રહી છે, અશ્વિની કુમાર ફૂલ માર્કેટ પાસે જાહેર રોડ પર હાલ ચોમાસા જેવો માહોલ જાેવા મળી રહ્યો છે, અહી કેમિકલ યુક્ત પાણી રોડ પર ફરી વળ્યા છે જેને લઈને વાહન ચાલકો અને સ્થાનિક રહેવાસીઓને પણ ખુબ જ હાલાકી પડી રહી છે.સુરતના અશ્વિની કુમાર ફૂલ માર્કેટ વિસ્તારમાં રોડ પર કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને લઈને રહીશોને ખુબ જ હાલાકી પડી રહી છે, રોડ પર જ ગરમ કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા, તો બીજી તરફ પૂર્વ કોર્પોરેટરે જણાવ્યું હતું કે આ અંગે…
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા તિરુપતિ ઋષિવનમાં એક બાળકનો જીવ માંડ માંડ બચ્યો હતો. માતા પિતા સાથે આવેલ બાળક અચાનક જ વોટર પાર્કના સ્વિમિંગ પૂલમાં પગ લપસતા પડ્યુ હતુ. વોટર પાર્કમાં પડતા જ તે ડૂબી જાય એમ લાગી રહ્યુ હતુ. આ દરમિયાન જ નજીકમાં રહેલો એક કર્મચારીની નજર પડતા જ તે બાળકને બચાવવા માટે આવી પહોંચ્યો હતો.સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા તિરુપતિ ઋષિવનમાં એક બાળકનો જીવ માંડ માંડ બચ્યો હતો. માતા પિતા સાથે આવેલ બાળક અચાનક જ વોટર પાર્કના સ્વિમિંગ પૂલમાં પગ લપસતા પડ્યુ હતુ. વોટર પાર્કમાં પડતા જ તે ડૂબી જાય એમ લાગી રહ્યુ હતુ. આ દરમિયાન જ નજીકમાં…
તીલકવાડાના માંગુ ગામથી કારેલી ગામ વચ્ચે અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડીંગમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા જ સ્થાનિક એલસીબી ટીમે દરોડો પાડ્યો હતો. એલસીબીએ પાંચ લોકોને જુગાર રમતા ઝડપી લઈને ૬.૬૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. નર્મદા જિલ્લામાં ભાજપના આગેવાન સહિક પાંચ લોકોને જુગાર રમતા સ્થાનિક એલસીબી ટીમે ઝડપી પાડ્યા છે. છોટા ઉદેપુર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ મંત્રી અને નસવાડી તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ આશિષ દલવાડીને પોલીસે જુગાર રમતા ઝડપી લીઘા હતા. પોલીસે બાતમી આધારે એક અંડર કન્સ્ટ્રક્શન મકાન પર દરોડો પાડતા જ્યાંથી ૫ લોકો જુગાર રમતા ઝડપાઈ આવ્યા હતા. ભાજપના આગેવાન સાથે એક એક શિક્ષક હેમલ સોલંકીને પણ ઝડપી…
મહીસાગરમાં એક જ પરિવારનાં ત્રણ સભ્યો દ્વારા સામૂહિક આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી. પરિવારજનો દ્વારા શા કારણે આત્મહત્યા કરી તે કારણ હજુ અકબંધ છે. ત્યારે આ બાબતે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે આ અંગેની જાણ પરિવારજનોને થતા પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.ત્યારે પરિવારજનો દ્વારા મહીસાગર નદીનાં પુલ પરથી કુદી સામૂહિક આપઘાત કર્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાં પુલ પરથી પસાર થતા લોકોને ધ્યાને આવતા થોડા સમય માટે બ્રિજ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ત્યારે આ બાબતે ત્યાં હાજર લોકોએ પોલીસને જાણ કરતા ખાનપુર પોલીસ તાત્કાલિક દોડી આવી હતી. તેમજ નદીમાં સ્થાનિક તરવૈયાઓની…
વન નેશન, વન ઈલેક્શનની કમિટીને લઈને કેન્દ્ર સરકારે આજે નોટિફિકેશન જાહેર કરી દીધુ છે. કમિટીના ચેરમેન પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છે. સમિતિના સભ્યના રૂપમાં ગૃહમંત્રી અમિત શાહ, લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી, ગુલામ નબી આઝાદ, એનકે સિંહ, સુભાષ સિંહ કશ્યપ, વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે અને સંજય કોઠારી સામેલ છે. વન નેશન, વન ઈલેક્શન સમિતિ રામનાથ કોવિંદ, પૂર્વ રાષ્ટ્રપતિ- ચેરમેન અમિત શાહ, કેન્દ્રીય મંત્રી- સભ્ય અધીર રંજન ચૌધરી, લોકસભામાં વિપક્ષ નેતા- સભ્ય ગુલામ નબી આઝાદ, પૂર્વ વિપક્ષ નેતા રાજ્યસભા- સભ્ય એન કે સિંહ, નાણાપંચના પૂર્વ ચેરમેન- સભ્ય ડો. સુભાષ સી કશ્યપ, પૂર્વ સેક્રેટરી જનરલ, લોકસભા- સભ્ય હરીશ સાલ્વે, સીનિયર વકીલ-…
બોલીવૂડ અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ની રિલીઝને હવે માત્ર છ દિવસ બાકી છે. એટલી દ્વારા નિર્દેશિત માસ એન્ટરટેઈનર એક્શન ડ્રામા ફિલ્મ ૭ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ થિયેટરોમાં આવશે. હિન્દી અને સાઉથ બંનેના ચાહકો બોલિવૂડના બાદશાહ ખાન અને સાઉથ સ્ટાર નયનતારાની કેમેસ્ટ્રીને મોટા પડદા પર જાેવા માટે આતુર છે. શાહરૂખ ખાન અને નયનતારા સ્ટારર ‘જવાન’નું એડવાન્સ બુકિંગ ઁફઇમાં ખુલ્યું છે. આ સિવાય સિનેપોલીસમાં પણ શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ની ટિકિટો ઝડપી દરે વેચાઈ રહી છે. જવાન એડવાન્સ બુકિંગ સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ટિ્વટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટિ્વટર પર માહિતી શેર કરતા જણાવ્યું કે ભારતમાં ‘જવાન’ની…
સની દેઓલ અને તેની ગદર ૨ આ બે નામ છેલ્લા ઘણા દિવસોથી બોક્સ ઓફિસ પર સાંભળવા મળી રહ્યા છે. ફિલ્મ રિલીઝ થયાને ત્રણ અઠવાડિયાનો લાંબો સમય વીતી ગયો છે. હજુ પણ ગદર ૨ શાનદાર કમાણી કરી રહી છે. ગદર ૨ એ બોક્સ ઓફિસ પર એવી કમાણી કરી છે કે તેની ગુંજ દૂર દૂર સુધી સંભળાઈ રહી છે. આ ફિલ્મ માત્ર દેશભરમાં બોક્સ ઓફિસ પર રાજ નથી કરી રહી, પરંતુ વર્લ્ડવાઈડ કલેક્શનના મામલે પણ રેકોર્ડ તોડી રહી છે. ગઈકાલે ગદર ૨ એ ધૂમ ૩ ને પાછળ છોડી દીધી હતી. હવે સની દેઓલની ફિલ્મે વર્લ્ડવાઈડ કલેક્શનમાં સલમાન ખાનની ફિલ્મ સુલતાન અને ટાઈગર…
કુશી ફિલ્મ શુક્રવારના રોજ રિલીઝ થઇ છે. વિજય દેવરાકોંડા અને સામંથા રૂથ પ્રભુની આ દિવસોમાં તેમની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘કુશી’ માટે ખૂબ જ ચર્ચામાં છે. આ જાેડી પહેલાં પણ એક સાથે પડદા પર કામ કરી ચુકી છે. જાે કે બે વાર આ જાેડીએ એક સાથે કામ કર્યુ છે પરંતુ બહુ સફળતા મળી નથી. અગાઉની ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઇ ધમાલ મચાવી શકી નથી. જાે કે આ બન્નેની કુશી ફિલ્મ આજે રોજ રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મ હવે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે કે નહીં એ હવે જાેવાનું રહ્યું, પરંતુ વાત જાણ એમ છે કે ફિલ્મનું ઓપનિંગ ખૂબ સારું રહ્યુ…